હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભા તેમજ જામનગર બેઠકનાં ઉમેદવાર પૂનમબેન માડમની રેલી યોજાઇ હતી અને આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને ‘હાય હાય રૂપાલા’ ના સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા. રૂપાલા વિરોધના સૂત્રોચાર કરતા આશરે 150 જેટલા ક્ષત્રિયો ને કાલાવડ પોલીસે અટકાયત કરી હતી અને ત્યાર બાદ તેઓને છોડી મુકવામાં આવ્યાં હતા. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આવા વિરોધ થી ચોક્કસપણે ભાજપને અને ખાસ જામનગર…
Read MoreCategory: Politics
ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી સમયે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા કેટલાક આવશ્યક પગલાઓ સૂચવવામાં આવ્યાં છે. આ આવશ્યક પગલાઓ અંતર્ગત બિયારણ/રા. ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. તેમજ કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી, છેતરપીંડીથી બચી શકાય. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ…
Read Moreદિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. આજરોજ વેરાવળ, ઉના અને કોડીનાર ખાતે દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર, અંધ અપંગ સહકાર કેન્દ્ર, ઉના અને સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વેરાવળ એમ વિવિધ જગ્યાઓએ અને નોડલ ઓફિસરશ્રી પીડબલ્યૂડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનીને ચૂંટણીમાં મતદાન કરીને…
Read Moreગીર સોમનાથ જિલ્લા ખાતેથી જનરલ નિરીક્ષક, પોલીસ નિરીક્ષક, જિલ્લા ચૂંટણી અધિકારી વીડિયો કોન્ફરન્સમાં જોડાયાં
ભારતીય ચૂંટણીપંચની વીડિયો કોન્ફરન્સ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી ગુજરાતમાં યોજાવા જઈ રહી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યના ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગીર સોમનાથ ખાતે આ વીડિયો કોન્ફરન્સમાં જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ ઝુબેર અલી હાશમી, પોલીસ નિરીક્ષક નાઝનીન ભસીન, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા જોડાયા હતાં. ઈણાજ ખાતે આવેલ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતેથી વીડિયો કોન્ફરન્સમાં જોડાયેલા જિલ્લા ચૂંટણી તંત્રના…
Read More‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
ગીર સોમનાથ જિલ્લામાં સ્થળથી જળ સુધી મતદાર જાગૃતિ અભિયાન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લો વિશાળ સમુદ્ર કિનારો ધરાવે છે. આ વિશાળ જળરાશિના કિનારે વસેલા સાગરખેડૂઓ વર્ષમાં મોટાભાગે તેમની આર્થિક પ્રવૃત્તિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતાં હોય છે. આ સાગરખેડૂઓ લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે આજે સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીતલહેરો વચ્ચે સવારના ભાગે તેમની બોટ સુધી પહોંચી અને ‘બોટ થી વોટ’ના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. આજે સવારે જૂનાગઢ લોકસભા મતવિસ્તારના જનરલ નિરીક્ષક મોહંમદ…
Read Moreગારીયાધારની દેપલાપરાની શાળાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ બનાવી અચૂક મતદાન કરવાનો આપ્યો સંદેશ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪મા ભાવનગર જિલ્લામાં વધુને વધુ મતદારો મતદાન તરફ પ્રોત્સાહિત થાય અને પોતાના પવિત્ર મતદાનની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વમા સહભાગી બને તે માટે ચુનાવ પાઠશાળા થકી વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગારીયાધાર તાલુકાની દેપલાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી લોકશાહીના અવસરમાં અચૂક મતદાન કરવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો.
Read Moreકેન્દ્રીય સંચાર બ્યુરો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજપરા ખોડિયાર ખાતે યોજાયો મતદાર જાગૃતિ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, ભાવનગર ‘દસ મિનિટ દેશ માટે, લોકશાહીમાં મતદાન માટે’ ના સંદેશ સાથે ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રાજપરા ખોડીયાર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શેરી નાટકના માધ્યમ દ્વારા મનોરંજન સાથે હળવી શૈલીમાં મતદાર જાગૃતિનો સંદેશ પાઠવવામાં આવ્યો. કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ વક્તવ્ય આપતા વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ મહાપર્વ લોકસભા ચૂંટણી અંગે લોકોને જાણકારી આપતા ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી સંદર્ભે કરવામાં આવતી તૈયારીઓ અને…
Read Moreલોકશાહીના મહાપર્વ એવી ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અનુરોધ કરતાં શતાયુ મતદાર સોનાબેન પરમાર
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ હિન્દ ન્યુઝ, આણંદ લોકશાહીના મહાપર્વ સમાન લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃત્તિ અભિયાન હાથ ધરાયું છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રથમ વાર મતદાન કરનાર યુવાઓની સાથે અન્ય તમામ મતદાતાઓને આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા જિલ્લાના શતાયું મતદાતાઓએ અપીલ કરી છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી પાસે આવેલ કલ્યાણપુરા ગામમાં રહેતા અને આયખાની સદી વટાવી ચૂકેલા ૧૦૫ વર્ષના મતદાતા સોનાબેન…
Read Moreજામનગર જિલ્લામાં મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન જામનગર જિલ્લામાં તારીખ 07/05/2024 ના રોજ થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકની આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા મતદારો શાંતિપૂર્વક મતદાન કરી શકે તે હેતુથી મતદાન મથકથી 100 મીટરની ત્રિજ્યામાં એકઠા થવા પર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. તેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર, જામનગર દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચારથી વધુ વ્યક્તિઓને મતદાન મથકોથી 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં એકઠા થવા પર સવારના 07:00 કલાકથી સાંજના 06:00 કલાક સુધી…
Read Moreજનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે જામનગર MCMC સેન્ટરની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, જામનગર લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત પેઇડ ન્યૂઝ અને જાહેરખબરો ઉપર તેમજ સોશિયલ મીડીયા પર દેખરેખ રાખવા માટે જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન-2 જામનગર ખાતે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જેની 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે નિમાયેલા જનરલ ઑબ્ઝર્વર હસમત અલી યાતો અને પોલીસ ઑબ્ઝર્વર ઉત્તપલકુમાર નાસ્કરે મુલાકાત લીધી હતી. ઑબ્ઝર્વરઓએ MCMC સેન્ટર ખાતે થઈ રહેલી કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા પર ડિસ્પ્લે થતી જાહેર ખબરો અને તેનું પૂર્વ પ્રમાણીકરણ વગેરે અંગે માર્ગદર્શન પૂરું પાડી નોડલ અધિકારીઓને જરૂરી…
Read More