હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનિય ટ્રસ્ટી અને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સાહેબના જન્મદિવસ નિમીત્તે આજરોજ શ્રી સોમનાથ મંદિર ખાતે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજન કરવામાં આવેલ. મહાપૂજન તેમના પ્રતીનીધિ સ્વરૂપે ટ્રસ્ટના એક્ઝીક્યુટીવ ઓફિસર દ્વારા કરવામાં આવેલ. અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય માટે આયુષ્ય મંત્ર જાપ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરવામાં આવેલ. આજે સાંજે ભગવાન સોમનાથને સાયં વિશેષ શૃંગાર સાથે દિપમાલા કરવામાં આવશે. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારીઓ તથા તિર્થ પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ મહાદેવ પાસે અમીતભાઈ શાહ સાહેબના નિરામય દિર્ઘાયુષ્ય ની પ્રાર્થના કરી હતી.