છોટાઉદેપુર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં ૦૯ જૂન ૨૦૨૬ના રોજ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત અભિયાનના સફળ ૧૦ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે અતિ જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ માટેના વિશેષ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૧ જનરલ હોસ્પિટલ, ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કુલ ૬૫ જેટલા વિશેષ મેડિકલ કેમ્પ યોજાયા હતા. આરોગ્ય કેમ્પોમાં જિલ્લાભરમાંથી કુલ ૩૪૬૧ જેટલી સગર્ભા માતાઓની તબીબી અધિકારીઓ અને નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) તબીબો દ્વારા ઝીણવટભરી…

Read More

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) ના સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) ખાતે સગર્ભા માતાઓ માટે વિશેષ મફત નિદાન, તપાસ અને સારવાર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત માતૃત્વ તરફ એક મહત્વપૂર્ણ પગલું” ના સંકલ્પ અને ૧૦ વર્ષની આ સેવાયાત્રાને બિરદાવવા માટે યોજાયેલા આ કેમ્પમાં માળિયાહાટીના પંથકની બહોળી સંખ્યામાં સગર્ભા, માતાઓએ ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ સગર્ભા માતાઓનું બ્લડ પ્રેશર (BP) અને વજનની ઝીણવટભરી તપાસ…

Read More

 ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીય નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા મેલેરિયા મુક્ત ગુજરાત – અભિયાન અન્વયે આ હેતુને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સઘન ઝુંબેશ શરુ છે.  દર વર્ષની જેમ જુન માસ – મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મેલેરિયા મુક્ત અભિયાન-૨૦૩૦ અન્વયે વાહકજન્ય રોગચાળો નિયંત્રણ માટે પ્રિ-મોનસુન કામગીરી રૂપે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ રાઉન્ડ-૧માં ખાસ ઝુંબેશ આયોજનમાં આરોગ્ય કર્મચારી અને આશા ની ટીમ દ્રારા દ્રારા ૪૯૧ ગામોમાં માં ઘરો- ૨,૭૬,૯૦૮ ની હાઉસ ટુ હાઉસ મુલાકાત…

Read More

૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

હિન્દ ન્યુઝ, ભુજ       આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત અનેક નાગરિકોને નીરોગી જીવન પ્રાપ્ત થયું છે. જેમાં ભચાઉ તાલુકાના આધોઇ ગામના ૬૦ વર્ષના ખોડાભાઇ દલાભાઇનો પણ સમાવેશ થાય છે.    મજૂરી કરીને પેટીયું રળતા આ પરિવારના ખોડાભાઇને લાંબા સમયથી પેટમાં દુ:ખાવાની સમસ્યા રહેતી હતી. તબીબી તપાસ દરમિયાન તેમને Inguinal Hernia (આંતરડીનો હર્નિયા) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની…

Read More

જનકલ્યાણના ૧૨ વર્ષ: સાબરકાંઠાના ૮.૬૭ લાખથી વધુ નાગરિકો ‘PM-JAY’ આયુષ્માન કાર્ડથી સુરક્ષિત!

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાબરકાંઠા જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે આયુષ્માન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.  ✅ છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ દર્દીઓને ₹૫૦.૯૫ કરોડથી વધુની કેશલેસ સારવાર મળી. ✅ વાર્ષિક ₹૧૦ લાખ સુધીનું મજબૂત હેલ્થ કવચ. ✅ હૃદયરોગ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓની મફત સારવાર. હવે ગંભીર બીમારી સમયે દેવું કરવાની કે મિલકત ગીરો મૂકવાની ચિંતા દૂર થઈ છે. સરકાર દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે

Read More

 વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ (૮ જૂન): જાગૃતિ જ સાચો બચાવ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        માનવ શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે આપણું મગજ. બ્રેઈન ટ્યુમર વિશેની અંધશ્રદ્ધા અને ડર દૂર કરવા તથા વહેલા નિદાન માટે દર વર્ષે ૮ જૂનના રોજ ‘વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ’ ઉજવવામાં આવે છે. બ્રેઈન ટ્યુમર એટલે ‘જીવનનો અંત’ નથી. યોગ્ય સમયે નિદાન અને આધુનિક સારવારથી આ રોગને સંપૂર્ણપણે મટાડી શકાય છે. 🚨 આ લક્ષણોને ક્યારેય ન કરો અવગણશો (Symptoms): 🌅 સવારે ઉઠતાની સાથે જ અતિશય માથાનો દુખાવો થવો અને ઉલ્ટી/ઉબકા આવવા. 🌀 અચાનક ચક્કર આવવા અથવા ખેંચ (વાઈ/ફિટ) આવવી. 👀 દ્રષ્ટિ ધૂંધળી થવી અથવા એક…

Read More

ગામને સમૃદ્ધ અને સ્વાવલંબી બનાવવા સરકારની ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ જાહેર

હિન્દ ન્યુઝ, ભુજ     ગ્રામ્યકક્ષાએ પીવાના પાણીની યોજનાઓનું સારી રીતે સંચાલન થાય, પીવાના પાણીનું માળખું મજબૂત બને અને પાણીવેરાની વસૂલાત નિયમિત થાય તે માટે ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ‘પાણીવેરા પ્રોત્સાહક યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમયસર પાણીવેરો ઉઘરાવીને ગ્રામ પંચાયતોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનો છે, જેથી ગામડાઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે સ્વાવલંબી બની શકે. આ યોજના ખાસ કરીને એવા ગામો માટે જાહેર કરવામાં આવી છે, જ્યાં ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ઈ-ગ્રામ પોર્ટલ મુજબ પાણીવેરાની વસૂલાત ૩૦ ટકા કરતાં ઓછી થઈ…

Read More

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ નખત્રાણા તાલુકાના પાલનપુર ગામની ૪ માસની આર્યાને મળ્યું નવજીવન

હિન્દ ન્યુઝ, ભુજ       સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) બાળકો માટે વરદાનરૂપ છે. તાજતેરમાં કચ્છના નખત્રાણા તાલુકાની RBSK ટીમ દ્વારા આંગણવાડીની નિયમિત મુલાકાત દરમિયાન પાલનપુર ગામની બાળકી આર્યા મીત પટેલને જન્મજાત હૃદયની ખામી (Congenital Heart Disease – CHD) હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાળકીની વધુ તપાસ માટે વાલીઓને સમજાવી 2D Echo કરાવવામાં આવ્યું, જેમાં Multiple VSD (Ventricular Septal Defect) હોવાનું નિદાન થયું. RBSK ટીમે તાત્કાલિક જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને બાળકીનો કેસ ઉચ્ચ કક્ષાની સારવાર માટે મોકલ્યો. ત્યારબાદ તા. 21/04/2026 ના રોજ સારવારની પ્રક્રિયા શરૂ કરવામાં આવી…

Read More

માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતાં ૨૫૦થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં ૩૫૦ થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.   સમગ્ર ૧૫ દિવસ દરમિયાન ૧૦ દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર બની ગયો હતો.આ પ્રસંગે ડૉ.સુરેજા, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલશ્રી, નગરપાલિકાના માજીપ્રમુખ તેમજ…

Read More

એક એવા સરકારી તબીબ જે પોતાના કેન્સરના દર્દને ભૂલીને કરે છે સામાન્ય દર્દીઓની સેવા

હિન્દ ન્યુઝ, વડોદરા      આજના સમયમાં જ્યાં લોકો નાની તકલીફમાં પણ હિંમત હારી જાય છે, ત્યાં વડોદરા જિલ્લાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સ્મિતાબેન કનુભાઈ રાઠવા અનેક શારીરિક પીડાઓ વચ્ચે પણ દર્દીઓની સેવા કરીને સમાજ માટે પ્રેરણારૂપ બન્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી તેઓ મેડિકલ ઓફિસર તરીકે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પોતાને કેન્સર હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી. આવા કૃતનિશ્ચિયી તબીબો જ દર્દીનારાયણની સેવાને ઉત્તમ વ્યવસાય બનાવે છે.  ડૉ. સ્મિતાબેન રોજ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી…

Read More