હિન્દ ન્યુઝ, ડાંગ હોસ્પિટલમાં પ્રસૂતિ અને જન્મ પછીના “ગોલ્ડન અવર” દરમિયાન સ્તનપાન, માતા અને બાળક બન્ને માટે જીવનદાયી સાબિત થાય છે. સ્તનપાનને વિશ્વભરમાં શિશુના જીવન, પોષણ, અને વિકાસનો આધારસ્તંભ માનવામાં આવે છે. માતાનું દૂધ કુદરતી રસી છે, જે અનેક રોગોથી બાળકને સુરક્ષિત રાખે છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૬ ના ઉદ્દેશ્યો • શિશુ અને નાનાં બાળકોના પોષણ માટે ટકાઉ માર્ગ તરીકે પરિવારો અને સમાજને સ્તનપાન વિશે માહિતગાર કરવું, • સ્તનપાનને સુરક્ષિત, પ્રોત્સાહિત અને સહાયરૂપ બનાવવા માટે મજબૂત નીતિ ઘડતર, • સરકારો, વ્યાવસાયિક સંસ્થાઓ, સમાજ અને વ્યક્તિઓ વચ્ચે સહકાર વધારીને…
Read MoreCategory: Health
નર્મદા જિલ્લામાં ભારે વરસાદની રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ‘ઓપરેશન સેફ ડિલિવરી’
હિન્દ ન્યુઝ, નર્મદા 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કર્યાં, 25 સગર્ભાઓની સફળ ડિલિવરી નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના 6, નાંદોદ તાલુકાના 6, ચિકદા તાલુકાના 5, સાગબારા તાલુકાના 4, તિલકવાડા તાલુકાના 3 અને દેડીયાપાડા તાલુકાના 1 એમ કુલ મળી 25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી; હાલમાં તમામ 25 નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે : જિલ્લા આર.સી.એચ. અધિકારી
Read Moreવડોદરા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા સઘન આરોગ્ય તપાસ અને રોગ અટકાયતી કામગીરી
હિન્દ ન્યુઝ, વડોદરા હાલની ચોમાસાની અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન આરોગ્ય તપાસણી અને રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ૩૬૧ જેટલી મેડિકલ અને પેરામેડિકલ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત આરોગ્ય ટીમો દ્વારા ૩૭૨ જેટલી સગર્ભા બહેનોની રૂબરૂ મુલાકાત લઈ તેમની આરોગ્ય તપાસ અને જરૂરી કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. વરસાદી પરિસ્થિતિ અને પૂરના જોખમને ધ્યાને રાખીને, નદીકાંઠાના વિસ્તારોમાંથી ૧૨૦ જેટલી સગર્ભા બહેનોને…
Read Moreભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માંડવી તાલુકામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.ત્યારે માંડવી તાલુકાના મોટીચેર, જાંખલા, કાકરાપાર ગામોમાં ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી ઓસરી ગયા બાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પીવાના પાણીનું ક્લોરીનેશન, સાફસફાઇ, દવાનો છંટકાવ (ડસ્ટિંગ), આવશ્યક સ્થળોએ ફોગિંગ, તેમજ સ્થાનિક નાગરિકોના હેલ્થ ચેક-અપ કરીને જરૂરિયાત મુજબ સારવાર અને દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે મુલાકાત લઈ તાવ, ઝાડા-ઊલટી, ચામડીના રોગો અને…
Read Moreઆરબીએસકે ટીમની ત્વરિત કામગીરીથી જન્મજાત એનોરેક્ટલ ખોડખાંપણ ધરાવતા નવજાત શિશુનું સફળ ઓપરેશન
હિન્દ ન્યુઝ, દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી, ઝાલોદ ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમયસર કરવામાં આવેલી કામગીરીના પરિણામે એક નવજાત શિશુને નવજીવન મળ્યું છે. ગુલતોરા ગામના નિવાસી શ્રીમતી જશોદાબેન સુરેશભાઈ નિસરતાને તા. ૦૪/૦૭/૨૦૨૬ના રોજ મહીપ હોસ્પિટલ, ઝાલોદ ખાતે પ્રસૂતિ થઈ હતી. જન્મ બાદ નવજાત શિશુમાં Imperforate Anus (Anorectal Malformation – ARM) જેવી ગંભીરi જન્મજાત ખામી હોવાનું નિદાન થયું હતું. આ અંગેની જાણ થતા જ ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે (RBSK) ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીએચસીના તબીબ…
Read Moreયોગના કારણે મને માનસિક બીમારીમાંથી મુક્તિ મળી – દિલીપભાઇ ઠક્કર, ભુજ
હિન્દ ન્યુઝ, ભુજ યોગ ભારતની પ્રાચીન ધરોહર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ સમગ્ર વિશ્વે યોગને અપનાવ્યો છે. આ નિમિત્તે દર વર્ષે ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે યોગ એક દિવસ પુરતો નહીં પણ બારેમાસ જીવનમાં અપનાવવામાં આવે તો તે શારીરીક અને માનસિક વ્યાધિમાંથી મુક્તિ આપવા સક્ષમ છે તેવું, છેલ્લા ૧૬ વર્ષથી યોગસાધના કરતા ભુજના ૫૨ વર્ષીય દિલીપભાઇ ઠક્કરે જણાવ્યું હતું. આજથી ૧૯ વર્ષ પહેલા તેમનું માનસિક સ્વાસ્થ્ય કથળતા તેમને મનોચિકિત્સક પાસે સારવાર લેવાની જરૂર પડી. માનસિક બીમારી માટે તેમને હેવી ડોઝની ગોળીઓ લેવી…
Read Moreસમગ્ર જિલ્લામાં જુદા-જુદા ૫૦ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ક્રીડા ભારતી જૂનાગઢ વિભાગ દ્વારા આજરોજ સમગ્ર જિલ્લામાં જુદા-જુદા ૫૦ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ગામો, નગરો, શૈક્ષણિક સંસ્થાઓ તથા જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં રમતવીરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને યોગપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમો દરમિયાન યોગના મહત્વ, સ્વસ્થ જીવનશૈલી અને દૈનિક જીવનમાં યોગને અપનાવવાના સંદેશ સાથે વિવિધ યોગાસનો તથા પ્રાણાયામનું સામૂહિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ નિયમિત યોગ કરી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. ક્રીડા…
Read More🩸 ડાંગ જિલ્લામાં “વિશ્વ સિકલ સેલ દિવસ” ની વ્યાપક ઉજવણી: જનજાગૃતિ અને નિદાન અભિયાનનો પ્રારંભ! 🩺
હિન્દ ન્યુઝ, ડાંગ આદિવાસી વિસ્તારોમાં વધુ જોવા મળતા આનુવંશિક રક્તરોગ ‘સિકલ સેલ એનિમિયા’ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ નિદાન શિબિરો, આરોગ્ય મેળાઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 📌 કાર્યક્રમની મુખ્ય વિગતો અને મહત્વની બાબતો: 🏥 જિલ્લા વ્યાપી અભિયાન: તમામ PHC, CHC, સબ-સેન્ટર્સ અને સાપુતારાની ઋતુમ્ભરા સ્કૂલ ખાતે વિશેષ સ્ક્રિનિંગ અને માર્ગદર્શન સત્રો યોજાયા. 🔍 મફત સુવિધાઓ: ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકો માટે નિઃશુલ્ક સ્ક્રીનિંગ, બ્લડ ટેસ્ટ અને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. 💡 કાઉન્સેલિંગ: આરોગ્ય ટીમો દ્વારા સગર્ભા…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં ૦૯ જૂન ૨૦૨૬ના રોજ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત અભિયાનના સફળ ૧૦ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે અતિ જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ માટેના વિશેષ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૧ જનરલ હોસ્પિટલ, ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કુલ ૬૫ જેટલા વિશેષ મેડિકલ કેમ્પ યોજાયા હતા. આરોગ્ય કેમ્પોમાં જિલ્લાભરમાંથી કુલ ૩૪૬૧ જેટલી સગર્ભા માતાઓની તબીબી અધિકારીઓ અને નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) તબીબો દ્વારા ઝીણવટભરી…
Read Moreજૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું” ના સંકલ્પ અને ૧૦ વર્ષની આ સેવાયાત્રાને બિરદાવવા માટે યોજાયેલા આ કેમ્પમાં માળિયાહાટીના પંથકની બહોળી સંખ્યામાં સગર્ભા, માતાઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ સગર્ભા માતાઓનું બ્લડ પ્રેશર (BP) અને વજનની ઝીણવટભરી તપાસ…
Read More