સંતરામપુર 123 વિધાનસભામાં મત વિસ્તાર ડીટવાસ જિલ્લા પંચાયતનાં જનસંપક કાર્યક્રમ કરવાઇ ખાતે યોજયો

હિન્દ ન્યુઝ, મહીસાગર      શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર અને દાહોદ લોકસભા ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પોતાના મતવિસ્તારમાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે જેને લઈને 123 સંતરામપુ વિધાનસભા મત વિસ્તારમાં ડીટવાસ જિલ્લા પંચાયત ખાતે જન સંપર્ક કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા દાહોદ લોકસભા સીટની 5 લાખથી વધુ મતોથી ભવ્યાતિભવ્ય જીત થાય એ માટે કટીબદ્ધ છે. ડીટવાસ જિલ્લા પંચાયત સીટની લોકસભા-2024 ની ચૂંટણીને અનુલક્ષીનેઆ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ,જિલ્લા સંગઠન…

Read More

જામનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     કેન્દ્ર સરકારના વાયેબીલીટી ગેપ ફંડિંગ યોજના હેઠળ સમાવિષ્ટ એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ–વે લિમિટેડને નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે. તેમજ, ગુનેગારો ગુનાના સ્થળેથી અન્ય જિલ્લા તેમજ રાજય બહાર પણ નાસી જતા…

Read More

કડાણા તાલુકાના જૂનીગોધર ગામે આદિવાસીઓનો પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહિસાગર      હોળી અને ધૂળેટીનો તહેવાર એટલે મહિસાગર નાં કડાણાનાં આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે. હોળી પહેલા અને હોળી પછી અનેક લોકમેળાઓ યોજાતા હોય કડાણા જૂની ગોધર ગામે ચાડીયાનો મેળો યોજાયો. મેળામાં મહિલાઓ લાકડીનો માર પુરુષોને મારે છે પુરુષો માર ખાતા-ખાત ચાડીયો છોડવા ઉપર પર ચડે છે આજે જૂની ગોધર ગામમાં માં પણ પરંપરાગત રીતે ચાડીયાનો મેળો યોજાયો હતો. જેમાં ગોળ, ખજૂર, અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી લાકડાની બેળ ઉપર બાંધવામાં આવે છે. ગોળ ફરતા વાંસની લાકડીઓ લઈ આદિવાસી લોકગીતો ગાતા જઈને મહિલાઓ…

Read More

બાણેજ ખાતે મંદિર પરિસરની સફાઈ કરી કલેક્ટએ સ્વચ્છતા સાથે પ્રકૃતિ જતનનો સંદેશ આપ્યો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ભારતના એકમાત્ર મતદાર ધરાવતા વિશિષ્ટ મતદાન મથક બાણેજની આજે સવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી તેમણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી સમાજને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. કલેકટરએ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો અને પ્રવાસનની જગ્યાએ નાગરિકો અને પ્રવાસીઓ કચરો અને ગંદકી ન ફેલાવે અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સ્વચ્છતાના અભિયાનમાં સહભાગી થાય તે માટેની અપીલ કરી હતી. કલેક્ટરએ સ્વચ્છતાની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે, ‘જંગલ એ…

Read More

મતાધિકારના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ- મહંત શ્રી હરિદાસજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા એવા શ્રી હરિદાસજીએ જણાવ્યું હતું કે, ‘બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું. મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે. મહંતે વધુમાં અપીલ કરતાં જણાવ્યું હતું કે, મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ. સમગ્ર દેશમાં તમામ…

Read More

શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આનંદ હિન્દ ન્યુઝ નાં પત્રકાર ભાવેશ સોની તેમજ સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની પરિવારના સૌજન્યથી શંકરા આઈ હોસ્પિટલ મોગર દ્વારા ઓડ ખાતે નેત્ર નિદાન શિબિરનું આયોજન કરાયું. આણંદના ઓડ નગરમાં તા-૨૧ મીના રોજ ઓડ ખાતે વિના મૂલ્યે આંખની તપાસ, મોતિયાના ઓપરેશન, ચશ્મા તેમજ આંખની તમામ સમસ્યાઓનું શંકરા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન શિબિરનું આયોજન કરાયેલ. આ શિબિરમાં ૨૫૭ કેસ નોંધાયા તેમાં વિના મૂલ્યે ૨૬૨ દૂર તેમજ નજીકના ચશ્મા તેમજ ૨૨ કેસ મોતિયાના ઓપરેશન માટે શંકરા આઇ હોસ્પિટલ મોગર ખાતે ખસેડવામાં આવ્યા. આયોજનમાં શંકરા આઈ હોસ્પિટલ સ્ટાફ અને મેડીકલ સ્ટાફ, ઓડ…

Read More

આદિવાસીઓ દ્વારા આગવી સંસ્કૃતિ અને પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી, લોકો ચાલે છે અંગારા પર

હિન્દ ન્યુઝ, મહિસાગર     મહિસાગર નાં કડાણા તાલુકામાં હોળીના તહેવારની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે હોળીના દિવસે વહેલી સવારે ગામના લોકો પોત પોતાના ઘરેથી હોળી સળગાવવા માટે લાકડા લાવે છે બધા લોકો ભેગા મળીને હોળીનું સ્થાન હોય ત્યાં મૂકવા જાય છે અને રાત્રે ગામ લોકો ભેગા થઈને હોળી માતાને પ્રગટાવે છે ઢોલના તાલે નાચ ગાન કરે છે અને વહેલી સવારે ગામની મહિલાઓ દ્વારા હોળીને પાણી રેડીને ઠંડી પાડવામાં આવે છે અને હોળીની અંદર માટીનો ઘડો મુકવામા આવે છે નીચે માટીના લાડવા બનાવીને મૂકે છે વહેલી સવારે ગામ લોકો ભેગા…

Read More

સોમનાથ પ્રભાસ પાટણમાં હોળી ધુળેટીના તહેવારો પ્રસંગે ઠેર ઠેર ભક્તિ ઉત્સાહ અને ઉંમગનું વાતાવરણ છે તેમજ પરંપરાગત રીતે ભૈરવનાથ દાદા ની પ્રતિમા બનાવાઈ

હિન્દ ન્યુઝ, સોમનાથ      સોમનાથના રામરાજ ચોક તથા પાચકલા એમ બે સ્થળોએ પ્રતિમા બનાવાયેલ છે હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદા ની મૂર્તિ બનાવે છે જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચળકતા કાગડોથી તેને શણગારવામાં આવેલ છે વહેલી સવારથી જ આ પ્રતિમાના દર્શન પૂજન માનતા કરવા લોકો ઉમટે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાંજના સમય બાદ આ મૂર્તિ સાનિધ્ય હોળી પ્રગટાવવામાં આવે છે અને હોળી પ્રગટાવ્યા બાદ હોળીમાં દાણીધારીયા હોમી તેમજ કળશમાં પાણી ભરી તેની આડે શ્રીફળ રાખી હોળીની જળ…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ  આજે જ્યારે સમગ્ર દેશમાં હોલિકા દહન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.  શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ)…

Read More

બોટાદના વિવિધ ગામોમાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમોની હારમાળા

હિન્દ ન્યુઝ, બોટાદ      લોકસભા ચૂંટણી-2024 અન્વયે બોટાદ જિલ્લામાં તમામ બોટાદવાસીઓ તથા ખાસ કરીને મહિલાઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા નોડલ TIP અક્ષય બુડાનિયાનાં માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મહિલાઓએ સહપરિવાર મતદાનનાં મંત્ર સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.

Read More