હિન્દ ન્યુઝ, ભાવનગર રાજસ્થાને 25-21, 25-18, 25-12નો સ્કોર નોંધાવ્યો હતો. પશ્ચિમ બંગાળની ટીમે તામિલનાડુને 3-0થી એટલેકે, 25-17, 26-24, 25-21થી હાર આપી હતી. અન્ય એક ક્વાટર ફાઇનલ મેચમાં કેરળની ટીમે પણ કર્ણાટકને 3-0થી સીધા સેટોમાં હાર આપી હતી. કેરળનો સ્કોર હતો, 25-20, 25-20, 26-24. મેન્સ વિભાગની ક્વાટર ફાઇનલ મેચોમાં હરિયાણાએ રોમાંચક તબક્કામાં સર્વિસીઝને 3-2થી પરાસ્ત કર્યુ હતુ. સ્કોર 27-25, 37-39, 25-16, 23-25, 15-11 રહ્યો હતો. રાજસ્થાને પંજાબને 3-1થી, 25-18, 22-25, 25-17, 25-19થી પરાજય આપ્યો હતો. કેરળની ટીમે આસાન મેચમાં કર્ણાટક ને 29-27, 25-21, 25-14 એટલે કે, 3-0થી હાર આપી હતી. અગાઉ…
Read MoreDay: October 10, 2022
લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો…
Read Moreઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ ઓક્ટોમ્બરનાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો ઓક્ટોમ્બર-૨૦૨૨ નો તાલુકા/ગ્રામ્ય ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૮ ઑક્ટોમ્બર ૨૦૨૨ નાં રોજ સવારે ૧૧ વાગ્યે મામલતદાર કચેરી ઘોઘા ખાતે નાયબ કલેકટર ભાવનગર, પ્રાંત ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા. ૧૫/૧૦/૨૨ સુધીમાં રાજ્યના દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો સંબધિત તલાટી કામ મંત્રીને તથા તાલુકા કક્ષાના પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને…
Read Moreસૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડ ૨૦૨૨મા ભાવનગરના એન્કર પુનિત પુરોહિત થયાવિજેતા
હિન્દ ન્યુઝ, ભાવનગર ગત ૨૯ તારીખે FNX India દ્વારા યોજાયેલ સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડમા સૌરાષ્ટ્રમાંથી કુલ ૨૧એન્કર નોમિનેટ થયેલા ! તેમાં મેગા ફાઈનલ રાઉન્ડ જીતી ભાવનગરના પુનિત પુરોહિતને મુનમુન દત્તા (“બબીતાજી “તારક મહેતા ફેમ ) ના હસ્તક ” બેસ્ટ એન્કર ઓફ સૌરાષ્ટ્ર “નો એવોર્ડ એનાયત થયો . પુનિત પુરોહિત છેલ્લા ૬ વર્ષથી એન્કરીંગના ક્ષેત્રમા કાર્યરત છે. અત્યાર સુધીમાં તેમણે નવરાત્રી ,લાઇવ કોન્સર્ટ, ડાન્સ ફેક્ટર, કોર્પોરેટ ઇવેન્ટ, પબ્લિક ઇવેન્ટ, ફેસ્ટિવલ ઇવેન્ટ અને સોશિયલ ઇવેન્ટ વગેરે મળીને કુલ ૯૦૦થી પણ વધુ ઇવેન્ટ હોસ્ટ કરી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુનિત પુરોહિત છેલ્લા…
Read Moreછોટાઉદેપુરમાં ઇદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જલુશ યાત્રા કાઢવામાં આવી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપર ઇસ્લામી કેલેન્ડર અનુસાર ત્રીજો મહિનો એટલે કે “રબીઉલ અવ્વલ” ની બારમાં ચાંદ ની તારીખે ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનો જન્મ દિવસ દુનિયાભર માં ઉજવવામાં આવી રહ્યો છે. આવા શુભ પ્રસંગે છોટાઉદેપુરમાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે મુસ્લિમ બિરાદરો દ્રારા નાત શરીફ (ધાર્મિક પઠનો) પઢતાં-પઢતાં જૂલુશ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં નાના બાળકો થી લઈને મોટા મુસ્લિમ બિરાદરોએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. જૂલુશ યાત્રા પસાર થવા ના માર્ગ ઉપર ઠેર-ઠેર પ્રસાદ માં ચોકલેટ, ખીર, બિસ્કિટ, ઠંડા પીણાં વગેરે…
Read Moreકાલાવડ તાલુકાના નિકાવા ગામે મુસ્લિમ સમાજ ના “ઈદે મિલાદુન્નબી” તહેવાર ની ઉજવણી
હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ) તા.૦૯-૧૦-૨૦૨૨ નાં રોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે મુસ્લિમ સમાજ ના “ઈદે મિલાદુન્નબી” તહેવાર ની ખુબ જ જોર-શોર થી ઉજવણી કરવામાં આવી. ઈદ-એ-મિલાદ-ઉન-નબી એ વિશ્વભરમાં મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. પર્વ સંધ્યાએ સાંજ થી નિકાવા જુમ્મા મસ્જિદ શણગારવામાં આવી હતી તેમજ મસ્જિદ-એ-ખારીજ (મસ્જિદ ના ફળિયા માં) 10×10 ફૂટ ની અલગ -અલગ ફૂલોની પાંદડી ઓ વડે “ઈદે મિલાદ” લખેલ આકર્ષક કારીગરી થી ફળિયુ શણગારવામાં આવ્યું. વહેલી સવારે ઉજવણી ચાલુ થઈ ગયી હતી. મુસ્લિમ બહેનો દ્વારા જમાતખાને વહેલી સવારે ઇસ્લામિક પઢાઈ (કુરાન શરીફ,…
Read Moreધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા શરદપુનમ નિમિત્તે રાસ ગરબાના કાર્યક્રમમાં સંતો, હરિભક્તો, અને ગુરુકુળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા
હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા રાજ્યમાં ઘણી બધી જગ્યાએ શરદપુનમના દિવસે પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં શરદપુનમ નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તો, ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ગુરુકુળના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબે રમ્યા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તહેવારોની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવતી હતી. જે આ વખતે સરકાર દ્વારા છૂટ આપવામાં આવતા લોકો તહેવાર ની મજા માણી શક્યા હતા. રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
Read Moreજસદણ તાલુકા માં વાતાવરણમાં પલટો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ તેમજ તાલુકા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ જસદણમાં કમોસમી વરસાદનાં કારણે જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કપાસ પલળી ગયો મોંઘા ભાવના બિયારણ-ખાતર પછી મહામહેનતે મગફળીનો પાક તૈયાર થયો હતો. જસદણ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા, કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનાં પડ્યા પર પાટું. બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ
Read Moreસાંતલપુર વારાહી ખાતે સન્માન સમારોહ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, રાધનપુર જિલ્લા નાસાંતલપુર વારાહી ખાતે સન્માન સમારોહ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો,વઢિયાર જુથ જતોડા વિભાગ નાઈ સમાજ વારાહી ખાતે રાધનપુર વિધાનસભા ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ માં શાન્તિ નાથ સોસાયટી વારાહી ખાતે સમારોહ યોજાયો. જેમાં ખુબ મોટી સંખ્યામાં નાઈ સમાજ ના લોકો ની ઉપસ્થિતિ માં સન્માન સમારંભ તથા સ્નેહ સંમેલન યોજાયું. આ પ્રસંગ એ ધારાસભ્ય દ્વારા નવીન બિલ્ડીંગનું ખાત મુર્હત કરવામાં આવ્યું,આ પ્રસંગે સમાજને ધારાસભ્ય દ્વારા મદદ પણ કરવામાં આવી સમાજના લોકોએ રાધનપુરના ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું સન્માન કરી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં રઘુભાઈ દેસાઈને મદદ…
Read Moreમોબાઈલ કોર્ટના આયોજનથી દિવ્યાંગજનોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ થાય છે : દિવ્યાંગો વ્યકિતઓ માટેના કમિશ્નર વી.જે રાજપૂત
હિન્દ ન્યુઝ, સૂરત સૂરત વિસ્તારના દિવ્યાંગજનો માટે મોબાઈલ કોર્ટનું આયોજન ગાંધીનગરના દિવ્યાંગ વ્યકિતઓ માટેના કમિશ્નર વી.જે.રાજપૂતના અધ્યક્ષસ્થાને સૂરત કલેકટર કચેરી ખાતે દિવ્યાંગ મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂરત શહેરના દિવ્યાંગજનો દ્વારા ૩૦૦ જેટલા પોતાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કમિશ્નર વી.જે.રાજપૂતે જણાવ્યું હતું કે, મોબાઈલ કોર્ટનું આયોજન દિવ્યાંગજનો માટે કરવામાં આવે છે અને જે તે વિસ્તારમાં જઈને કરવામાં આવે છે. જેથી દિવ્યાંગજનોને તકલીફ પડે નહીં. તેમણે મોબાઈલ કોર્ટ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાના દિવ્યાંગજનોને નોકરી, પસંદગી મંડળ, બેંક, ચાર ટકા અનામત નહીં મળવા બાબત, જાહેર સરકારી કચેરીમાં દિવ્યાંગ સુવિધા…
Read More