હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ થયેલો આ એક અઠવાડિયાનો પ્રવાસ તા.૧૬ મી જૂન સુધી ચાલશે. કેડેટ્સની દૃઢ ઇચ્છાશક્તિ, શિસ્ત અને ઉત્સાહ સાથે ખડકાળ ટેકરીઓ અને મુશ્કેલ માર્ગોને પાર કરી રહ્યા છે અને તેમની સહનશક્તિ, નેતૃત્વ…
Read MoreCategory: Education
તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીઓ/ પદાધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઈ…
Read Moreશિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર, આવો બાળ મજૂરી અટકાવીએ
આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મતે ‘‘શિક્ષણ એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે’’ પરંતુ જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી ઉપર જોવા મળે ત્યારે તેનું ભવિષ્ય જોખમાય છે. સરકાર આ બાબતની ગંભીરતાને સમજીને બાળ મજૂરીની સમસ્યાને સમાપ્ત કરવા માટે અનેક પગલાં લઈ રહી છે. ભારતીય બંધારણની કલમ – ૨૩માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા એક વર્ષમાં ૩૫ રેડ…
Read Moreકન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨.૦ કાર્યક્રમ: વર્ષ ૨૦૨૫- ૨૬
હિન્દ ન્યુઝ, આણંદ તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બ્રિફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ બ્રિફિંગ મિટિંગમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રિફિંગ મીટીંગ અંતર્ગત અમૂલ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ…
Read Moreધો.-૧૦ અને ધો.-૧૨ની પૂરક પરીક્ષા અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં…
Read Moreપૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સમગ્ર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, ડભોઇ ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૦ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે ૦ માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો ૦ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો ૦ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી “અમૃત પેઢી” ઘડવી પડશે
Read Moreવર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ એસોસિએશન ઓફ SPIPA સ્ટુડન્ટ્સ’ એલ્યુમ્ની (ASSA) દ્વારા અમદાવાદના GSC બેંક ઓડિટોરિયમ ખાતે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ની ભારતીય સિવિલ સર્વિસ અને ફોરેસ્ટ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ ૬૧ તેજસ્વી ઉમેદવારોના સન્માન સમારોહ અને વાર્ષિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે હાજરી આપી ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા.
Read Moreવિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 2335500 શરૂ કરાશે આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી તા. 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી…
Read Moreઆઈ.ટી.આઈ વાસદમાં પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો જોગ
હિન્દ ન્યુઝ, આણંદ ઓગસ્ટ – ૨૦૨૫ અંતર્ગત આઈ.ટી.આઈ વાસદમાં ખાતે પ્રવેશ કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તા.૩૦ જુન ૨૦૨૫ સુધીમાં સંસ્થા ખાતે https://itiadmission.gujarat.gov.in ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું તેમજ રજિસ્ટર્ડ કરવાનું રહેશે. પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો સાથે આઈ.ટી.આઈ,વાસદ ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા જણાવાયુ છે.
Read More