દામનગર , દામનગર શહેર માં ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી એ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ની મુલાકાત લીધી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને દામનગર શહેર પાલિકા પ્રમુખ ની રજુઆત વધુ પીવા નું પાણી આપો ની માંગ , દામનગર શહેર ને આપતું પાણી અપૂરતું હોવા ની લેખિત રજુઆત થી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને શહેર ને ૧.૨૫ પોઇન્ટ પીવા ના પાણી થી કાયમી પડતી તંગી થી દામનગર શહેર ને પૂરતા પ્રમાણ માં પીવા નું પાણી મેળવવા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની લેખિત રજુઆત થી…
Read MoreDay: May 2, 2020
ગઢડા તાલુકા ના ઢસા જંકશનમાં શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની મંજૂરી મળી
ઢસા, ગઢડા ગઢડા તાલુકાના ઢસા જંક્શનમાં આવેલ રામજી મંદિર પાસે ધર્મશાળા, શોપીઁગ સેન્ટરમાં દરરોજ સવારના 07.00 વાગ્યા થી 11.00 વાગ્યા સુધી બોટાદ જિલ્લા કલેકટરના આદેશ મુજબ શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની પરવાનગી આપેલ છે. તેમજ ઢસા ડી.વાય.એસ.પી. ગામિત, સરપંચ ભરતભાઇ કટારિયા એ વેપારીઓને ખાસ જણાવેલ છે કે ગ્રાહક સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેમજ વેપારીઓને માસ્ક તેમજ ગ્લોઝ પહેરવા જણાવ્યું છે. કોરોનાની મહામારીને લીધે અહી અંદાજે 15 ગામડાઓમાંથી લોકો શાકભાજી ફ્રૂટની ખરીદી કરવા આવે છે, તેમજ પહેલા દિવસે વેપારી એસોસિએશનના પ્રમુખ રાજાભાઈ ટીલવાણી, હુસૈન શૈખ, સુંદરમલ તેમજ અન્ય ફળફળાદી, શાકભાજીના વેપારીઓએ…
Read Moreરાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીનો આજથી પ્રારંભ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલી સેમ-૬ની મોટાભાગની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જેની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોલ ખાતે રાજકોટ જિલ્લાના ૬૬ અધ્યાપકો આવ્યા હતા. અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી હતી. બીજા જિલ્લાના અધ્યાપકો રાજકોટ સુધી લંબાવવું ન પડે અને તેના જ જિલ્લામાં તેઓ પેપર ચકાસી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગર અને જામનગર એમ બે જગ્યાએથી કલેકટરની મંજૂરી મળી ગઈ છે. અને આવતીકાલ સુધીમાં…
Read Moreરાજકોટ શહેર લોકડાઉન હોવા છતા લોધિકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવ્યા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા કરવામાં આવી ચાલુ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮ ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યું છે. લોધિકા તાલુકાની પારડી ગામની સ્કૂલનો વીડિયો ગામ લોકોએ વાઈરલ કર્યો…
Read Moreરાજકોટ શહેર સમરસ હોસ્ટેલ કવોરોન્ટાઈન ફેસેલીટી ખાતેથી મુન્નાબાપુ સહીતના ૩૦ લોકોને રજા આપવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલ લોકોને ગવર્મેન્ટ ફેસેલીટી મુજબ કવોરોન્ટાઈન સેન્ટરમાં ૧૪ દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. જેમાં ૩૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી વિજયી બન્યા છે. ૩૦ દર્દીઓમાં ૭૮વર્ષના વૃદ્ધા વિમલાબેન હર્ષભાઇ હોટસ્પોટ જંગલેશ્વરના આગેવાન અને સમાજસેવક મુન્નાબાપુ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વિમલાબેનની રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત હતી કે તેઓને વેન્ટિલેટરની પણ જરૂર પડી ન હોતી. તેઓએ હોસ્પિટલમાં જ આધ્યામિક પુસ્તકો મંગાવી લીધા હતા. અને રોજ વાંચન કરતા હતા. તો મુન્નાબાપુ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રોજ કસરત કરતા હતા.…
Read More