ધનતેરસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગીર સોમનાથને ભેટ, સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગનું થયું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને કાયદા અને ન્યાયતંત્ર મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતીમાં ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રવર્તમાન ન્યાયપ્રણાલીના સુદ્રઢ માળખા માટે અને ભવિષ્યની ન્યાયપ્રણાલીના ભૌતિક માળખાને મજબૂત અને આધુનિક બનાવવા માટે પૂર્ણ સુવિધાઓથી સજ્જ ૬ જિલ્લા કોર્ટસંકુલ, ૧૩ તાલુકા કોર્ટ અને ૮ ન્યાયાધીશ આવાસ અને વિવિધ સ્થળોએ કર્મચારી ક્વાર્ટર્સ એમ ૪૧ સ્થળોના ખાતમૂહુર્ત અને વર્ચ્યુઅલ શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથના સુત્રાપાડા ખાતે નવી કોર્ટ બિલ્ડિંગના ખાતમુહૂર્ત સમયે સ્થળ પરથી ઉપસ્થિત મુખ્ય…

Read More

શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય  ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાહેબના જન્મદિવસની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી.

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાહેબના  જન્મદિવસ નિમીત્તે આજરોજ શ્રી સોમનાથ મંદિર ખાતે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજન કરવામાં આવેલ. મહાપૂજન તેમના પ્રતીનીધિ સ્વરૂપે ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજે સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારીઓ તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા‌. સોમનાથ મહાદેવ પાસે અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય ની…

Read More