આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ SIR (Special Intensive Revision) નું ફોર્મ ભર્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ફોર્મ ભર્યું.     મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે. આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી થશે. અને હા, આ ફોર્મ ભરવું સરળ છે. એટલે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો તેવો ખાસ આગ્રહપૂર્વક અનુરોધ કરું છું. : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવો, SIR ની આ કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

Read More

જસદણ વોર્ડ નંબર 3મા ખાટલા બેઠક યોજાય 

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ શહેર ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર ત 3 ખાટલા બેઠક યોજવામા આવી જેમા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના -૧૧ વર્ષ સંદર્ભે શક્તિ કેન્દ્ર નંબર 3 માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સિદ્ધિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન માં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રજીસ્ટ્રેશન વિશે માહિતી આપી.     આ તકે જસદણ નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, વોર્ડ નંબર 3 ના સભ્ય ગભરુભાઈ ધાધલ, પુર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ…

Read More

બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ શીલુએ કરી સરપંચ માટે દાવેદારી

હિન્દ ન્યુઝ, જામજોધપુર       જામજોધપુર તાલુકા નાં બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ જેઠાભાઈ શીલુ એમની પેનલ સાથે સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ છે. બગધરા નાં જાગૃત મતદારો ઉપર જયેશભાઈ ને વિશ્વાસ છે કે યોગ્યતા ના આધારે મતદાન કરશે અને જયેશભાઈ શીલુ ને જંગી બહુમતી થી વિજય બનાવશે. રિપોર્ટર : વિમલ શીલુ, બગધરા

Read More

આગામી દિવસોમાં તાપી જિલ્લામાં યોજાનાર ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, તાપી       આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીની પૂર્વતૈયારીની સમીક્ષાના ભાગરૂપે ચુંટણીલક્ષી કામગીરીના નિયંત્રણ દેખરેખ અને માર્ગદર્શન માટે નોડલ અધિકારીઓની નિમંણુક કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અધિક જિલ્લા ચુંટણી અધિકારી આર. આર. બોરડની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા તંત્રના અમલીકરણ અધિકારી અને નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read More

ચૂંટણી દરમિયાન પ્રતિબંધિત પીણાનો ઉપયોગ પર પ્રતિબંધ મુકવા અંગે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ      રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય અને ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં ચૂંટણી દરમિયાન દારૂ પી, દંગા ફસાદ કરી લોકોમાં ભયનું વાતાવરણ પેદા ન કરે તે માટે ચૂંટણી દરમિયાન દારૂ તેમજ અન્ય પ્રતિબંધીત પીણાનો ઉપયોગ ન થાય તે માટે તાત્કાલીક જરૂરી પ્રતિબંધક પગલા લેવાની જરૂર જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા પ્રોહિબીશન અધિનિયમ-૧૯૪૯નાં કાયદાની કલમ-૧૪૨ અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવ્યું છે…

Read More

સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અન્વયે રાજકીય પક્ષો, ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો દ્વારા આદર્શ આચારસંહિતા તથા ચૂંટણી કાયદાનો ભંગ થતો હોય તેવી જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરાવવામાં આવતી હોય છે. જેનું નિયમન કરવા માટે નામ. સુપ્રિમ કોર્ટના તા. ૧૩/૪/૨૦૦૪ના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવું જરૂરી જણાય છે.  આથી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ…

Read More

ચૂંટણી દરમિયાન વાહનોના દુર્પયોગ પર નિયમન કરવા બાબતે હુકમ ફરમાવતા બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, બોટાદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. તે મુજબ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત તા.૨૨/૦૬/૨૦૨૫નાં રોજ મતદાન થનાર છે. જેનાં અનુસંધાને ચૂંટણી પ્રચાર અભિયાનરૂપે રાજકીય/બિનરાજકીય પક્ષનાં કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી ચૂંટણી પ્રચાર ઝુંબેશ પોતપોતાના મત વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ હોય આ પ્રચારનાં હેતુ માટે તેઓ દ્વારા કે તેની સહમતિથી બીજા કોઈ વ્યકિત દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. તે સંજોગોમાં આવા વાહનો ઉપર દેખરેખ રાખવા અને ઉમેદવારનાં પ્રચાર માટે વપરાતા વાહનોનાં સબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર…

Read More

ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્દણ પર નિયંત્રણ મુકવા બાબતે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ       રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ મતદાનની તા.૨૨/૦૬/૨૦૨૫ તેમજ ગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ નક્કી કરવામાં આવેલ છે. ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્દણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વિગેરેના મુદ્દણ પર નિયંત્રણ રાખવુ આવશ્યક છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, બોટાદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ-૩૭(૧)(એફ)થી તેમને મળેલી સત્તાની રૂએ હુકમ કર્યો છે કે,  કોઈપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા…

Read More

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત

આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કાલાવડ નગરપાલિકા ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હિન્દ ન્યુઝ, જામનગર                  રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૫ યોજવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત કાલાવડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોવાથી જાહેર જનતા તથા રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિ/ઉમેદવારો માટે આદર્શ આચારસંહિતા ભંગની રજૂઆત / ફરીયાદ માટે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. કોઇપણ પ્રકારની આદર્શ આચાર સંહિતા ભંગની ફરીયાદ/રજૂઆત હોય તો કાલાવડ નગરપાલિકાના કંટ્રોલ રૂમ નં.૦૨૮૯૪-૨૨૩૧૦૧ પર જાણ કરી શકશે. તેમ કાલાવડ નગર પાલિકાના ચીફ ઓફિસર અને…

Read More

મતદાન મથકોની આસપાસના વિસ્તારો માટે જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર                    જામજોધપુર, ધ્રોલ તથા કાલાવડ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા જોડિયા તાલુકા પંચાયતના મતદાર મંડળ-૮-જોડિયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ-૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત તા.૧૬-૨-૨૦૨૫ના રોજ મતદાન યોજાશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણીપંચનો અભિગમ રહેલો છે. આ ઉપરાંત આદર્શ આચાર સંહિતાનું પાલન થાય અને ખર્ચ ઉપર નિયંત્રણ તથા દેખરેખ જળવાઈ રહે તે જરૂરી છે. મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં મતદાનના દિવસે ઉમેદવારો કે તેમના કાર્યકરો/ટેકેદારો દ્વારા પ્રચાર ઝુંબેશ કરવામાં આવે તેવી…

Read More