કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર     કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬-૨૭ના ત્રીજા દિવસે ભાવનગરના નારી ખાતે એ.કે. મોરડીયા હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત “સંસ્કૃત કક્ષ”નું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ અને પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના વિઝન અને રોડ મેપ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના માર્ગદર્શન હેઠળ સરળ માનક સંસ્કૃત (Simple Standard Sanskrit)ના આધારે સંસ્કૃત ભાષાના અભ્યાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ સંસ્કૃત કક્ષ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ અને ભાષા પ્રાવિણ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત રાજ્ય સંસ્કૃત…

Read More

તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિ ના પરિણામે રાજ્યમાં શિક્ષણની ક્રાંતિ

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા       સાવરકુંડલા શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને શહેરની પ્રાથમિક શાળા નં. ૬ તેમજ એસ.વી. દોશી ગર્લ્સ માધ્યમિક શાળામાં નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને આવકારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી, બદલાતા શિક્ષણપ્રવાહો સાથે કદમ મિલાવી…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની ઉપસ્થિતિમાં વડ પાંચસરા તાલુકા શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી એટલે કે તા.૨૩-૨૪-૨૫ જુન દરમિયાન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને લાલપુર તાલુકાની વડ પાંચસરા તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટરએ બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત શાળાએ આવવા અને અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરક ઉદબોધન કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,શિક્ષણ એ એક એવો દીવો છે જે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે. આપણે સૌએ સંકલ્પ લેવો જોઈએ…

Read More

જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર      આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે : મંત્રી એચ.એમ.નંદા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ…

Read More

જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં ખીરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

સ્કુલ ચલે હમ…  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ : ૨૦૨૬ હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની ખીરી પ્રાથમીક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર નાનાં બાળકોનું કંકુ પગલાં અને તિલક કરી કલેક્ટરએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા કલેક્ટરએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ત્યાં પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓ સાથે હળવી વાતચીત કરી હતી. તેમણે બાળકોને પ્રેમપૂર્વક પ્રોત્સાહિત કરતાં તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આંગણવાડીમાં ઉપલબ્ધ શૈક્ષણિક અને પોષણલક્ષી…

Read More

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક સરાહનીય કદમ!

હિન્દ ન્યુઝ, કે      ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે ધોરણ-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું. ડભોડીયા હનુમાન મંદિરના વિશાળ પ્રાંગણમાં યોજાયેલા આ સેમિનારમાં ૧,૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 🤝 સંયુક્ત પ્રયાસ: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ગાંધીનગર, શ્રી ડભોડીયા હનુમાન મંદિર ટ્રસ્ટ અને શ્રી એમ.એચ. વિદ્યામંદિર 🎯 સેમિનારનો મુખ્ય હેતુ: 📚 ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની માહિતી. 📝 વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન. 💼 સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની ઉત્તમ તકો. 🛠️ કૌશલ્ય વિકાસ (Skill Development) અંગે જાગૃતિ. ✨ કાર્યક્રમ…

Read More

ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાઓના અનુસંધાને પરીક્ષાસ્થળો આસપાસ પ્રતિબંધો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૧ જૂનથી ૨૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પૂરક પરીક્ષાઓ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પરીક્ષાસ્થળો આસપાસ કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે. આ પરીક્ષા દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્ર ખાતે પરિક્ષાર્થીઓ નિર્ભિક રીતે શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષાકેન્દ્રોની આજુબાજુનાં વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની…

Read More

દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનશીલતા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       7 જૂનના રોજ યોજાનાર GPSCની સંયુક્ત પ્રાથમિક પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ; દિવ્યાંગો માટે લિફ્ટ, ભોંયતળિયે બેઠક, વ્હીલચેર અને ‘દિવ્યાંગ મિત્રો’ જેવી સુવિધાઓ. 826 દિવ્યાંગ પરીક્ષાર્થીઓ સહિત રાજ્યભરમાંથી 75,487 પરીક્ષાર્થીઓ GPSCની પરીક્ષા આપશે.

Read More

GSEB ધોરણ-10 અને ધોરણ-12 પૂરક પરીક્ષા-2026ની હોલ ટિકિટ જાહેર!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 (સંસ્કૃત પ્રથમા) તથા ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા) ની પૂરક પરીક્ષા-2026 આગામી તા.11/06/2026 થી શરૂ થનાર છે. આ પરીક્ષા માટેના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.01/06/2026 ના રોજ બપોરે 15:00 કલાકથી બોર્ડની સત્તાવાર વેબસાઇટ્સ (ધોરણ-10 માટે ssc.gsebht.in, વિજ્ઞાન પ્રવાહ માટે sci.gsebht.in અને સામાન્ય પ્રવાહ માટે gen.gsebht.in અથવા gseb.org) પરથી ડાઉનલોડ કરવાની રહેશે.

Read More

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલી એકમાત્ર સરકારી માધ્યમિક શાળા આર.એમ.એસ.એ. બામણગઢ શાળાએ ૧૦૦ ટકા પરિણામ મેળવી ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રસંગે ગામના સરપંચ ભદ્રેશભાઈ મોવલીયા તથા ઉપસરપંચ રમેશભાઈ સાકરીયાએ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ડૉ. કોકિલાબેન ઉંધાડેએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બામણગઢ ગામમાં આ વર્ષે અદ્યતન શાળા બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સાથે જ શિક્ષકઓના સતત શ્રેષ્ઠ…

Read More