રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી પાંચ માસનું ભૃણ મળી આવ્યુ

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડન બિંલ્ડીંગની પાછળની સાઇડ સેન્ટ્રલ બાયો મેડિકલ વેસ્ટ કલકેસન પાસે બાળક જેવુ મૃતદેહ પડયો હોવાનુ સફાઇ કામદારને ધ્યાને આવતા કે.ટી. ચિલ્ડન સિકયુરીટી સુપરવાઇઝર દક્ષાબેન મકવાણા સહિતા ઘટના સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઘટનાની નોધ કરી પંચનામુ કરી ભૃણનુ D.N.A. મેળવી F.S.L. માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે જુદીજુદી દિશામાં તપાસ હાથધરી છે. સિવિલ હોસ્પિટલમાં જ જનાના હોસ્પિટલ આવેલુ હોય તો ત્યાં પણ થોડા દિવસોમાં કોઇ મિસ ડિલેવરી થઇ હોય અને દર્દીના સગા અહિયા જ ભૃણ નાખી ગયા…

Read More

રાજકોટ શહેર જીલ્લા બેંકની ચૂંટણીમાં ઈતિહાસમાં પેહલીવાર તમામ ૧૭ બેઠકો બિનહરીફ

રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તાલુકા બેઠક પરથી વિજય સખિયાએ અપક્ષમાં ફોર્મ ભર્યું હતું. પરંતુ જયેશ રાદડિયાની સમજાવટ બાદ તેમને ફોર્મ પરત ખેંચી લીધું હતું. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે આ શ્રેય હું મારા પિતાના ચરણોમાં મુકું છું. વર્ષ ૧૯૫૯ બાદ પેહલીવાર તમામ બેઠક બિનહરીફ થઇ છે. મહત્વનું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં રાદડિયાની પેનલ સામે ફોર્મ ભરનાર વિજય સખીયા અને યજ્ઞેશ દોશી પણ હાજર રહ્યા હતા. વિજય સખીયા એ પેહલા હરદેવસિંહ જાડેજાએ યાર્ડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કાર્યનો આક્ષેપ પણ કર્યો હતો.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ ઇમ્પિરિયલ હાઈટ્સમાં નીચે પટકાતાં યુવાનનું મોત

રાજકોટ,   રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કુવાડવા રોડ ડી-માર્ટ સામે મારૂતિનગર-૧માં રહેતો અક્ષય મનોજભાઇ અંબાસણા ઉ.૨૦ નામનો ગુર્જર સુથાર યુવાન તેના ભાઇ સંજયભાઇ તથા બીજા કારીગરો સાથે ૧૫૦ રીંગ રોડ પર  ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલ અંબિકા નામના શો રૂમમાં રિનોવેશન કામ ચાલતું હોઇ ત્યાં ફર્નિચર કામ કરતો હતો. ત્યારે લાકડાના ઘોડા પરથી અકસ્માતે પડી જતાં ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

વંથલી મામલતદાર કચેરી માં મુખ્ય કામગીરીઓ ઠપ્પ…..

વંથલી, વંથલી મામલતદાર ઓફિસ માં જનસેવા, ઈ-ધરા તેમજ પુરવઠા ની કામગીરી બંધ થતા લોકો ને પરેશાની.. મામલતદાર કચેરી ના કર્મચારીઓ ના જણાવ્યા મુજબ 31 તારીખ સુંધી આ તમામ સેવાઓ બંધ કરવા કલેક્ટરે આપ્યો હુકમ… કોરોના સંક્રમણ ને અટકાવવા નિર્ણય લેવાયો હોવાનો અંદેશો…

Read More

કેશોદના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની તંત્ર પાસે ચોમાસાના પાણી નિકાલની કાર્યવાહી કરવા માંગ

કેશોદ, જુનાગઢ   કેશોદનાે ઘેડ પંથક ચોમાસામાં પાણીનો તત્કાલ નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જે છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો સમય વરસાદી માહોલ બને તાે ખેડુતો ને પાણી પાવા વગર ઉભો થતો ખરીફ પાક જમીનમાં સળી જઇ ખાતર બની જાય છે ત્યારે આવી જ કાંઇક વેદના કેશોદ પંથકના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની છે જેમાં ખેડૂતોએ એકઠા થઇ ચોમાસામાં વરસાદના પાણીથી ખેતરો છલકાઇ જતાં હોય જેનો નિકાલ ન થતાં આશરે બે હજાર વિઘામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે તેથી…

Read More

કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે ફરી મંદિર તેમજ બાલ ભવન બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કેશોદ, કેશોદ સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢ  સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ  દ્વારા કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે અક્ષયગઢ સંકુલ ના બાલ ભવન, અક્ષયનાથ મહાદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિર તા. ૧૧-૭-૨૦૨૦ થી તા. ૨૫-૭-૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવશે. જેમાં સંસ્થા નું વહીવટી કાર્યાલય, ટી બી હોસ્પિટલ ના દર્દીઓ ની તપાસ અને ગુરુકુલ ના વિધાર્થી ઓ ના એડમિશન ની કાર્યવાહી ચાલુ રહેશે. જેની આવતા દર્શનાર્થીઓ માટે અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરુકુલ ની યાદી માં જણાવવામાં આવ્યું છે.

Read More

જેતપુરમા સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું

જેતપુર,   સદભાવના એકતા સમિતિ જેતપુર દ્વારા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ના મુંબઈ નિવાસસ્થાન સ્મારક રાજગૃહ પર થયેલ હુમલા બાબતે જેતપુર ખાતે  મામલતદાર કચેરી એ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના બંધારણના રચયિતા અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કે જ્યાં તેઓ રહેતા અને તે નિવાસ સ્થાન રાષ્ટ્રીય ધરોહર જાહેર કરેલ હતું અને રાજગૃહ ના પુસ્તકાલય માં 50,000 થી વધુ પુસ્તકો ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરના અસ્થિ તેમજ તેમના જીવનને લગતા અનેક મહત્વના સંસ્મરણોનો સંગ્રહ છે, જેમાં આ સ્મારક રાજગૃહ ઉપર કેટલાક અસામાજિક…

Read More

રાજકોટ શહેરના મનહર પ્લોટમાં ભરબપોરે ફ્લેટના તાળા તૂટ્યા જ્યારે લાખોનો મુદ્દામાલ લઈ ચોર ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ, રાજકોટ શહેરમાં અનલોક ૨ માં જાણે ચોર બેફામ થયા હોય તેવિ ઘટના આજે ભરબપોરે રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં બની હતી. અને જ્યારે રાજકોટના મનહર પ્લોટ શેરી નં.૮ માં આવેલા જગજીત એપારમેન્ટમાં ભરબપોરે ૦૪.૫૦ કલાકે ચોર ઘુસ્યા અને ૩૩ મિનિટ  સુધી ઘરમાં ફરી આરામથી ચોરી કરી બિલ્ડિંગમાં બીજા માળે ફ્લેટ નંબર પાંચમાં ચોરી કર્યાનાં સીસીટીવી સામે આવ્યા છે. અને મુદ્દામાલ લઈને ચોર ફરાર છે.  જ્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલિસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ…

Read More

રાજકોટ શહેર પોલીસે અનલોક 2 માર્ગદર્શિકાનું ભંગ કરનારા લોકને એક કરોડથી વધુ દંડ ફટકારાયો

રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અનલોક 2 – દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરી જાહેરનામાનો ભંગના ૬૦૯ ગુના દાખલ કરવામાં આવ્યા અને જ્યારે કુલ ૪૬૫૨ વાહન ડિટેઇન કરવામાં આવ્યા અને જ્યારે જાહેર સ્થળોએ  માસ્ક નહી પહેરનારા અને જાહેરમાં થૂકનારા કુલ ૫૨,ર૨૯ લોકોને કુલ રૂા.૧.૦૪,૪૫,૮૦૦ દંડ ફટકારવામાં આવ્યો.   રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Read More

જોડીયા પંથકમાં અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે મુલાકાત લેતા જિલ્લા પંચાયત ના પ્રમુખ અને સદસ્યો…

જોડીયા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પંથકમા આણદા, લખતર, ભાદરા, કુનડ,  બાદનપર, જોડિયા, સહિતના ગામોની અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લા માં થયેલ ભારે વરસાદ ના કારણે ઉંડ-2 ડેમ માં વિપુલ માત્રા માં પાણી આવવા થી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવા માં આવતા ડેમ ના નીચાણવાળા વિસ્તાર માં આવતા ગામો આણંદા, લખતર, ભાદરા કુનડ, બાદનપર, જોડીયા ગામના ખેડૂતો ની જમીન ના થયેલ ધોવાણ અને વાવેલ પાક ને થયેલ વ્યાપક નુકસાન અંગે નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. આ મુલાકાત વખતે જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ નયનાબેન…

Read More