રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે લોકડાઉનને-૪ ૩૧મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ ઝોન. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય. રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. (૧)મેડિકલ સર્વિસ સિવાયની દરેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ (૨)મેટ્રો સર્વિસ, સ્કૂલ, કોલેજ, હોટલ, રેસ્તરાં, સિનેમા હોલ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, ઓડિટોરિયમ દરેક પ્રકારના સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો. ધાર્મિક સ્થળો બંધ રહેશે. સાંજે…
Read MoreDay: May 17, 2020
ગઢડા તાલુકા ના ઢસા જંકશનમાં મોગલધામ મંદિર પરિવાર દ્વારા અન્નક્ષેત્ર નું કામકાજ સફળતા પૂર્વક ચાલે છે
ગઢડા, કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે નાના માણસો જેમના રોજી રોજગાર બંધ છે એવા લોકો માટે ઢસા જંકશન માં શાક માર્કેટમાં, મોગલમંદિર માં, ગ્રાઉન્ડ માં સવાર – બપોરનું ભોજન બનાવીને અલગ અલગ વિસ્તાર પોહચાડી રહ્યા છે. આમાં કોઈ પણ દાતાના નામ આપવા માંગતા ના હોવાથી ‘મોગલ પરિવાર’ ના નામ થી કામ ચલાવે છે. દરરોજ બપોરે 100 ટિફિન તેમજ રાત્રે 100 ટિફિન પાર્સલ કરીને પોચાડવાની કામગીરી કરી રહ્યા છે. તેમજ આમાં જે કોઈ દાતાશ્રીઓ સેવા કરવાવાળા યુવાનો નિઃસ્વાર્થ પણે સેવા આપે છે. તેઓ એક જ ધ્યેય ધરાવે છે…
Read Moreરાજકોટ શહેર શાપર-વેરાવળ નજીક જે સ્થિતિ પરપ્રાંતીય શ્રમિકોની થઈ એમાં તંત્રના સંકલનનો અભાવ જ જવાબદાર છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ શાપર-વેરાવળમાં જે ઘટના સર્જાઈ એમાં તો તંત્રના સંકલનનો જ અભાવ ઉડીને આંખે વળગે છે. શાપર વેરાવળમાં ઉદ્યોગોના સૌ કર્મચારીઓ, કારીગરોને કલેકટર તંત્ર દ્વારા કહેવાયું હતું કે આજે તેમને વતન મોકલશે. શાપર થી બસ ઉપડશે અને રેલવે સ્ટેશન લઈ જવાશે. ટ્રેન કેન્સલ થયા ની જાણ કોઈએ એમને કરી ન હોતી. અમુક પરપ્રાંતીય શ્રમિકો છેક ભુણાવા થી તેમજ અન્ય બીજા સ્થળોથી ચાલીને શાપર આવ્યા હતાં. બસ પાસે પહોંચ્યા પછી એમને જાણ થઈ કે હવે જવાનું નથી. તેથી એમનો રોષ ભભૂકી ઉઠયો હતો. વતન જવાનું નક્કી થયું…
Read Moreરાજકોટ શહેર ધો.૧૨ સાયન્સમાં ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ જિલ્લો ગુજરાતમાં પ્રથમ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૭.૫.૨૦૨૦ ના રોજ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ૧૨ સાયન્સનું ૭૧.૩૪% પરિણામ આવ્યું છે. જેમા છોકરાઓનું પરિણામ ૭૧.૬૯ અને છોકરીઓનું ૭૦.૮૫% રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે ૮૪.૬૯% પરિણામ સાથે રાજકોટ પ્રથમ નંબર પર છે. ધોરણ-૧૨ સાયન્સમાં ૧,૧૬,૬૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં ૮૩,૧૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ૩૩,૫૩૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિક નું પરિણામ ૧૦૦% આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સ નું ૭૨.૪૮% કેમેસ્ટ્રી નું ૭૨.૩૬% અને બાયોલોજી નું ૮૫.૯૯% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું…
Read Moreધરમપુર તાલુકાના બિલધા ગામે ચેકડેમ ડિસિલ્ટિંગની કામગીરી થકી સ્થાનિકોને ઘરઆંગણે રોજગારી
વલસાડ, કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ હોઇ આવા કપરા સમયે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા શ્રમિકોને કોઇ કામ ન મળતાં તેઓએ મજૂરી કરીને બચત કરેલા નાણાં પણ પૂરા થઇ જતાં ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. લોકડાઉનના કારણે અન્ય સ્થળે રોજગારી મેળવવા માટે જવું શકય નથી ત્યારે શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળે તેવા રાજ્ય સરકારના પ્રયાસોના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો શરૂ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં પણ અનેક સ્થળોએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવા, ચેકડેમ ડિસિલ્ટિંગ, કૂવા બનાવવા, નવા તળાવ, ખેતતલાવડીનું નિર્માણ…
Read Moreરાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં શ્રમિકોને ૧૫૦૦થી વધુ માસ્કનું વિતરણ કરતા સેલસ હોસ્પિટલના ડો.ભીમાણી, માતાએ કહ્યું ગિફટ જ આપવી હોય તો ગરીબોની સેવા કર
રાજકોટ , રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ સેલસ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો.સચિન ભીમાણી અને તેમના સહયોગી હરેન્દ્રસિંહ જાડેજા તેમજ હરેશ મકવાણા બીલીંગ-હેડ દ્વારા આજરોજ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેતમજૂરોને ૧૫૦૦ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોટનના ૧૫૦૦ માસ્ક ડો.સચિન ભીમાણીના માતૃશ્રી રમાબેન ભીમાણીએ તૈયાર કર્યા હતા. ૬ દિવસના સમયગાળામાં ૧૫૦૦ જેટલા માસ્ક રમાબેને તૈયાર કર્યા હતા. અને આજરોજ તેનું વિતરણ કર્યું હતું. રાત્રીના સમયે કાપડનું કટીંગ અને દિવસે સીલાય કરી ૧૫૦૦ માસ્ક તૈયાર કર્યા હતા. માતાએ ગિફટના સ્થાને ગરીબોની સેવાનો સંકલ્પ માંગતા તબીબ પુત્રએ હોંશે હોંશે આ માસ્કનું…
Read Moreરાજકોટ શહેર કોરોના વાયરસ સામે રક્ષણ આપવા કાલે તમામ વોર્ડમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ ૨ાજકોટની જનતાના આ૨ોગ્યની ચિંતા ક૨ી. રાજકોટ શહે૨ જીલ્લા ભાજપ દ્વારા હોમીયોપેથી કોલેજો તથા ફેડ૨ેશન ઓફ જન૨લ પ્રેકટીશનર્સ ઓફ ૨ાજકોટ દ્વારા લોકહિતમાં કેન્દ્ર સ૨કા૨ના આયુષ મંત્રાલયા૨ા માર્ગદર્શિત હોમીયોપેથીક દવા ૨ોગ પ્રતિકા૨ક શક્તિ વધા૨ી કોવીડ-૧૯ સામે ૨ક્ષણ આપવા માટે ભલામણ ક૨ેલ છે. દવાનું વિત૨ણ ક૨વાનો સુવિચા૨ મેહુલભાઈ રૂપાણીએ ૨જુ ક૨તાં સમગ્ર હોમીયોપેથી જગતે સહર્ષ સ્વીકા૨ી, સમગ્ર ૨ાજકોટની જનતાને ૨ોગપ્રતિકા૨ક શક્તિ વધા૨ી સુ૨ક્ષાક્વચ પુ૨ુ પાડવા માટે શહેરની તમામ હોમીયોપેથી કોલેજોના વિદ્યાર્થીઓનાં અમૂલ્ય સહકા૨નાં ૧૬,૦૦,૦૦૦ ડોઝ તૈયા૨ ક૨વામાં આવેલ. જેનું ૨ાજકોટનાં તમામ હોમીયોપેથી ડોકટર્સ અને ઈન્ટર્ન વિદ્યાર્થીઓનાં માર્ગદર્શનમાં…
Read Moreરાજકોટ શહેર લોકડાઉનને કારણે ૩ દિવસથી ન મળ્યો માવો, મગજ ભમતું રહેતાં રાજકોટનાં ૧૮ વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા ૩ દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં બીડી ન મળતાં બે લોકોએ આત્મહત્યા કરી હતી. લોકડાઉનને દોઢેક મહિના ઉપરનો સમય થઈ ગયો છે. અને આ સમયગાળામાં તમાકુનાં બંધાણીઓની ધીરજ હવે ખૂટી ગઈ છે. વ્યસન ન મળવાને…
Read Moreરાજકોટ શહેર પોલીસે બનાવટી પાસ વહેંચતા ૧૭ જેટલા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ લોકો બનાવટી પાસ બનાવીને લોકોની છેતરે છે. અને તેની પાસેથી પૈસા ઉધરાવી રહ્યા છે. રાજકોટમાં બોગસ પાસ બાનવતા ૧૭ જણાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટનાં A.C.P. જે.એચ.સરવૈયા એ માંંહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીના આધારે, અમે એવા લોકોને શોધી કાઢવાનું શરૂ કર્યું છે કે જેઓ બનાવટી પાસ આપી રહ્યા છે. આના પગલે અમે ૧૭ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને તેમના કબજામાંથી નકલી પાસ મળી આવ્યા છે. તેઓ પાસ માટે ૩૦૦ રૂપિયા લેતા હતા. હવે આ તમામ વિરુદ્ધ ગુન્હો નોંંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં…
Read Moreરાજકોટ શહેરના શહીદ ઉદ્ધમસિંહ ટાઉનશિપમાં ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયા પર સ્થાનિકોના દાદાગીરી અને ગેરવર્તનના આક્ષેપ
રાજકોટ , રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં લોકડાઉન વચ્ચે ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાની દાદાગીરી સામે આવી છે. ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજનાનું પાણી બંધ કરાવ્યું છે. રાજકોટના વોર્ડનં-૪ ના ભાજપના કોર્પોરેટર પરેશ પીપળીયાએ શહીદ ઉધમસિંહ આવાસ યોજના ક્વાટર્સનું પાણી બંધ કરાવીને દાદાગીરી કરી છે. તેના રહેવાસીઓએ કચરો નાખતા રાત્રે આવાસ યોજનામાં દારૂ પીને આવીને રહેવાસીઓને અને ત્યાં રહેતી મહિલાઓને બેફામ ગાળો આપી ધમકી પણ આપી હતી. તેના સી.સી.ટી.વી પણ સોસાયટીના રહીશોએ જાહેર કર્યાં છે. જેમાં કોર્પોરેટર પરેશ પીપળીયા લોકો સાથે બેઠેલો દેખાય છે. રિપોર્ટર : દિલીપ…
Read More