કેશોદના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની તંત્ર પાસે ચોમાસાના પાણી નિકાલની કાર્યવાહી કરવા માંગ

કેશોદ, જુનાગઢ

 

કેશોદનાે ઘેડ પંથક ચોમાસામાં પાણીનો તત્કાલ નિકાલ ન થતાં દરિયાઇ માહોલ સર્જે છે જેમાં ખેડુતો ખેતરે તો નથી જઇ સકતાં પરંતુ જો લાંબો સમય વરસાદી માહોલ બને તાે ખેડુતો ને પાણી પાવા વગર ઉભો થતો ખરીફ પાક જમીનમાં સળી જઇ ખાતર બની જાય છે ત્યારે આવી જ કાંઇક વેદના કેશોદ પંથકના અખોદડ અને ઇસરા ગામના ખેડુતોની છે જેમાં ખેડૂતોએ એકઠા થઇ ચોમાસામાં વરસાદના પાણીથી ખેતરો છલકાઇ જતાં હોય જેનો નિકાલ ન થતાં આશરે બે હજાર વિઘામાં ચોમાસું પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે તેથી પાણી રોકતાં ગેરકાયદેસર બનાવાયેલા માટીના પાળાના દુર કરી રસ્તાની બન્ને સાઈડ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા આઠ મહીના પહેલાં તંત્ર પાસે માંગ કરી, ખેડૂતોએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ વર્ષો જુનાે પ્રશ્ન છે

જેમાં અખોદર ઈસરા પાડોદર સહીતના ત્રણ ગામની સીમમાં પાણી ભરાયેલાં રહેછે તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં એ પાણીની આવકથી પણ આ ખેતરો જળબંબાકાર બને છે ઘણાં દિવસો સુધી ખેડુતોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોય પાણીના નિકાલ માટે તંત્ર આશ્વાસન આપે છે . પરંતુ કામ નથી કરતું તેવા ઇસરાના સરપંચે આક્ષેપ પણ કર્યા હતાં આ અંગે અગાઉ ખેડૂતોએ મામલતદાર ટીડીઓ ધારાસભ્ય સહીત તાલુકા તંત્રને લેખિતમાં જાણ કરી તેથી મામલતદાર દ્વારા એક મહીના પહેલાં રોજકામ કરી પાણીનાે નિકાલ થવામાં અડચણરૂપ બાબતે કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી પરંતુ ચોમાસા પહેલા આ કામગીરી ન થતાં ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યાે હતો. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી સાથે આજે અખોદર તથા ઈસરા ગામના ખેડુત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે જેમાં ખેડુતોના ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલ કરવાની માંગણી કરવામાં આવી છે અને જો માંગણી નહી સંતોષાય   તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની  ખેડુતોએ ચીમકી પણ ઉચ્ચારી છે.

Related posts

Leave a Comment