खनन विभाग की बकाया रॉयल्टी 20 मार्च तक जमा करें : जिलाधिकारी यशपाल सिंह मीण

हिन्द न्यूज़, बिहार        वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने मंगलवार को समाहरणालय में रॉयल्टी एवं मालिकाना शुल्क की समीक्षा बैठक में सभी कार्य विभागों के संबंधित पदाधिकारियों को आवश्यक दिशा निर्देश दिया है कि वे सरकारी परियोजना में प्रयोग हुए लघु खनिज बालू , गिट्टी मिट्टी आदि पर देय मालिकाना फीस एवं रॉयल्टी की नियमानुसार कटौती करते हुए 20 मार्च तक खनन शीर्ष में जमा करना सुनिश्चित करें।      बैठक में खनन विकास पदाधिकारी द्वारा बताया गया कि खान एवं भूतत्व विभाग द्वारा वैशाली जिला…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી જાડેજાના અધ્યક્ષસ્થાને નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા કલેક્ટર ડી.ડી જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા એન.ડી.પી.એસના નોંધાયેલા ગુનાઓની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને નોંધાયેલા વિવિધ ગુનાઓ અંતર્ગત તપાસ અને મોનિટરિંગ તેમજ ડ્રગ્સ જેવી બદીઓ સામે જનજાગૃતી સહિતની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ કોસ્ટલ સિક્યુરિટી અંતર્ગત દરિયાઈ સુરક્ષા સંબંધિત કામગીરી, ફિશ લેન્ડિંગ, પોઇન્ટની હદ નક્કી કરવી, ઓનલાઈન ટોકન સિસ્ટમની કામગીરી, બંદર પરના કર્મચારીઓને ફિશરીઝ વિભાગ દ્વારા વિવિધ તાલીમનું આયોજન અને જિલ્લાના મૂળ દ્વારકા, છારા, માઢવાડ…

Read More

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ મિટિંગ યોજાઈ હતી. જેમાં રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવાતા પગલાઓ તેમજ અકસ્માતો અંગે સમિક્ષા કરવામાં હતી. જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં થયેલા અકસ્માતોની સમિક્ષા કરી અને જિલ્લામાં જરૂરી જણાય ત્યાં સાઈનબોર્ડ લગાડવા, રસ્તાની સાઈડમાં બાધારૂપ ઝાડી-ઝાખરાં દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રીપેરિંગ કરી બંધ કરવા અને બ્લેક સ્પોટ સહિતની બાબતોની ઓળખ કરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ કલેક્ટર દ્વારા ઓવરલોડ તેમજ નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગ સઘન…

Read More

જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને ઈણાજ ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જિલ્લામાંથી આવેલી દરખાસ્તનો રીવ્યૂ કરીને જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધિન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં ગત બેઠકના એજન્ડા બાબતે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રાંચી તીર્થ, માધવરાય મંદિર ખાતે એપ્રોચ રોડ…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજના શિલાન્યાસ અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ. ૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું લોકાર્પણ કરાયું હતું. વડાપ્રધાન ના હસ્તે રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, ફલટન-બારામતી નવી લાઈન તથા અન્ય પરીયોજનાઓનો શિલાન્યાસ તેમજ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો ન્યુ ખુર્જા-સાનેહવાલ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ન્યુ મકરપુરા – ન્યુ ઘોલવડ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ…

Read More

‘સીટી બ્યુટી કોમ્પિટિશન’માં ઝળક્યું કોડિનારનું સ્વામી વિવેકાનંદ પાર્ક

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગાંધીનગર સ્થિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે સીટી બ્યુટી કોમ્પિટિશનમાં રાજ્ય સ્તરે વિજેતા થયેલા મહાનગરો અને નગરપાલિકાઓ માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં કોડિનાર નગરપાલિકાના ‘સ્વામી વિવેકાનંદ પાર્ક’ને દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે. આ તકે, કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આયોજિત સીટી બ્યુટી કોમ્પિટિશનમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. જેમાં…

Read More

ઈણાજ ખાતે નવનિર્મિત ચેરિટી ભવનનું ઈ-લોકાર્પણ કરતા કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      અદ્યતન માળખાકિય સુવિધાઓ અને ટેક્નોલોજીના માધ્યમથી ટ્રસ્ટોની નોંધણી કામગીરી સરળ બને તેવા શુભહેતુસર અંદાજિત રૂ. ૨.૮૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા વેરાવળ તાલુકાના ઈણાજ ખાતે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરીના નવનિર્મિત ચેરિટી ભવનનું કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે, મંત્રી એ રાજ્ય સરકાર સહિત ઉત્તમ કાર્ય કરતાં વિવિધ ટ્રસ્ટને વર્ચ્યુઅલ શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, ‘દેશ સહિત ગુજરાતની અંદર પણ ઘણી સેવાભાવી સંસ્થાઓ ઉત્તમ કામ કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ હંમેશા ‘સેવા પરમો ધર્મ’નો ભાવ…

Read More

જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નશામુક્તિ વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર શહેરમાં સ્થિત શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નશાકારક પર્દાર્થો અને માદક દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની બાળ કલ્યાણ સંસ્થા, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓના અધિક્ષકઓ, શૈક્ષણિક સંસ્થાના આચાર્યઓ, શિક્ષકો તથા વિવિધ કચેરીઓના કર્મચારીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કાનૂની સેવા સતામંડળ- જામનગરના સેક્રેટરી જે.પી.પરમાર અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ- જામનગરના પ્રમુખ એમ.આર.પટેલના અધ્યક્ષસ્થાને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહમોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયા બાદ આણંદાબાવા સેવા સંસ્થાની દીકરીઓ દ્રારા નશામુક્તિ વિષય આધારિત સુંદર…

Read More

જામનગર જિલ્લામાં ૧૮૫ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂકપત્ર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર     સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જામનગર દ્વારા કાર્યરત ૮૮૮ જિલ્લાની આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઇન ભરતી સને.૨૦૨૩/૨૪ માટેની જાહેરાત તા. ૦૮/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં ઓક્ટોબર ૨૩ કટઓફથી આગામી ૬ માસ(એપ્રિલ-૨૦૨૪) સાથેની સંભવિત ખાલી પડનાર આંગણવાડી કાર્યકરની ૭૦ અને આંગણવાડી તેડાગરની ૧૮૪ એમ કુલ ૨૫૪ જગ્યાઓની જાહેરાત બહાર પાડેલ હતી. જે અંતર્ગત તા ૦૪/૦૩/૨૦૨૪ના રોજ આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણુકપત્ર જે તે ગામના સરપંચ તથા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓના…

Read More

દેશભરમાં આવતીકાલે તારીખ 13 માર્ચના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પી.એમ.સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર      કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવતીકાલે તારીખ 13 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સમગ્ર દેશમાં ”સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલ લોન્ચિંગ” (પી.એમ. સૂરજ/PM SU-RAJ), પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવશે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં 522 જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે. જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ શ્રમિકોને આયુષ્માન કાર્ડ અને પી.પી.ઈ. કીટ્સનું વિતરણ કરશે. કાર્યક્રમનો ઉદ્દેશ સામાજિક અને આર્થિક રીતે પછાત…

Read More