ભુજ તાલુકાના ગોડપર ગામે રૂ. ૧. ૫૦ કરોડના ખર્ચે બનનારા ૩.૧૦ કિમીના રોડનું વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ભુજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભુજ તાલુકાના ગોડપર ગામે રસ્તાનું ખાતમુહૂર્ત વિધાનસભા અધ્યક્ષ ડો .નિમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. અધ્યક્ષએ રૂ.૧. ૫૦ કરોડના ખર્ચે ભુજ તાલુકાના ગોડપર ગામથી ભારાસર સુધીના ૩.૧૦ કિમીના રોડનું  ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય એક દિવસીય જ્ઞાનયજ્ઞ કથા મહોત્સવમાં ભાગ લઈને આશીર્વચન મેળવ્યાં હતાં.            આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી,  ગોડપર સરપંચ નારણભાઈ કાબરીયા, નાયબ કાર્યપાલક ઈજનેર બી.ડી.પ્રજાપતિ, મદદનીશ ઈજનેર.કે.એમ.પટેલ, સર્વ અગ્રણી શિવજીભાઈ, ભીમજીભાઇ જોધાણી, ડો.ભાવેશભાઇ  આચાર્ય,  રાજસ્થાન સરકારના પૂર્વ …

Read More

16 સપ્ટેમ્બર- વિશ્વ ઓઝોન દિવસ : વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે ચાલો જાણીયે સૂર્યનાં પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે

હિન્દ ન્યુઝ, બોટાદ પૃથ્વીનાં વાતાવરણના બહારનાં પડમાં ઓઝોન વાયુનું એક લેયર-સ્તર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર સૂર્યનાં ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે. એસી, ફ્રિજ, કોલ્ડ સ્ટોરેજ, અમુક રાસાયણિક સ્પ્રે વગેરેમાંથી ઉદભવતા ક્લોરોફ્લોરો કાર્બન જેવાં હાનિકારક વાયુઓને કારણે ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે, આ પડ પાતળું થઇ રહ્યું છે. આ બાબતે લોકોને જાગૃત કરવા વર્ષ ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા…

Read More

રાધનપુર તાલુકાના ભીલોટ ગામ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભીલોટ ગામે આર સી એમ કંપની દ્વારા ઓર્ગોનાઇઝર વસ્તુઓ થી લોકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે મોલ ના ઉદ્દઘાટન સાથે સાથે અમુલ ડેરી ની પ્રોડક્ટ ના પાર્લર નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભીલોટ ગામ ખાતે માંડવરાયજી પેટ્રોલિયમ ની બાજુમાં કરવામાં આવેલ ઉદઘાટન પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા, રાધનપુર સુરજ ગીરી, પાટણ જિલ્લાના ભાજપ મહામંત્રી, પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, કેશુભા પરમાર, રાધનપુર માર્કેટ યાર્ડ ના ચેરમેન ડો કનુભાઈ પટેલ,…

Read More

સારા ઇન્ટરનેશનલ દ્વારા ગુજરાતના પત્રકારોનુ “પત્રકાર રત્ન” એવોર્ડ થી થશે સન્માન

હિન્દ ન્યુઝ, ગુજરાત  ગુજરાતનું ગુજરાતીઓ દ્વારા સંચાલિત ભારતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠન સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન ( સારા ઇન્ટરનેશનલ ) ડૉ.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત સારા ઇન્ટરનેશનલ દ્વારા સમગ્ર ભારતમાં છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ઇલેક્ટ્રોનિક અથવા પ્રિન્ટ મીડિયામાં પત્રકારિત્વ ના માધ્યમ થી ઉમદા કાર્ય કર્યું હોય એવા તમામ પત્રકારોને “પત્રકાર રત્ન એકસલન્સ એવોર્ડ” થી સન્માનિત કરી રહ્યા છે. જો આપ છેલ્લા ત્રણ વર્ષથી કે તેથી વધુ સમયથી પત્રકાર પ્રેસ ફોટોગ્રાફર હોવ અને પત્રકારિત્વના માધ્યમથી કોઈ પણ પ્રકારના શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તો આપ આ એવોર્ડ માટે આપના નામની…

Read More

ખજૂદ્રા ગામ ની અંદર ગરીબ લોકો ને રાશન ની કીટ ફૂડ પેકેટ નુ વિતરણ કરવા મા આવ્યુ

ખજુદ્રા,  સામાજિક કાર્યકર ચૌહાણ જેન્તી કુમાર ની આગેવાની હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન ઉના દ્વારા આજે માનવ સેવા એજ પ્રભુ સેવા ની યુક્તિ સફળ બનાવવા મા આવી. આજે દુનિયા ની અંદર અને આપણા દેશ મા કોરોના વાયરસ લોકડાઉન સરુ છે ત્યારે આવી અતિ ગંભીર પરિસ્થિતિ ના સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મહા મુશ્કેલી મા મેકાઈ ગયા છે. ત્યારે ઉના તાલુકાના ખજૂદ્રા ગામ ની અંદર વિધવા બહેનો, અનાથ બાળકો, કેન્સર જેવી બીમારી થી પીડાતા લોકો અને જે એક એક ટાણા નુ કરી ને ખાય છે.   તેવા લોકો…

Read More

સાઉદી અરબના રાજકુમાર જેકેટ- સ્પોર્ટ્સ શૂઝમાં દેખાયા, સોશિયલ મીડિયા પર છવાયા

રિયાધ: સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી. સલમાને રિયાધમાં ફોર્મ્યુલા ઇ રેસ દરમિયાન બ્રિટિશ બેન્ડનું જેકેટ પહેર્યું હતું. તેમણે પારંપરિક સફેદ પહેરવેશ પર આ જેકેટ પહેર્યું હતું. સાથે જ સનગ્લાસ અને સ્પોર્ટ્સ શૂઝ પણ પહેર્યા હતા. ત્યારથી મધ્ય-પૂર્વ અને પશ્ચિમ ફેશનના આ મિશ્રણના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યા છે. ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન શર્ટ, બ્લેઝર અને જીન્સમાં દેખાયા હતા એક યુઝરે આ જેકેટ ઓનલાઇન શોધી કાઢી. સાથે લખ્યું કે આ તેની સૌથી મોટી જાહેરાત છે. સલમાન 2016માં પણ અમેરિકામાં ફેસબુકના સંસ્થાપક માર્ક…

Read More

ઈરાને અમેરિકાને સબક શીખવાડવા માટે સાઉદી અરબ પર હુમલાનું ષડયંત્ર રચ્યું હતું: રિપોર્ટ

વોશિંગ્ટનઃ સાઉદી અરબની બે ઓઈલ રિફાઈનરી પર સપ્ટેમ્બરમાં ડ્રોન્સ અને મિસાઈલો દ્વારા હુમલા થયા હતા. તેના કારણ એક સપ્તાહ સુધી સાઉદીનું ઓઈલ ઉત્પાદન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હુમલાની જવાબદારી યમનના હૂતી વિદ્રોહીઓએ લીધી હતી, જોકે સાઉદીએ તેની પાછળ ઈરાનનો હાથ હોવાનું કહ્યું હતું. અત્યાર સુધીમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાઉદી પર હુમલાનું ષંડયત્ર ઈરાનમાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. અરામકો પર હુમલાના 4 મહીના પહેલા ઈરાનના સૈન્ય અધિકારીઓએ હુમલાનું ષંડયત્ર રચવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠકમાં સામેલ 4 લોકોના હવાલાથી ખુલાસો ન્યુઝ એજન્સી રોયટર્સે બેઠકમાં સામેલ 4…

Read More

રાષ્ટ્રપતિ રાજપક્ષે કહ્યું- ચીનને હમ્બનટોટા બંદર 99 વર્ષ સુધી લીઝ પર આપવું અગાઉની સરકારની ભૂલ હતી

કોલંબોઃ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેએ કહ્યું છે કે બમ્બનટોટા બંદરને 99 વર્ષ માટે ચીનને ભાડાપટ્ટે (લીઝ) પર આપવું તે સરકારની ભૂલ હતી. આ સમજૂતી પર ફરી વખત વાતચીત થઈ રહી છે. રોકાણ માટે લોનનો નાનો હિસ્સો આપવો તે અલગ વાત છે, પરંતુ રણનીતિની દ્રષ્ટિએ તે એક આર્થિક બંદર છે, જે આ રીતે આપી દેવું બિલકુલ ખોટી વાત છે. તેના પર અમારું નિયંત્રણ હોવું જોઈએ. શ્રીલંકાને આપવામાં આવેલ લોનની ભરપાઈ નહીં કરી શકતાં વર્ષ 2017માં ચીને હમ્બનટોટા બંદરગાહને પોતાના અધિકાર હેઠળ લઈ લીધું હતું. રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકાને એક તટસ્થ…

Read More

હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકોની જીત પર સરકાર વિફરી, મીડિયાએ કહ્યું- મતદાન તોફાનીઓની ભેટ ચડ્યું

બેજિંગ: હોંગકોંગમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ્યાં એક તરફ લોકોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ ચીન આ પરિણામો પર લાલઘૂમ છે. ચીનના મીડિયાનું કહેવું છે કે લોકતંત્ર સમર્થકોને જીત એટલા માટે મળી કારણ કે લોકોમાં તેમનો ડર હતો. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું છે કે આ મતદાન તોફાનીઓની ભેટ ચડી ગયું છે. હોંગકોગમાં સોમવારે જાહેર થયેલા જિલ્લા પરિષદની ચૂંટણીના પરિણામોમાં લોકતંત્ર સમર્થક ઉમેદવારોને 452માંથી 390 સીટ પર જીત મળી . આ કુલ સીટોનું લગભગ 86 ટકા છે. વોટીંગમાં પણ હોંગકોંગના લોકોએ હોંશપૂર્વક ભાગ લીધો હતો. 2015ના 14.7 લાખ…

Read More