કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે ફરી મંદિર તેમજ બાલ ભવન બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કેશોદ,

કેશોદ સોરઠ ક્ષય નિવારણ સમિતિ અક્ષયગઢ  સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુલ  દ્વારા કોરોના મહામારી ના વધતા જતા વ્યાપ ના કારણે અક્ષયગઢ સંકુલ ના બાલ ભવન, અક્ષયનાથ મહાદેવ મંદિર અને સ્વામિનારાયણ મંદિર તા. ૧૧-૭-૨૦૨૦ થી તા. ૨૫-૭-૨૦૨૦ સુધી બંધ રાખવામાં આવશે. જેમાં સંસ્થા નું વહીવટી કાર્યાલય, ટી બી હોસ્પિટલ ના દર્દીઓ ની તપાસ અને ગુરુકુલ ના વિધાર્થી ઓ ના એડમિશન ની કાર્યવાહી ચાલુ રહેશે. જેની આવતા દર્શનાર્થીઓ માટે અક્ષયગઢ સ્વામિનારાયણ ગુરુકુલ ની યાદી માં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment