હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા આગામી સમયમાં સૌરાષ્ટ્ર સહિત જામનગર જિલ્લામાં હીટવેવની આગાહી જારી કરવામાં આવી છે. હીટવેવ દરમિયાન અને આગામી ગરમીના દિવસોમાં લૂની અસરથી બચવા માટે જામનગર જિલ્લાના તમામ નાગરિકો માટે રક્ષણાત્મક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાંં જણાવ્યા અનુસાર હીટવેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી,…
Read MoreDay: March 22, 2024
ગરમીના પ્રક્રોપ સામે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ગરમી અને લૂનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સૂચનો બહાર પાડવામાં આવેલા છે. આવા ગરમીના સમયે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે રાખવું હિતાવહ છે. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબૂ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી બહાર નીકળો. આંખોના…
Read Moreલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ઉના ખાતે મતદારોને માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સમજ અપાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના એચ.એમ.વી કોલેજ ઉના ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ નવા મતદારોને મતદાન મહત્વ સમજાવીને મતદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગેમાં કોલેજના વિદ્યાર્થીઓ જેઓ પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના હોય તેવા યુવા મતદારોને મતદાનનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
Read Moreશોર્ટ મેસેજ સર્વિસીસ (એસએમએસ) ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા પર જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ સદર ચૂંટણી અન્વયે કેટલીક વ્યકિતઓ દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવા વાંધાજનક શોર્ટ મેસેજ સર્વીસીસ (એસએમએસ) અન્ય વ્યકિતઓને મોકલતા હોય છે. જેથી ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતાનો, ચૂંટણી કાયદાનો તથા ભારતના ચૂંટણી આયોગ દ્વારા વખતો વખત અપાતી સૂચના/આદેશનો ભંગ થાય તેવા શોર્ટ મેસેજ સર્વીસીસ(એસએમએસ) પર પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમની) કલમ- ૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઇએ આથી ફરમાવું છું…
Read Moreચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો/ઉમેદવારોએ હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટે પાલન કરવાની સૂચનાઓ અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના પરીપત્ર તા.૧૨/૧૧/૨૦૦૭થી આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચાર સંહિતામાં રાજકીય પક્ષો/ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે હંગામી ચૂંટણી કાર્યાલય શરૂ કરવા માટેની સૂચનાઓ થયેલ છે.જેને અનુલક્ષીને ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું…
Read Moreજાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ વગેરે મિલકતોનો બગાડ થતો અટકાવવા અંગે ભાવનગર જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને ભારતના ચૂંટણી આયોગની તા.૭/૧૦/૨૦૦૮ની સુચનાના પારા-૫(બી) મુજબ જ્યાં મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ અંગે સ્થાનિક કાયદો નથી, ત્યાં પણ કોઈપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઈ શકતો નથી. એટલું જ નહીં ખાનગી માલિક મંજુરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઇ શકતો નથી. પારા-પ(એ) મુજબ હંગામી કે સરળતાથી હટાવી શકાય કે દૂર કરી શકાય તેવી જાહેરાતો જેમ કે, ફલેગ, બેનર્સ વગેરે ખાનગી માલિકની સહમતિથી…
Read Moreચૂંટણી પ્રચાર વખતે કટ આઉટ, ધ્વજ, બેનર,હોર્ડિંગ્સ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગે ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. લોકસમાં સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ,જાહેરાત પાટીયા/બેનર્સ વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા નકકી કરેલ આચારસંહીતા મુજબ તથા અપાયેલ વિવિધ સૂચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે. ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.મહેતાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામામાં દ્વારા ચૂંટણીલક્ષી ચોપાનીયા, ભીંતચિત્રો, હોડીંગ, બેનર્સ છાપવા/લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર નિયમન કરવા નીચે મુજબના નિયમો તાત્કાલિક અમલમાં…
Read Moreચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ દ્વારા પ્રજાના પૈસાથી થતાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવતુ ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦૨૪ હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ નાં રોજ મતદાન થનાર છે. ભારતના ચૂંટણી આયોગના તા.૧૩/૪/૨૦૦૯ના પત્રથી આદર્શ આચારસહિતાનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે. સદરહું આચારસંહિતામાં જે-તે વિસ્તારના સત્તાધારી પક્ષ દ્વારા પોતાની સત્તાનો ઉપયોગ કરી પ્રજાના પૈસાથી પોતાના પક્ષની સિધ્ધિઓ કે ચૂંટણી પ્રચાર અંગેની જાહેરાતો વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા કરવા અને હોડીંગ્સ…
Read More