સ્વસ્થ જીવનશૈલી માટે પ્રાકૃતિક કૃષિ પેદાશો અપનાવો

હિન્દ ન્યુઝ, જામનગર        આજના ઝડપી યુગમાં સ્વાસ્થ્ય જ સૌથી મોટી સંપત્તિ છે, અને આ સ્વાસ્થ્ય જાળવવા માટે રસાયણમુક્ત આહારનું મહત્વ અનિવાર્ય છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત જામનગરના નાગરિકોને ઉત્તમ, પોષણયુક્ત અને વ્યાજબી ભાવે પ્રાકૃતિક અનાજ, શાકભાજી, ફળફળાદી અને અન્ય ઉત્પાદનો મળી રહે તે માટે વિશેષ પ્રયાસો થઈ રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વિના ઉગાડવામાં આવતા પ્રાકૃતિક ઉત્પાદનોમાં વિટામિન્સ, ખનીજો અને એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા શરીરને વધુ સારી રીતે પોષણ આપે છે. આ ઉત્પાદનોનો સ્વાદ પણ કુદરતી અને ઉત્તમ હોય છે. આ…

Read More

ચોમાસામાં નદીના પટમાં અવર જવર ન કરવા જામનગર સિંચાઈ વિભાગ દ્વારા નાગરિકોને અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર સિંચાઈ વિભાગ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, આગામી તા.૧૫/૦૬/૨૦૨૫ થી ચોમાસાની શરૂઆત થઈ રહી છે.આથી ચોમાસા દરમિયાન ડેમના પાણીના સ્તરમાં વધારો થવાની સંભાવના છે. આથી, ડેમના દરવાજા ખોલવાની અથવા દરવાજા વગરના ડેમમાંથી આકસ્મિક રીતે વધુ માત્રામાં પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના પરિણામે નદીના પટમાં પાણીનો વેગવાળો પ્રવાહ આવી શકે છે.સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, તમારી અને તમારા જાનમાલની સુરક્ષા માટે ચોમાસા દરમિયાન નદીના પટમાં અવર-જવર ન કરવી. નદીના પટમાં પ્રવેશ કરવો અત્યંત ખતરનાક…

Read More

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર        આગામી જૂન અને જુલાઈ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા. ૧૯/૦૬/૨૦૨૫ ના ડો. કાલાષ્ટમી, તા. ૨૩/૦૬/૨૦૨૫ ના શિવરાત્રિ, તા.૨૭/૦૬/૨૦૨૫ ના અષાઢી બીજ (રથયાત્રા), તા. ૨૯/૦૬/ર૦ર૫ ના વિનાયક ચોથ, તા. ૦૩/૦૭/૨૦૨૫ ના દુર્ગાષ્ટમી , તા. ૦૬/૦૭/૨૦૨૫ ના મહોરમ તાજિયા તથા તા. ૧૦/૦૭/૨૦૨૫ ના રોજ ગુરુ પુર્ણિમા વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી…

Read More

લોકરક્ષકની ભરતી માટેની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર         પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષકની ભરતી માટેની લેખિત પરીક્ષા ભાવનગર શહેરમાં કુલ-૩૮ પરીક્ષા કેન્દ્રો પર તા.૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારના ૯-૩૦ થી બપોરના ૧૨-૩૦ કલાક દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.   ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ની પેટા કલમ(૧) મુજબ મળેલ સત્તાની રૂઈએ અધિક જિલ્લા…

Read More

૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે ભાવનગર મ્યુનિસિપલ કમિશ્નર એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર         આગામી ૨૧ મી જૂન, વિશ્વ યોગ દિવસની ઉજવણીના સુચારુ આયોજન અંગે આજે ભાવનગર મહાનગર પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે મ્યુનિસિપલ કમિશ્નર એન. કે. મીણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.  “Yoga For One Earth One Health” અને “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની થીમ સાથે ભાવનગર મહાનગર પાલિકા કક્ષાના કાર્યક્રમની સાથે તમામ શાળાઓ/કોલેજો, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, તમામ વોર્ડમાં તેમજ આઇકોનીક સ્થળો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને યોગ દિવસ સંબધિત જવાબદારીઓ સોંપવામાં આવી છે.  આ ઉજવણીમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે…

Read More

આણંદ જિલ્લાના મૃતકોના પાર્થિવ દેહને અનિવાર્ય કારણોસર કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે

અમદાવાદ વિમાન દુર્ઘટના હિન્દ ન્યુઝ, આણંદ     અમદાવાદ ખાતે તાજેતરમાં બનેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જેના મૃતકોની ઓળખ માટે તેમના સ્વજનોના ડી.એન.એ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવી રહી છે. ઘણા મૃતકોના પરિવારજનો વિદેશમાં વસવાટ કરતા હોવાથી તેઓ અંતિમ સંસ્કાર માટે વિદેશથી આણંદ ખાતે આવે ત્યાં સુધી મૃતકના મૃતદેહ ને સાચવવા માટે પણ અલાયદી વ્યવસ્થા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઊભી કરવામાં આવી છે. જે અન્વયે આણંદ જનરલ હોસ્પિટલ ના સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યાના જણાવ્યા મુજબ જિલ્લામાં ૧૦ હોસ્પિટલ ખાતે મૃતદેહ…

Read More

મૃતકોના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા કલેકટર

અમદાવાદ વિમાન દુર્ઘટના હિન્દ ન્યુઝ, આણંદ      તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આણંદ જિલ્લામાં તેમના વતનના ઘર સુધી લાવવા, અંતિમ સંસ્કાર સહિતની પ્રક્રીયા માટેની જરૂરી કાર્યવાહી માટેનું માર્ગદર્શન કલેકટર કચેરી આણંદ ખાતે આજે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ તાલુકાના પ્રાંત અધિકારીઓ સહીતના અન્ય ઉચ્ચ અધિકારીઓને આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ અધિકારીઓને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારજનોના ઘરે જતી વખતે તેમના સ્વજનની જેમ વર્તીને સૌજન્યતા દાખવવા અનુરોધ કર્યો હતો. કલેકટરએ આણંદ જિલ્લાના ૩૩ જેટલા…

Read More

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

હિન્દ ન્યુઝ, આણંદ     તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.  આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન રવાના કરવામાં આવી છે, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે. આણંદ જિલ્લાની કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન દ્વારા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતેથી…

Read More

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરો પૈકી ૩૨ મુસાફરોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા

હિન્દ ન્યુઝ, આણંદ     તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે.  આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ ૩૩ મૃતકો પૈકી ૩૨ મૃતકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લેવામાં આવ્યા છે. આ ડીએનએ નો રિપોર્ટ આવતા ૭૨ કલાક જેટલો સમય લાગે છે, આ ૩૨ પૈકી જે પરિવારજનોના ડીએનએ મેચ થશે તેઓને મૃતકનો મૃતદેહ આપવામાં આવશે. મૃતકોના મૃતદેહો માટે આણંદ જિલ્લાની ૧૯…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે શાંતિપાઠ અને પૂજા કરાયા

હિન્દ ન્યુઝ, સોમનાથ      અમદાવાદમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોની આત્માની શાંતિ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શાંતિપાઠ અને પૂજા-અર્ચના કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટ પરિવાર તરફથી ઈનચાર્જ જનરલ મેનેજર અજયકુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર, મંદિરના પૂજારીઓ, સ્થાનિક તીર્થપુરોહિતઓ અને દર્શને આવનાર ભક્તો દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાય ‘પુરુષોત્તમ યોગ’નો પાઠ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મહામૃત્યુંજય મંત્ર જાપ સહિત શાંતિ પાઠ કરવામાં આવ્યા હતા, જેથી દિવંગત આત્માઓને પરમાત્મા મોક્ષ પ્રદાન કરે અને તેમના પરિવારોને આ આઘાતજનક સમયમાં શાંતિ…

Read More