આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલ, એસ.ટી.ડેપો, ગ્રામ પંચાયત, આંગણવાડીમાં ORSના પેકેટ વિતરણ કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હિટવેવની આગાહીને અનુલક્ષીને આજે જિલ્લાની વિવિધ સ્કૂલ, એસ.ટી. ડેપો, આંગણવાડી સહિતમાં ORSના પેકેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા હિટવેવને ધ્યાને લઈને જિલ્લાની વિવિધ સ્કૂલો, આંગણવાડી, ગ્રામ પંચાયત, એસ.ટી.ડેપો સહિતના સ્થળોએ ORS પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે કેવી રીતે બનાવવું તે અંગે સમજણ આપી હતી.

Read More

વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદમાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક ઝાંખી..

હિન્દ ન્યુઝ, આણંદ      વિશ્વ આરોગ્ય દિવસના અવસરે આણંદ જિલ્લામાં આરંભાયેલો આરોગ્ય યજ્ઞની એક આગવી ઝાંખી જોઈએ તો… •ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતા કુટુંબોને આરોગ્ય લક્ષી સેવાઓ વિનામૂલ્ય મળી રહે તે માટે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકવામાં આવી છે.  •આણંદ જિલ્લામાં ૮ તાલુકાઓમાં ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૮ શહેરી આરોગ્ય કેન્દ્ર ૧૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એક ડીસ્ટ્રીક હોસ્પિટલ, એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ૨૨૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં માતૃબાળ કલ્યાણ, કુટુંબ કલ્યાણ, આયુષ્માન ભારત, રસીકરણ, ડાયાલિસિસ સેન્ટર, વિવિધ ચેપી રોગો તથા બિનચેપી રોગોની સેવાઓ…

Read More

“૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ” : સ્વસ્થ શરૂઆત – આશાસ્પદ ભવિષ્ય

હિન્દ ન્યુઝ, આણંદ     World Health Day વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા 7 એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને પોતાના સ્વસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. આજે વિશ્વ ચિકિત્સાના ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે, પરંતુ બીજી બાજુ લોકોની ફાસ્ટ બનતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઇને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.  “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણીનો ઇતિહાસ જોઇએ તો, ઇ.સ.1948માં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના…

Read More

બ્રેઈન ડેડ થયેલા પતિના અંગદાનના નિર્ણય થકી પત્નીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગરમાં ગત તા. ૧૮ માર્ચના રોજ મૂળ બિહારના ૪૦ વર્ષીય યુવક ઉમેશ શાહ અકસ્માતનો ભોગ બનતાં તેઓને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરી લીવર, બે કીડની અમદાવાદની હોસ્પીટલની ટીમને સોંપ્યા હતા. અને અને બન્ને ચક્ષુનો ઉપયોગ જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થશે. આમ પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળશે. યુવકના પત્નીએ અન્ય લોકોને પણ અંગદાનની ઝૂંબેશમાં જોડાવા…

Read More

હીટ વેવ વખતે પશુઓની વિશેષ કાળજી રાખો

હિન્દ ન્યુઝ, બોટાદ               હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાનાં પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા બોટાદ, રાણપુર અને ગઢડા મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરનાં સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓનાં…

Read More

માછીમારનો જીવ બચાવતી વેરાવળની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    દરિયામાં આશરે ૬૫ વર્ષનો માછીમારને માછીમારી કરતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતો હતો. આ ઘટના બાદ જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટ ગાર્ડને અને ઈમરજન્સી સર્વિસ ૧૦૮ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં. કોલરનો કોલ મળતા વેરાવળ ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ગોવિંદા ભગત અને પાયલોટ ભરત બાંભણિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટ ગાર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, દર્દી હજુ પણ દરિયામાં છે અને છાતીમાં અસહ્ય દુઃખાવો ચાલુ જ છે. જે પછી તરત જ દર્દીને કિનારે…

Read More

“ટીબી હારેગા, દેશ જીતેગા”: ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ

આજે 24 માર્ચ: વિશ્વ ક્ષય રોગ દિવસ હિન્દ ન્યુઝ, બોટાદ              રોગની નાબૂદી તરફ લેવાયેલું દરેક પગલું, ગરીબોનાં જીવનની સુધારણા સાથે જોડાયેલું છે, ટીબી ચિકિત્સકો અને કાર્યકરો ટીબી રોગને દૂર કરવાનાં અભિયાનનો મહત્વનો ભાગ છે અને જે દર્દીઓને આ રોગ નાબૂદ થાય છે તેઓ અન્ય લોકો માટે પણ પ્રેરણા બને છે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી             વિશ્વ ક્ષય રોગ દિવસ દર વર્ષે 24 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને આ રોગ અને તેના નિવારણ વિશે જાગૃત કરવાનો…

Read More

ઉનાળું પાકોમાં થતી જીવાતો અને નિયંત્રણ મેળવવાના ઉપાયો

હિન્દ ન્યુઝ, બોટાદ            ખેડૂતમિત્રો ચાલું વર્ષે ઉનાળું પાકોનું વાવેતર સારું એવું થયેલ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનાં વિસ્તારમાં મુખ્ય તલ પાકનું વાવેતર થયું છે, ત્યારબાદ મગફળી, બાજરી, મગ, અડદ, શાકભાજીનાં પાકો (ભીંડો, ગુવાર, તુરિયા, ચોળી, વિગેરે) અને ઘાસચારાનું વાવેતર થાય છે. ઉનાળું પાકોમાં પાક ઉત્પાદન સારું મળતું હોય છે જેનું મુખ્ય કારણ ઉનાળું સિઝનમાં ચોમાસું સિઝનની સરખામણીમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. તેમ છતાં ઉનાળું સિઝનમાં તાપમાન ઊંચું રહેવાના કારણે ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે રહે છે.…

Read More

લૂ લાગવાનાં પ્રારંભિક લક્ષણો ઓળખો 

હિન્દ ન્યુઝ, બોટાદ                  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી હીટવેવની આગાહી અન્વયે બોટાદ જિલ્લામાં હીટવેવથી બચવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રવર્તમાન સમયમાં આકસ્મિક રીતે વાતાવરણમાં થયેલ ફેરફારોનાં કારણે અને વધુ પડતી ગરમી(લૂ)ની અસરથી બચવા માટે જનહિતમાં લોકોનાં સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતાં, લૂથી બચાવ માટેનાં કેટલાક સરળ સૂચનો કરવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ખેતરમાં કામ કરતાં શ્રમિકો, રોડકામ કરતાં તથા બાગ બગીચાનું કામ કરતાં શ્રમિકોને સન-સ્ટ્રોક (લૂ) લાગવાની શકયતા ઘણી…

Read More

શંકરા આઇ હોસ્પિટલ-મોગર અને સોની પરિવારના સહયોગથી નેત્રદાન શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાનામાં શિબિરનું આયોજન કરાયું ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(સુદર્શન ન્યુઝ, હિન્દ ન્યૂઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ         ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ. આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા. જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય, આંખના ઓપરેશનની જરુર હોય…

Read More