હિન્દ ન્યુઝ, ડાંગ એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લામા લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ (હાથીપગા) રોગના દર્દીઓ નોંધાતા જિલ્લાના તાલુકા વિસ્તારના તમામ લોકોને આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન દરેક લોકોને આરોગ્ય વિભાગ દ્વારા DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વઘઇ તાલુકાના તમામ લોકોને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરાયેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા દવા વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર…
Read MoreCategory: Health
આયુર્વેદ ચમત્કાર સર્જે છે, પગે ચાલી ન શકતી ધરમપુરની મહિલા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર મેળવી ચાલતી થઈ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ, ધરમપુર, નવસારી અને સુરતની અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર પાછળ રૂ. ચાર લાખનો ખર્ચ કર્યો પણ કોઈ ફરક ન પડ્યો એક ખાનગી હોસ્પિટલના તબીબે તો, દર ૧૦ દિવસે પ્લાઝમા ટ્રાન્સપ્લાન્ટ કરાવવુ પડશે ત્યાં સુધીની વાત કહી દીધી હતી એક દિવસે દીકરાએ મોબાઈલમાં વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં દર્દી સાજા થવાની રિલ્સ જોઈ અને માતાને સારવાર માટે લઈ આવ્યો પહેલા ત્રણથી ચાર માણસોએ પકડીને મહિલાને ચલાવવું પડતું હવે કોઈના સહારા વિના સ્વતંત્ર ચાલે છે ‘‘મને એવુ લાગતુ હતું કે, મને લકવો લાગી જશે, આજીવન પથારીવશ રહીશ પરંતુ…
Read Moreગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ દાહોદના દેવગઢ બારીયાની આર એસ પટેલ હાઈસ્કૂલ ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ શિબિરનું કરાયું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ર૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો…
Read Moreતા. 4 ફેબ્રુઆરી, વિશ્વ કેન્સર દિવસ – 2026
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (GCRI) દેશનું વિશ્વસનીય કેન્સર સારવાર કેન્દ્ર બની; 26,810થી વધુ દર્દીઓને નવજીવન તેમજ 9140થી વધુ અન્ય રાજ્યોના દર્દીઓએ મેળવી સારવાર 🔹 વર્ષ 2025માં 2.59 લાખથી વધુ OPD વિઝિટ્સ, 17,800થી વધુ સર્જરીઓ અને 50,130થી વધુ કીમોથેરાપી GCRIમાં સંપન્ન થઈ 🔹 ફક્ત 6 મહિનામાં GCRIમાં 50 રોબોટિક સર્જરી, ગત 3 વર્ષમાં 40 અત્યાધુનિક HIPEC પ્રોસીઝર થઈ; 2021-2025 દરમિયાન અત્યાધુનિક PET-CT સ્કેન પણ 1813થી વધીને 6333 થયા 🔹 ઓક્ટોબર 2021થી શરૂ થયેલ ‘નો-કોસ્ટ કેન્સર સ્ક્રીનિંગ OPD’માં અત્યારસુધીમાં 50,000થી વધુ લોકોનું સ્ક્રીનિંગ, 118 કેન્સરના કેસની પ્રારંભિક…
Read Moreગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતે “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ ખાતેના ઓરલ મેડીસીન અને રેડીયોલોજી વિભાગ દ્વારા “વિશ્વ રેડિયોલોજી દિવસ”ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણી ઈ.સ. ૧૮૯૫માં ૮ નવેમ્બરના રોજ વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એક્સ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલ દર્દીઓ તથા સગા-સબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, “ઓરલસ્કેન” નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની…
Read Moreતબીબી ક્ષેત્રે જામનગરની અનેરી સિદ્ધિ
હિન્દ ન્યુઝ, જામનગર સૌરાષ્ટ્રની આરોગ્ય સેવાનો આધારસ્તંભ ગણાતી, રાજ્યની બીજા ક્રમની સરકારી શ્રી ગુરુ ગોબિંદસિંગ સરકારી હૉસ્પિટલ, જામનગરના તબીબી જગતમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હૉસ્પિટલના સ્કિન વિભાગે એક અત્યંત ગંભીર અને જીવલેણ ચામડીના રોગ (SJS-TEN સિન્ડ્રોમ)થી પીડિત યુવતીનો સફળતાપૂર્વક ઈલાજ કરીને તેને નવજીવન બક્ષ્યું છે. પોરબંદરની ૨૦ વર્ષીય યુવતીને સ્ટીવન જ્હોનસન સિન્ડ્રોમની ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી, જે ઝડપથી વધુ જીવલેણ એવી ટૉક્સિક એપિડર્મલ નેક્રોલાયસિસ (Toxic Epidermal Necrolysis – TEN) નામની બીમારીમાં રૂપાંતરિત થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ દુર્લભ અને જીવલેણ સ્થિતિનું કારણ…
Read Moreઅર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું કરાયું આયોજન
હિન્દ ન્યુઝ, દાહોદ 1 ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી અંતર્ગત અર્બન હોસ્પિટલ રળિયાતી ખાતે જાગૃતિ રેલીનું આયોજન દિશા- ડાપકુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રેલીને નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન ભડંગ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, ટીબી–એચ.આઇ.વી. અધિકારી ડૉ. આર. ડી. પહાડિયા -અર્બન હોસ્પિટલના ટ્રસ્ટી સંદીપ શેઠ તથા સંસ્થાના મંત્રી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર નીરેન શાહ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિશ્વ એઈડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય HIV/AIDS અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, ઇન્ફેક્શનના સંક્રમણ અને નિવારણ વિશે યોગ્ય માહિતી પહોંચાડવાની સાથે HIV પીડિત વ્યક્તિઓને સહાય અને સહકાર આપવા…
Read Moreરાજકોટ ખાતે આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટના સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્સ્ટીટયુટ(SCCRI) સહયોગથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, કુવાડવા ખાતે ૩૦થી વધુ વયની આશા બહેનો માટે વિનામુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. જેમાં ૭૧ આશા વર્કરના સર્વાઇકલ, બ્રેસ્ટ કેન્સર, હાઇપરટેંશન તથા ડાયાબીટીસ સહિતના રોગોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં શંકાસ્પદ રીપોર્ટ આવતા આઠ આશા બહેનોને વધુ તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૭૧ આશા બહેનોની હાઇપરટેંશન અને ડાયાબીટીસની તપાસ અને HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
Read Moreમાતા-શિશુ આરોગ્ય માટે AMCની સતત પ્રતિબદ્ધતા!
હિન્દ ન્યુઝ, અમદાવાદ વેજલપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા વધુ જોખમી સગર્ભા અને ધાત્રી માતાઓની ગૃહ મુલાકાત લેવામાં આવી તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગોના નિવારણ માટે ઇન્ટ્રા-ડોમેસ્ટિક અને પેરી-ડોમેસ્ટિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. સાથે જ બુટભવાનીના છાપરા અને કન્સ્ટ્રક્શન સાઇટ પર “મમતા દિવસ” ઉજવી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી માતાઓ માટે આરોગ્ય ચકાસણી, રસીકરણ, પૌષ્ટિક આહાર અંગે માર્ગદર્શન અને આરોગ્ય સલાહ આપવામાં આવી. સમુદાયના આરોગ્ય રક્ષણથી લઈને માતા અને બાળક સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ સતત કાર્યરત અને પ્રતિબદ્ધ છે.
Read Moreઓડિશા રહેતા પરિવારના ૪૮ કલાક કાઉન્સેલિંગ પછી સહમતિ મળતા સફળ અંગદાનથી કુલ છ દર્દીઓને મળશે નવી જિંદગી
હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૮૫મા અંગદાન અંતર્ગત ઓડિશાના ૩૯ વર્ષીય પંચુભાઈ કબિરાજ પ્રધાનના લીવર અને બે કિડનીનું દાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૧૨ કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના સતત પ્રયત્નો અને સમજણ બાદ આ પરિવારે પોતાના પ્રિયજનના અંગદાન માટે સહમતિ આપતા બે દિવસમાં કુલ છ દર્દીઓને નવા જીવનની આશા મળી છે.…
Read More