PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટેના કેમ્પમાં નાગરિકોનો બહોળા પ્રતિસાદ: ત્રણ દિવસમાં કુલ ૨૬૬૬ લાભાર્થીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. PMSVANidhi યોજના હેઠળ શેરી ફેરીયાઓને લોન મંજુરી માટે બેંકોની ઉપસ્થિતમાં તા.૧૩/૦૯/૨૦૨૩થી ૧૫/૦૯/૨૦૨૩ દરમ્યાન મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળતા બે દિવસ કેમ્પ લંબાવવામાં આવ્યો…

Read More

ઉમરાળા તાલુકા કક્ષાનો તા.૨૪ મે નાં રોજ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        રાજ્ય સરકારના આદેશ અનુસાર તા.૨૪ મે ૨૦૨૩ નાં રોજ ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઉમરાળા ખાતે માન.મુખ્યમંત્રીનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવા માટે રાખવામાં આવેલ છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલરદાર, ઉમરાળાને તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. જે પ્રશ્નો અંગેનો કોર્ટકેસ શરૂ હોય તેવા પ્રશ્નો ધ્યાને લેવામા આવશે નહી. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે.…

Read More

નવરાત્રિના પહેલાં નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવાનોને રોજગાર

હિન્દ ન્યુઝ, ભાવનગર           મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા. રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહાસિક ગૌરવ ઘટના છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકરૂપે ૧૭ જેટલા યુવાઓને પત્રો આપ્યા હતા. સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરપાલિકાઓમાં આયોજિત રોજગાર પત્ર વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ સહભાગી થયા હતા.  મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રોપેલા વિકાસના મજબૂત પાયાના પરિણામે…

Read More

બોટાદના સખીમેળામાં ભાગ લેવા આવેલા સ્વસહાય જુથોને મળ્યો બહોળો જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગ્રામિણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યવ્યાપી સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ઉપક્રમે બોટાદના કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પણ આ મેળો યોજાયો હતો. જેમાં સ્વ સહાય જુથો, કારીગરો, ખેડૂતોએ ભાગ લીધો હતો. સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં ભાગ લેનાર જોપાળી મા સ્વસહાય જુથ, બરવાળા,બોટાદના તૃપ્તિબેન મહેતાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10 વર્ષથી રેશમના હાથ બનાવટના જુલા બનાવીએ છીએ. બોટાદના સાળંગપુર ખાતે યોજાયેલા સખીમેળામાં અમને અનેક નવા ગ્રાહકો…

Read More

આત્મનિર્ભર થવાથી આત્માવિશ્વાસ વધે છે, બસ બહાર નીકળો : લાભાર્થી આશાબેન વાધેલા

હિન્દ ન્યુઝ, ભુજ  “જે બેનો (બહેનો) બહાર નથી નીકળીતા તે આગળ આવે, જે  પોતાની ઇચ્છા પ્રમાણે કામ નથી કરી શકતા તે આગળ વધે, આત્મનિર્ભર બને”. આ શબ્દો આત્મવિશ્વાસથી છલોછ્લ આત્મનિર્ભર બની આર્થિક કમાણી કરતા ૨૩ વર્ષીય રીક્ષાચાલક આશાબેન વાધેલાના છે.          કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં જી.કે. જનરલ હોસ્પીટલ ખાતે સામે ભાગે રીક્ષા સવારી સ્ટેન્ડમાં ઉભેલા આ રીક્ષાચાલક બે વર્ષથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડી રોજગારી મેળવી રહ્યા છે.           ઘરે બેઠેલા વયો વૃૃદ્ધ માતાપિતાના સંતાન તથા ધોરણ-૮ ભણેલા આશાબેન ફરસાણની દુકાનમાં છુટક કામ કરતા ચાર ભાઇઓને ખભેખભા મિલાવી આર્થિક સહયોગ કરે…

Read More

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર – ભાવનગર દ્વારા માનવ કલ્યાણ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કીટ્સ મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ભાવનગર          ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના ૨૦૨૨-૨૩ હેઠળ સ્વરોજગારલક્ષી સાધનો – કિટ્સ મેળવવા ઇચ્છતા અને સરકારએ ઠરાવેલ માપદંડો ધરાવતા અરજદારઓએ તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં http://e-kutir.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે. સરકાર દ્વારા નક્કી થયેલ માપદંડ મુજબ અરજદારના કુટુંબની આવક શહેરી વિસ્તારમાં ૧૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ કરતા ઓછી હોવી જોઇએ, જાહેરાતની તારીખે ઉંમર ૧૬ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અગાઉના વર્ષોમાં અરજદાર કે કુટુંબના…

Read More

રાજકોટ શહેરમાં અનલોક-3ના કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરતી રાજકોટ શહેર પોલીસ

રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ચુસ્ત પણે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં નિયમ અનુસાર સ્પા ચાલુ કરવાની મનાઈ હોવા છતા સ્પા સંચાલકો\માલિકો પોતાના આર્થિક લાભ માટે જાહેર જીવનમાં બેદરકારી દાખવી સ્પા ચાલુ રાખતા હોવાની માહિતી મળી હતી. રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનો, D.C.B પો.સ્ટે. S.O.G પેરોલ ફર્લો સ્કોડના માણસોની અલગ અલગ કુલ.૨૯ ટીમ બનાવી. રાજકોટ શહેરમાં આવેલ અલગ અલગ સ્પા ખાતે તપાસ કરી જે સ્પા ચાલુ જણાય તેઓ વિરૂદ્ધ કાર્યેદસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન કુલ.૧૪ સ્પા ચાલુ જોવા…

Read More

કંપનીએ નેટવર્થના 10%થી વધુ વ્યવહારોની જાણ કરવાની રહેશે

અમદાવાદ: તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે. રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે આમ કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત ઓળખીતી…

Read More

પેટીએમને 7000 કરોડનું રોકાણ મળ્યું, કંપનીનું હાલનું વેલ્યુએશન 1.14 લાખ કરોડ

નોઈડાઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને 1 અબજ ડોલર(7,171 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ વર્ષે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ટી રો પ્રાઈસ, અલીબાબા ગ્રુપની આન્ટ ફાઈનાન્શિયલ અને જાપાનની સોફટબેન્ક વિઝન ફન્ડે મળીને પેટીએમમાં આ ફન્ડિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ પેટીએમનું હાલનું વેલ્યુએશન 16 અબજ ડોલર(1.14 લાખ કરોડ રૂપિયા) માનવામાં આવી રહ્યું છે. વેલ્યુએશનમાં પેટીએમ દેશની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની પેટીએમએ ગત વર્ષે વોરેન બફેટની હેથવે પાસેથી 30 કરોડ ડોલરનું રોકાણ એકત્રિત કર્યું હતું. તે સમયે…

Read More

એલવીએમએચ ગ્રુપ 1.16 લાખ કરોડ રૂપિયામાં અમેરિકાની 182 વર્ષ જુની જ્વેલરી કંપની ટિફનીને ખરીદશે

ન્યુયોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રુપ એલવીએમએચ અમેરિકાની 182 વર્ષ જુની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને 16.2 અબજ ડોલર(1.16 લાખ કરોડ રૂપિયા)માં ખરીદીશે. ફ્રાન્સના એલવીએમએચ સોમવારે આ માહિતી આપી. આ એલવીએમએચની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. એલવીએમએચ 135 ડોલર પ્રતિ શેરના ભાવ પર ટિફિનીને ખરીદવા તૈયાર થયું છે. ટિફનીના વિશ્વભરમાં 300 સ્ટોર, 14 હજાર કર્મચારી ટિફનીની શરૂઆત ન્યુયોર્કમાં 1837માં થઈ હતી. 1961માં આવેલી આઈ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફિનમાં પણ તે વિશે જણાવવામાં આવ્યું. કંપનીના પ્રોડક્ટ્સના પેકિંગમાં વાપરવામાં આવનાર બ્લૂ બોક્સ તેની ખાસ ઓળખ છે. વિશ્વભરમાં કંપનીના 300 સ્ટોર અને 14…

Read More