વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી “સાયકલ રેલી” યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     આજે વિશ્વ મેલેરિયા દિવસ છે. આ દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટી થી લઇને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોરહરસિહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્વવ વધુ હોય છે. જેના કારણે બિમારી પણ ફેલાય છે. આ બધા વિશે…

Read More

ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીથી બચવા આટલી બાબતોનું ધ્યાન રાખીએ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     ઉનાળાની ઋતુ દરમિયાન વધારે ગરમીના સમયે ગરમીથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ગરમીથી બચવા માટે તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જોઈએ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનું સેવન કરવું જોઈએ, બની શકે તેટલું ઘરની અંદર રહેવું, હળવા, હળવા રંગના, ઢીલા, તથા સુતરાઉ કપડાં પહેરવા, જો બહાર હોવ તો કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, આંખોને બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરવો અને ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ…

Read More

જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે જામનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? (1) સ્થાનિક હવામાનની આગાહી માટે રેડિયો સાંભળો, ટીવી જુઓ તથા અખબાર વાંચો. (2) પુરતું પાણી પીવું જોઈએ. તેમજ ORS લિકવીડ, ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, પાકી કેરીનો રસ, કાચી કેરી, લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે. (3) હળવા વજનના, હળવા રંગના, ઢીલા…

Read More

ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની સંભાવનાઓને જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે ભાવનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ? (1) પુરતું પાણી પીઓ : તરસ ના લાગે તો પણ, તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., ઘરે બનાવેલા શુદ્ધ પીણાં જેવા કે લસ્સી, તોરાની (ચોખ્ખું પાણી), લીંબુપાણી, છાશ વગેરનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. જે શરીરને ફરીથી હાયડ્રેટ કરવામાં મદદ કરે છે. (૨) બને તેટલું ઘરની અંદર રહો. (3) હળવા, હળવા રંગના, ઢીલા અને…

Read More

સન સ્ટ્રોક (લૂ) થી બચવાના આરોગ્યલક્ષી સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. આખુ શરીર અને માથું ઢંકાય…

Read More

આણંદ જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા દીઠ એક દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન તૈયાર કરાશે

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી મે માસમાં તારીખ ૭ મી ના રોજ આણંદ જિલ્લામાં સમગ્ર રાજ્યની સાથે સાથે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આણંદ જિલ્લાની લોકસભા સામાન્ય ચુંટણી માટે જિલ્લાની પ્રત્યેક વિધાનસભા દીઠ ૧ દિવ્યાંગ સંચાલિત પોલિંગ સ્ટેશન બનાવવાનું છે. તે અંતર્ગત આણંદ જિલ્લાની ૭ વિધાનસભામાં કુલ મળી ૭ દિવ્યાંગ સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં તૈયાર કરવામાં આવનાર વિધાનસભા દીઠ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકની વાત કરીએ તો, ૧૦૮-ખંભાત વિધાનસભા મતવિસ્તારમાં ૧૧૮-ખંભાત ખાતે…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટ અને ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા યાત્રી સુવિધા કેન્દ્ર (T.F.C) ખાતે નિ:શુલ્ક દંતયજ્ઞ કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, સોમનાથ        શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની સુખાકારી માટે વિના મૂલ્યે સારવાર તથા નિદાન કેમ્પ યોજાય છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ ટી.એફ.સી( ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર) ખાતે દર માસની 1 લી તારીખે દંતચિકિત્સા કેમ્પ સવારે 09:00થી12:30 વાગ્યા સુધી યોજાય છે.       આજરોજ આ દંતચિકિત્સા કેમ્પ શ્રી સોમનાથ ટી.એફ.સી (ટુરિસ્ટ ફેસીલીટી સેન્ટર)ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ ડિવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ.જે દંતચિકિત્સા કેમ્પમાં ડોક્ટર,નર્સિંગ સ્ટાફ દ્વારા (67) જેટલા દર્દીઓનું નિદાન કરી.(40) જેટલા લાભાર્થીઓને બત્રીસી ફીટ કરી આપવામાં આવેલ.જેનો લાભાર્થીઓ એ લાભ લઇ શ્રી સોમનાથ ટ્રસ્ટ…

Read More

સન સ્ટ્રોક (લૂ) થી બચવાના આરોગ્યલક્ષી સૂચનો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુ:ખાવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું. આખુ શરીર અને માથું ઢંકાય…

Read More

લોકસભા સામાન્ય ચુંટણી દરમિયાન હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હિટવેવ નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ

હિન્દ ન્યુઝ, આણંદ     ભારતના હવામાન વિભાગે આગામી ઉનાળાની ઋતુ દરમિયાન સામાન્ય તાપમાનથી વધુની સંભાવનાને પરોક્ષ રીતે નિર્દેશિત કરી છે. જૂન મહિના સુધી હિટવેવ વધુ મજબૂત અને લાંબા સમય સુધી પરિવર્તિત થઈ શકે છે, જેને ધ્યાને લઈ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા પણ આ બાબતે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ગરમીના મોજાની અસરને ઘટાડવા અંગે પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. જેને ધ્યાને લઈ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત હીટવેવની અસરને નિવારવા માટેના પગલાં લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્ય જિલ્લા…

Read More

ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા જામનગર આરોગ્યતંત્રની અપીલ

હિન્દ ન્યુઝ, જામનગર      ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સનસ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. લુ લાગવા (સનસ્ટ્રોક) ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી. જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી,…

Read More