રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના એરપોર્ટ પર લાંબા સમય બાદ આજથી હવાઈ સેવાનો પ્રારંભ થતા મુસાફરો સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ હતી. એરપોર્ટનાં ગેઈટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ બાદ જ મુસાફરોને અંદર પ્રવેશ અપાયો હતો. ઉપરાંત યાત્રિકો માટે ખાસ સેનિટાઈઝની વ્યવસ્થા કરાઈ હતી. તબીબો દ્વારા તમામ યાત્રિકોનું સંપૂર્ણ મેડીકલ ચેકઅપ કરાયું હતુ. આરોગ્યની યાત્રીકોના સામાનને પણ સેનિટાઈઝ કરાયો હતો. વેઈટીંગ લોન્જમાં બે મુસાફરો સાથે ન બેસે તે માટે એક ખુરશી ઉપર ચોકડીની નિશાની અને કતારબંધ ઉભા રહેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે રાઉન્ડ દોરાયા હતા.…
Read MoreDay: May 28, 2020
રાજકોટ-ચોટીલા હાઈવે ઉપરથી બેરહેમીથી ટ્રકમાં ભરી કતલખાને લઇ જવાતી ૯ ગાયો સાથે બે શખ્સો ટ્રક સાથે ઝડપાયા
રાજકોટ , રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજ્યમાં લોકડાઉન દરમિયાન વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોય. તેમજ કોરોના વાયરસની મહામારીના કારણે એક ભયનો માહોલ સર્જાયો હોય. તેવામાં ગૌ હત્યારા પણ સક્રિય થઈ ગયા હતા. ચોટીલા હાઈવે પર એક ટ્રક માં ગાયો લઈ નિકળવાના હોય. તેવી હકીકત બાતમીના આધારે ગો સેવકો વોચ ગોઠવી હતી. ચોટીલા જીવદયા પ્રેમીઓએ રેકેટ પકડી પોલીસને સોપ્યુ. ચોટીલાના ગૌ સેવકો એ બાતમી મળતા કતલખાને જતી ટ્રક રોકી અબોલ પશુઓને બચાવી લીધા છે. સૌરાષ્ટ્ર થી મહારાષ્ટ્ર તરફ ટ્રક માં ક્રૂરતા પૂર્વક ગૌમાતા સાથે માણાવદરના બે શખ્સો ઝબ્બે…
Read Moreરાજકોટ શહેર વિજબીલ મળે કે ન મળે ફરજીયાત પણે બીલની રકમ તા.૩૦ સુધીના ગ્રાહકોએ ભરવી જ પડશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર P.G.V.C.L દ્વારા તા.૩૦ મે સુધીમાં ગ્રાહકોને વીજ બિલ ભરવાનું P.G.V.C.L જણાવ્યું છે. જો કે ઘણા ગ્રાહકોને હજુ સુધી બિલ ન મળ્યા હોવાની પણ ફરિયાદો મળી હતી. ત્યારે P.G.V.C.L પણ જાહેર કર્યું છે કે બિલ મળે કે ન મળે તા.૩૦ મે સુધીમાં બીલની રકમ ગ્રાહકોએ ભરપાઇ કરવી પડશે. જો ગ્રાહકોને બિલ ન મળ્યું હોય તો તેઓ પેટાવિભાગીય કચેરી અથવા W.W.W. P.G.V.C.L. COM માંથી ઓનલાઇન બીલની રકમ જાણી શકશે અને તેનું ચુકવણું ઓનલાઇન કે પેટા વિભાગીય કચેરીમાં કરી શકશે. હવે ગ્રાહકોને બિલ ભરવા માટે…
Read Moreરાજકોટ શહેર સગીરાને હોસ્ટેલથી અપહરણ કરી આરોપીએ ગુજાર્યો બળાત્કાર, આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ સહિતનો ગુન્હો દાખલ કરાયો
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટમાં હોસ્ટેલમાં રહતી ઉપલેટા પંથકની સગીરાને જામ ટીમ્બડીના હુસેન ભીખાભાઇ ઠેબાએ હોસ્ટેલથી અપહરણ કરી મોરબી રોડની હોટેલમાં લઈ જઈ ધમકી દઈ બળાત્કાર ગુજાર્યો. બળાત્કારનો ભોગ બનનાર સગીરા નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ત્યારે આરોપી વિરુદ્ધ પોકસો, અપહરણ, એટરોસિટી. બળાત્કારની કલમો મુજબ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો.પોલીસે આરોપીની વધુ તપાસ હાથધરી છે. સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. સગીરાનાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધી કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં આજથી રાજકોટ – મુંબઈ અને મુંબઇથી રાજકોટ વિમાન સેવા શરૂ થઈ
રાજકોટ, કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે રાજકોટમાં હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જે આજથી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે અને રાજકોટ એરપોર્ટ પર આજે આઠ વાગ્યે મુંબઈથી સ્પાઇસ જેટ મારફતે ૭૫ જેટલા મુસાફરો રાજકોટ આવી પહોંચ્યા હતા અને આજે ફલાઈટ મારફતે રાજકોટથી ૩૫ જેટલા મુસાફરો મુંબઈ જવા રવાના થયા હતા અને રાજકોટ એરપોર્ટ પર પહોંચેલા તમામ મુસાફરોનું મેડીકલ ચેકઅપ અને તમામ મુસાફરો નું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જ્યારે તમામ વાતની ખરાઈ કર્યા બાદ રાજકોટ એરપોર્ટની તેમજ ફલાઈટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે સ્પાઈસ જેટના સંચાલકોએ રાજકોટ-મુંબઈ અને…
Read Moreરાજકોટ શહેરમાં કોરોના વાયરસ પોઝિટિવ બોમ્બ ફુટયો, એક સાથે કોરોનાના ૬ કેસ નોંધાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૩ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકામાં ૨ અને ગોંડલ જામવાડીમાં રાજસ્થાનથી ૫ દિવસ પહેલા આવનાર મજૂર ભુવરલાલ ને કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. શહેરમાં આજે નોંધાયેલ કેસ પૈકી અમીનમાર્ગ, પ્રધ્યુમનનગર અને પુષ્કરધામ પાસે કેવલમ સોસાયટીમાંથી કોરોનાના ૩ કેસ સામે આવ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. જેમાં કાલાવડ રોડ પર આવેલ ૨૭Y/F, કેવલમ રેસિડેંસિ રહેતા અર્ચનાબેન કલ્યાણભાઇ અગ્રાવતનો તેમજ અમીન માર્ગ પર ૮૭Y/F, ચિત્રકૂટ ધામમાં રહેતા જશુમતિબેન લક્ષ્મીદાસ વિષ્ણુનો પણ કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. રિપોર્ટર :…
Read More