નેસકા દ્વારા “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન હેલ્થકેર” વિષય પર સફળ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત       નોર્થ ઈસ્ટ સુરત કન્સલ્ટન્ટ્સ એસોસિએશન (NESCA) દ્વારા પી.ટી. સાયન્સ કોલેજ, અથવાલાઇન્સ, સુરતના કોમ્પ્યુટર લેબ ખાતે “Artificial Intelligence in Healthcare” વિષય પર એક અત્યંત માહિતીસભર અને સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સુરતના 60થી વધુ કન્સલ્ટન્ટ ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધુનિક ઉપયોગો વિશે જાણકારી મેળવી હતી.        કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા બાળરોગ નિષ્ણાત તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના નિષ્ણાત ડૉ. પ્રશાંત કારિયાએ ખૂબ જ સરળ અને પ્રાયોગિક રીતે AIના વિવિધ પાસાઓ સમજાવ્યા હતા. તેમણે ડોક્ટરોને AI દ્વારા અસરકારક જાહેરાતો તૈયાર…

Read More

બરવાળા તાલુકાનો તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બરવાળા          બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનો “તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૨/૦૭/૨૦૨૬ બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે બરવાળા પ્રાંતઅધિકારીની કચેરીના સભાખંડ ખાતે યોજાશે.            બરવાળા તાલુકાના આ તાલુકાકક્ષાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમ નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદના અધ્યક્ષ સ્થાને યોજાશે. બરવાળા તાલુકાના સમગ્ર નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો કે તે સિવાયની અન્ય વ્યક્તિગત ફરીયાદ કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવ્યો હોય તેવા પ્રશ્નો રજુ કરી શકાશે. સ્થાનિક…

Read More

બોટાદમાં પ્રાકૃતિક ખેતી આધારિત પેદાશોના વેચાણ કેન્દ્રને નાગરિકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ સાંપડ્યો

હિન્દ ન્યુઝ, બોટાદ                 રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે હેતુથી સરકારની સૂચના મુજબ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.                આ અભિયાનના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને બજાર વ્યવસ્થા ઉપલબ્ધ થાય અને નાગરિકોને ઝેરમુક્ત શાકભાજી, અનાજ, કઠોળ સહિતની ગુણવત્તાસભર કૃષિ પેદાશો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત…

Read More

બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ                   બોટાદ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મિટિંગ હોલ, કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, ખસ રોડ બોટાદ ખાતે યોજાશે.                    આ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણીત રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો અરજદાર આધાર પુરાવા સાથે વ્યક્તિગત પ્રશ્નની રજુઆત કરી શકશે. તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત…

Read More

બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૭/૦૭/૨૦૨૬ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ              જુલાઈ-૨૦૨૬ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧ ૭/૦૭/૨૦૨૬ને શુક્રવારના રોજ ૧૧:૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧:૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.             આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાનાં પ્રશ્નો તા.૧૦/૦૭/૨૦૨૬ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા બોટાદ જિલ્લા નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.      

Read More

આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન: કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, આણંદ અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સહયોગથી માનવ કલ્યાણના ઉમદા હેતુ સાથે આજે શહેરના સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુ દેવાહુતીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સામાજિક જવાબદારી અદા કરી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને વધુમાં વધુ લોકોને આ માનવીય કાર્યમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. સ્વૈચ્છિક અને નિયમિત…

Read More

આણંદના નાવલી ખાતે NCC ના ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને પગલે જનતા અને પશુઓની હેરફેર પર મનાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના નાવલી ખાતે આવેલી એન.સી.સી. લીડરશીપ એકેડમીમાં આગામી સમયમાં યોજાનારા વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ કેમ્પને ધ્યાનમાં રાખીને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી લલિતકુમાર એ. પટેલે એક જાહેરનામું બહાર પાડીને તા. 20/07/2026 થી તા.29/07/2026 સુધી નિર્ધારિત દિવસો દરમિયાન નિર્દિષ્ટ વિસ્તારમાં લોકો અને પશુઓની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામાની વિગતો અનુસાર, આણંદ (રૂરલ) પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નાવલી એન.સી.સી. એકેડમીના એક કિલોમીટર વિસ્તારમાં નિર્ધારિત તારીખોએ પશુઓ તથા માણસોની હેરફેર તેમજ જાહેર ઉપયોગ માટેના માર્ગો બંધ રાખવા ફરમાવવામાં આવ્યું છે.  આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ…

Read More

ઉમરેઠ ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ઉમરેઠ     કમિશનર, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા તાજેતરમાં ઉમરેઠના બ્લોક રિસોર્સ સેન્ટર ખાતે ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩’ વિષય પર એક મહત્વપૂર્ણ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મહિલાઓના કાર્યસ્થળે સુરક્ષા અને ગરિમા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સેમિનારમાં ડી.એલ.એસ.એ. એડવોકેટ ગોપીબેન મહેતાએ ઉપસ્થિત મહિલાઓને જાતીય સતામણી વિરોધી કાયદાની વિવિધ કલમો અને કાયદાકીય પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી, જેથી મહિલાઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત…

Read More

પ્રાકૃતિક ખેતીથી ભાવનગરના કરેડા ગામના પોપટભાઈ સોલંકીનું બદલાયું ભાગ્ય: દેવાના બોજમાંથી મુક્તિ મેળવી આજે ટ્રેક્ટર અને ફોર-વ્હીલરના માલિક બન્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગરના કરેડા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પોપટભાઈ સોલંકીએ સરતાનપર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પોતાના જીવનના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં કોઈ પૂર્વ અનુભવ વિના પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તે પહેલાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વધતા ખેતી ખર્ચ અને ઘટતી આવકના કારણે આર્થિક સંકટમાં સપડાઈ દેવાના બોજ હેઠળ દબાઈ ગયા હતા. એક સમય એવો પણ આવ્યો હતો કે ખેતીને ટકાવી રાખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. તે દરમિયાન પીપળ ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ખેતીના મોડેલથી પ્રેરણા મેળવી તેમણે પ્રાકૃતિક ખેતીનો…

Read More

ભાવનગર વન વિભાગ હેઠળની જેસર રેન્જ કચેરી ખાતે જુના ભંગારની જાહેર હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર વન વિભાગ હેઠળની ક્ષેત્રિય જેસર રેન્જ રાઉન્ડ ખાતે જૂના ભંગારની જાહેર હરાજી તા.૧૦/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જેસર ડેપો (રાણીગાળા) ખાતે રાખવામાં આવી છે. તેમાં ભાગ લેવા રસ ધરાવતાં ઈસમોને નિયત સમય તથા તારીખ અને સ્થળે હાજર રહેવા ભાવનગર વન વિભાગ દ્વારા જણાવ્યું છે. માલની વિગતો મુજબ બંધ પડી ગયેલ જુના લોખંડનાં પ્રેસનાં દરવાના નંગ-૪ (૩૧૦ કિ.ગ્રા.ક્વિન્ટલ) જુની બંઘ પડલી લોખંડની ડંકી નંગ-૪ (૭૫ કિ.ગ્રા.ક્વિન્ટલ),જુનું બંધ હાલતમાં પડેલ જનરેટરનું એન્જીન ૧૦૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,ખુંટવડા ગોડાઉનનું જુનું લોખંડનું શટર ૯૫ કિ.ગ્રા.ક્વિન્ટલ,જુનાં ગ્રુવ માંથી કાઢેલા લોખંડનાં પાઈપ અને…

Read More