રાજકોટ મનપા કતલખાનાઓ બંધ કરાવવા માં અસફળ રહેશે તો ‘હિન્દ રક્ષક સંઘ’ કરશે કાર્યવાહી

હિન્દ ન્યુઝ, રાજકોટ    રાજકોટ મનપા દ્વારા આગામી રામનવમી અને મહાવીર જયંતિ ના પાવન પર્વ નિમિત્તે કતલખાનાઓ, માંસ, મટન, ચિકન અને મચ્છી વગેરેના વેચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા માટે અને આ તેહવારોના દિવસે મનપાનાં જાહેરનામાનો ભંગ ન થાય તે અનુસંધાને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટરને ‘હિન્દ રક્ષક સંઘ’દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં ‘હિન્દ રક્ષક સંઘ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ, ગુજરાત સચિવ શ્રી કેતનભાઇ સંઘવી, સૌરાષ્ટ્ર પ્રાંત એડવોકેટ સેલ મહા સચિવ એડવોકેટ શ્રી ત્રિવેણીબેન રાઠોડ, ‘હનુમંત સેના’ નાં રાજકોટ શહેર ઉપાધ્યક્ષ શ્રી વિશાલભાઈ કવા, ‘દુર્ગાસેના’ નાં…

Read More

ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ૩૦ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું ડાયાબિટીસ અને હાયપરટેન્શન માટે સ્ક્રીનીંગ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવેલ. જેના અનુસંધાને તબીબી અધિક્ષક, મેડિસિન વિભાગના વડા તથા અને એન.સી.ડી. કલીનીકના સીનીયર તબીબના માર્દર્શન હેઠળ ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે પણ ‘એન.સી.ડી.સ્ક્રીનીંગ ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં સારવાર લેવા આવનાર ૩૦ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓને આ ડ્રાઈવનો લાભ મળી રહે તે રીતે આયોજન હાથ ધરાયું હતું. આ અભિયાન અંતર્ગત ગુરૂ…

Read More

ભાવનગર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ એપ્રિલના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લા કક્ષાનો એપ્રિલ -૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૪/૦૪/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે.    આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે,અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.

Read More

ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર    એપ્રિલ -૨૦૨૫ નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ (બુધવાર) ના રોજ સંબંધિત મામલતદા૨ કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા કલેકટર મહુવા, જિલ્લા વિકાસ અધિકારી પાલિતાણા તથા પોલીસ અઘિક્ષક ઉમરાળાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ ના અધિકારીઓ સંચાલન ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.    જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/ રજૂઆત, જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ- સરનામા અને મોબાઇલ…

Read More

ભાવનગરના સ્વચ્છ ભારત મિશન અર્બનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશીને ‘ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ’ એવોર્ડ એનાયત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના જાગૃત તબીબ ડૉ. તેજસ દોશીને ગુજરાત સરકારનો ‘ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫’ એવોર્ડ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા ના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગને છોડીને કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડૉ. દોશીએ બનાવેલી નવતર કપડાની બેગ પણ મંત્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. ડૉ. તેજસ દોશીના પર્યાવરણ રક્ષણ માટેના વિવિધ પગલાંની મંત્રીશ્રીએ નોંધ લઇને એમને એમની આ પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું…

Read More

આણંદ મહાનગરપાલિકા ખાતે છેલ્લા બે દિવસ દરમિયાન નગરજનોએ રૂપિયા ૮૫.૩૬ લાખનો વેરો જમા કરાવ્યો

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ મહાનગરપાલિકાને તારીખ ૩૧ માર્ચ ૨૦૨૫ ના સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ઉપરાંત તમામ ટેક્સમાંથી છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ ૧ લી એપ્રિલ ૨૦૨૪ થી તા. ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં ૩૫,૫૯,૪૨,૪૦૭/- રૂપિયાની આવક થઈ છે. જેમાં આણંદ ખાતે રૂપિયા ૨૪.૮૭ કરોડ ઉપરાંત, વિદ્યાનગર ખાતે ૫.૫ કરોડ ઉપરાંત કરમસદ ખાતે ૪.૫ કરોડ ઉપરાંત, લાંભવેલ ખાતે ૧૦.૫૪ લાખ, મોગરી ખાતે ૮.૩૩ લાખ, ગામડી ખાતે ૮.૯૮ લાખ અને જીટોડીયા ખાતે રૂપિયા ૧૩.૪૫ લાખ ઉપરાંતની આવક મળીને કુલ આવક રૂપિયા ૩૫.૫૯ કરોડ ઉપરાંત થયેલ છે. આ આવક પૈકી ૯,૭૭,૫૭,૨૭૮/-…

Read More

રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી

હિન્દ ન્યુઝ, બોટાદ                ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ ઋતુ ૨૦૨૫-૨૬માં રાજ્ય સરકાર દ્વારા ઘઉના લઘુતમ ટેકાના ભાવ રુ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી તા.૧૭ માર્ચ, ૨૦૨૫થી ઘઉની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.               લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તા. ૫.૦૪.૨૦૨૫ સુધી કરવામાં આવી…

Read More

બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ તા. ૨૩ એપ્રિલના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ              બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ મામલતદાર કચેરીના સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૩/૦૪/૨૦૨૫ બુધવારના રોજ સવારના ૧૧-૦૦ કલાકે યોજાનાર છે.             બરવાળા તાલુકાના જાહેર ફરિયાદ નિવારણ (“સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાના નાગરીકો તેમને રોજીંદા જીવનને સ્પર્શતા પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવા પ્રશ્નો રજૂ કરી શકાય છે.          સ્થાનિક તંત્ર…

Read More

જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે રાજપુત સમાજ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, કાલાવડ હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલા સુમનને તત્કાલ ધોરણથી સસ્પેન્ડ કરવા કાલાવડ તાલુકા રાજપુત સમાજની માંગ        સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણા સાંગા (સંગ્રામસિંહજી) પર અભદ્ર ટીપ્પણી કરવાના પગલે કાલાવડ તાલુકા રાજપુત સમાજ દ્વારા આજરોજ કાલાવડ મામલતદારને સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાનાં રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Read More

સાંસદ મિતેષભાઈ દ્વારા ઓડ‌ નગરપાલિકામાં રસ્તાનું નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાયું 

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું      આણંદના ઓડ શહેરમાં તા – ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ્તાનું નવીનીકરણ ૪૮ લાખ રુપીયા થી વધુ ના ખર્ચે ૩૧૦ મીટર રોડ નું નવીનીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે ઓડ નગરપાલિકા પ્રમુખ સંજય પટેલ,ઉપપ્રમુખ કેતન રાઓલજી, ઓડ શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ,કારોબારી કિરીટ અહીમકર, નગરપાલિકાના સૌ કાઉન્સિલો, સંગઠનનાં હોદ્દેદારો, નગરપાલિકા સ્ટાફમિત્રો, આગેવાનો, પ્રજાજનોની ઉપસ્થિતીમાં કાર્યકમ કરવામા આવ્યો. આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની 

Read More