હિન્દ ન્યુઝ, ભુજ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત તો દેશ પણ તંદુરસ્ત કહેવાય છે. વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને આહાર અંગે જાગૃતિ લાવી નાગરિકો સ્વસ્થ જીવન જીવે તેના પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાર મુકી “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાન કર્યુ હતું. જે આહવાનને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ તેમના નેતૃત્વમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ રાજ્યની જનતામાં સ્વસ્થ જીવનશૈલીની અભ્યાસપ્રવૃત્તિ ઊભી કરીને મેદસ્વિતા સામે સામૂહિક જાગૃતિ અને લડત ઉભી કરવા માટેનો છે.…
Read MoreCategory: Health
મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મેદસ્વી બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, ભુજ સ્વસ્થ રહેવાનો સચોટ માર્ગ એટલે યોગ. કસરત, યોગ, પ્રાણાયામ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. યોગથી શારીરિક અને માનસિક સ્વસ્થ રહી શકાય છે. યોગ થકી બાળકોની તેજસ્વીતા અને એકાગ્રતામાં વધારો થાય તથા મેદસ્વિતાને નાથવા મદદરૂપ બને છે. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા બાળકો સ્વસ્થ, તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત બની શકે તે હેતુથી જિલ્લામાં નિઃશૂલ્ક સમર યોગ કેમ્પ યોજાનાર છે ત્યારે આપના બાળકોને તેનો ભાગ બનાવીએ. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકાઓમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં દરેક બાળકોને અનુભવી અને સર્ટિફાઇડ…
Read Moreઅમદાવાદ નાં વિવિધ ખાતાઓમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો કલેક્ટર કચેરીના અધિકારીઓ – કર્મચારીઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે ‘બ્લડ ડોનેશન કેમ્પ’ યોજાયો જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના માર્ગદર્શનમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ જિલ્લા પંચાયતના કર્મીઓએ સહભાગી થઈ રક્તદાન કર્યું ‘મિશન સિંદુર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત વિરમગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો વિરમગામ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ વગેરેએ રક્તદાન કરીને ઉત્સાહ વધાર્યો ધોળકા સેવા સદન ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ‘મિશન સિંદૂર – એક રક્તદાન દેશ કે નામ’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક…
Read Moreમેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન – સમર યોગ કેમ્પ
હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના ૭ થી ૧૫ વર્ષની વયના બાળકો માટે સમર યોગ કેમ્પનું આયોજન તા.૧૬ મે થી આગામી તા.૩૦ મે સુધી જિલ્લાના પાંચ સ્થળોએ બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિર યોજાશે. આ સમર યોગ કેમ્પનો હેતુ બાળકોને સ્વસ્થ અને મેદસ્વિતા મુક્ત બનાવી, બાળકોના તન અને મન તંદુરસ્ત બનાવવાનો છે. યોગ બાળકને મેધાવી, તેજસ્વી,એકાગ્ર અને યાદશક્તિમાં વધારો કરી, બાળકોની ક્ષમતા અને શરીરના લચીલાપણામાં વૃદ્ધિ કરે છે. Nપંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકામાં શારદા મંદિર સ્કૂલ અને રેલવેડાઉન યાર્ડ ખાતે, હાલોલ તાલુકામાં વી.એમ.સ્કૂલ ખાતે,…
Read Moreસાવચેતી સાથે સારવાર એટલે ડેન્ગ્યુનો સફાયો
હિન્દ ન્યુઝ, વલસાડ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમઃ ‘‘Check clean cover : steps to defeat dengue’’ રાખવામાં આવી એડીસ મચ્છર કરડવાના ૫ થી ૬ દિવસ બાદ ડેન્ગ્યુનો તાવ વ્યકિતમાં જોવા મળે છે, જે લીવર અને કિડનીને પણ અસર કરી શકે છે વહેલુ નિદાન, ત્વરિત સારવાર- મચ્છર નિયંત્રણ એ સરકારની સાથે સમાજની પણ વિશેષ જવાબદારી
Read Moreયુવાઓને ટાર્ગેટ કરતા ડ્રગ્સનાં દુષણ સામે રાજકોટ શહેર પોલીસની સતર્કતાથી કામગીરી શરૂ
હિન્દ ન્યુઝ, રાજકોટ ખાસ કરીને યુવાઓને ટાર્ગેટ કરતા ડ્રગ્સનાં દુષણ સામે રાજકોટ શહેર પોલીસ ડ્રગ્સ વેચાણકર્તા, ઉત્પાદક કે વાવેતર કરતા લોકો સામે સતર્કતાથી કામગીરી કરી રહી છે, જેની સમીક્ષાર્થે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. આ તકે પોલીસ કમિશ્નરએ શાળા, કોલેજના છાત્રો ચરસ, ગાંજો કે સિન્થેટિક ડ્રગ્સના દુષણનો શિકાર ન બને તે માટે પોલીસ વિભાગના એસ.ઓ.જી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓને ખાસ તકેદારી રાખવા તેમજ ડ્રગ્સ વેચાણકર્તા પર વોચ રાખી તેમના નેટવર્કને તોડી પાડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં ડ્રગ્સ વેચાણકર્તાની લોકો દ્વારા જાણકારી…
Read Moreઅમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 100 બાળકોને કોકલિયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું નિ:શુલ્ક વિતરણ કરાયું… ₹5.5 કરોડના ખર્ચે 220 જેટલા બાળકોને મશીનનું બીજીવાર ફિટિંગ-મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું.. બધીરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકોનું ભણતર અટકી ન જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું ન બને તેના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે : આરોગ્યમંત્રી
Read Moreઆંતરરાષ્ટ્રીય નર્સ દિવસ
હિન્દ ન્યુઝ, વડોદરા દર વર્ષે 12 મી મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવાય છે, જે વૈશ્વિક સ્તરે નર્સની સેવા, સમર્પણ અને માનવતાવાદી અભિગમ માટે તેમને સન્માન આપવાનો દિવસ છે. રોગીઓની સંભાળ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસમાં નર્સોનું યોગદાન અમૂલ્ય છે. ગુજરાતમાં 61 સરકારી સંસ્થાઓમાં 1920 સીટ અને 997 ખાનગી સંસ્થાઓમાં 47,170 સીટ સાથે નર્સિંગના કોર્સ કાર્યરત. વડોદરા જિલ્લામાં પણ નર્સિંગ અભ્યાસક્રમો ચાલી રહ્યા છે, જેમાં અનેક સરકારી તથા ખાનગી સંસ્થાઓ યુવાનોને નર્સિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા મ
Read Moreજિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ રક્તદાન કરી અન્ય માટે ઉદાહરણ પ્રસ્તુત કર્યું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જો રક્તની જરૂરિયાત ઉભી થાય તો સામાન્ય નાગરિકો સહિત કોઈને પણ મુશ્કેલી ન ભોગવવી પડે તેવા શુભ હેતુસર ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થકી વેરાવળ મણિબહેન કોટક સ્કૂલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવાના અવસરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરિચા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, ખેતીવાડી અધિકારી અશોક ચૌધરી તેમજ રેવન્યૂ વિભાગ, ખેતીવાડી, શિક્ષણ વિભાગ સહિત સરકારના અલગ-અલગ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક પોતાની સહભાગીદારી નોંધાવી હતી.
Read More૮મી મે – વિશ્વ થેલેસેમિયા દિવસ
હિન્દ ન્યુઝ, અમદાવાદ થેલેસેમિયા નિવારણના ધ્યેયમંત્ર સાથે કામગીરી કરતી સંસ્થા એટલે ‘ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી’ ગુજરાતમાં થેલેસેમિયા અને સિકલ સેલ જેવી હીમોગ્લોબિનોપથીઝને નાબૂદ કરવા ૨૦૦૪થી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો ‘થેલેસેમિયા અને સિકલ સેલ પ્રિવેન્શન પ્રોગ્રામ’ કાર્યરત વ્યાપની દૃષ્ટિએ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયામાં પહેલો મોટો પ્રોગ્રામ
Read More