પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય લીમખેડામાં ધોરણ-૯ તથા ધોરણ ૧૧ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ ૨૩ ઓક્ટોબર સુધી લંબાવાઈ 

હિન્દ ન્યુઝ, દાહોદ

    પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા દરેક જીલ્લા ખાતે ધોરણ-૯ તથા ૧૧ માં વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવા માટે ની છેલ્લી તારીખ ૨૧.૧૦.૨૦૨૫ હતી તે પ્રશાશનીક કારણો સર તારીખ ૨૩.૧૦.૨૦૨૫ સુધી વધારવામાં આવી છે તથા ફોર્મ ભરેલ અરજદારોએ તારીખ ૨૪.૧૦.૨૦૨૫ થી તા. ૨૬.૧૦.૨૦૨૫ સુધી સુધારો કરી શકશે. જેની તમામ વિદ્યાર્થી-વાલીઓને જવાહર નવોદય વિદ્યાલય લીમખેડાના પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment