માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૮ નોડેલ ઓફિસરની નિયુક્તિ કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, માંજલપુર       મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના નોડેલ નિયુક્ત કરાયા  વડોદરા શહેરની પાંચ પૈકી એક ખાલી પડેલી વિધાનસભા બેઠક ૧૪૫ – માંજલપુરની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પેટા ચૂંટણીના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયા દ્વારા વિવિધ સમિતિની રચના કરી નોડેલ ઓફિસરની નિયુક્તના આદેશ જારી કરવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજી મુક્ત, ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રીયા કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ,…

Read More

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને દાહોદ ઘટક ૧ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક ૧ ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ હતી.  આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની એન્ટ્રી, Avt head count પૂર્ણા પોર્ટલ એન્ટ્રી પોષણ સંગમ સ્ટોકનીજાળવણી FRS દ્વારા THR એન્ટ્રી ફેસ કેપ્ચર સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી…

Read More

૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી અમલમાં આવતી આદર્શ આચાર સંહિતા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની કેટલીક બાબતો ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે તે વડોદરા જિલ્લાના સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં અમલમાં આવે છે, જ્યારે કેટલીક બાબતોનો અમલ ઉપર્યુક્ત જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર પૂરતો જ કરવાનો છે. ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો/બચાવ કામો, દુકાળ/પુર…

Read More

સુરત વરસાદી અપડેટ: તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન એલર્ટ!

હિન્દ ન્યુઝ, સુરત      જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરતની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતાં રાહતના સમાચાર આપ્યા છે. હાલ જિલ્લામાં પૂરની કોઈ સ્થિતિ નથી. મહત્વના પોઈન્ટ્સ: – ચાલુ સિઝનમાં સરેરાશ ૨૨૮ મિ.મી વરસાદ નોંધાયો. – અંબિકા (૩૮૯ મિ.મી) અને પલસાણા (૩૬૨ મિ.મી)માં સૌથી વધુ વરસાદ. – નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરાયો છે, કોઈ જાનહાનિ નથી. – મહુવા તાલુકાના ૨ ગ્રામ્ય રસ્તા સિવાય વાહન વ્યવહાર સામાન્ય છે. ખાસ સાવચેતી રાખો: વીજળીના થાંભલા, જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોથી દૂર રહો. કોઈ પણ મુશ્કેલીમાં સ્થાનિક તંત્ર કે કંટ્રોલરૂમનો સંપર્ક કરો.

Read More

પોરબંદર જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં દરિયાકાંઠે ઊંચા મોજાં અને ભારે કરંટને લઈને નાગરિકોને દરિયાકાંઠે ન જવા વહીવટી તંત્રની તાકીદ

હિન્દ ન્યુઝ, પોરબંદર ભારત સરકારના હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (૩.૫) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને દરિયાકિનારા ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આજ રોજ તા.૨ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાથી લઈને આવતીકાલ તા.૩ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા…

Read More