રાજકોટ શહેરના મનહર પ્લોટમાં ભરબપોરે ફ્લેટના તાળા તૂટ્યા જ્યારે લાખોનો મુદ્દામાલ લઈ ચોર ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

રાજકોટ,

રાજકોટ શહેરમાં અનલોક ૨ માં જાણે ચોર બેફામ થયા હોય તેવિ ઘટના આજે ભરબપોરે રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં બની હતી. અને જ્યારે રાજકોટના મનહર પ્લોટ શેરી નં.૮ માં આવેલા જગજીત એપારમેન્ટમાં ભરબપોરે ૦૪.૫૦ કલાકે ચોર ઘુસ્યા અને ૩૩ મિનિટ  સુધી ઘરમાં ફરી આરામથી ચોરી કરી બિલ્ડિંગમાં બીજા માળે ફ્લેટ નંબર પાંચમાં ચોરી કર્યાનાં સીસીટીવી સામે આવ્યા છે. અને મુદ્દામાલ લઈને ચોર ફરાર છે.  જ્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલિસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

 

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment