મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે લેવાયા મહત્વના નિર્ણયો

હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું છે કે, ખેડૂતોનું કલ્યાણ એ જ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી જનહિતલક્ષી સરકારનો નિર્ધાર છે. ખેડૂત કલ્યાણના મંત્રને વરેલી  રાજ્ય સરકારે ખેડૂતના હિત માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. કુદરતા આપદા હોય કે અન્ય આપત્તિ કાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે ત્યારે ખેડૂતોનું બાવડું પકડીને બેઠા કરવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે.  આજે ગાંધીનગર ખાતે આરોગ્ય અને જળ સંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી  બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મીડિયાને વિગતો આપતા…

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૨ના રોજ વોર્ડ નં. ૭માં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ સેવાસેતુ કાર્યક્રમમાં ઉકેલ લાવી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવા કાર્યવાહી કોર્પોરેશન તથા સરકારી કચેરીઓ આપના આંગણે, બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં 3૨૫ લાભાર્થીઓએ સેવા સેતુનો લાભ લીધો. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નોના નિકાલ  તેમજ સરકારની યોજનાઓના લાભ મેળવવા…

Read More

તા. ૦૯-૧૦-૨૦૨૨નાં હોકી મેચનો કાર્યક્રમ જાહેર કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. ૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. મહિલા હોકી ટીમ પૂલ A પૂલ B…

Read More

અવસર લોકશાહીનો “આપણા સૌનો એક જ નિર્ધાર, બાકી ન રહે કોઈ મતદાર”

હિન્દ ન્યુઝ, બોટાદ “હું અચૂક મતદાન કરીશ” લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એટલે કે ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ જળવાય તે માટે ચૂંટણી તંત્રએ વિવિધ પ્રયોગો હાથ ધર્યાં છે.ત્યારે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત લોકો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં નાગરિકો પાસેથી અલગ અલગ કાર્યક્રમોમાં આ મોકો મતદાન કરવાને કાજે, આગળ આવો લોકો, લોકશાહી આપણાંથી, મતદાન કરો ગર્વથી, મતદાન એ જ લોકહિતનું કાર્ય, આપણો મત અમૂલ્ય, અવશ્ય મતદાન કરીએ, મતદાન કરી નિભાવી નૈતિક ફરજ છે, લોકશાહીની નમ્ર અરજ, મતદાન એ આપણી…

Read More

नभः स्पृशं दीप्तम : આજે 8 ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ

હિન્દ ન્યુઝ, બોટાદ આજે 8 ઓકટોબર એટલે કે ભારતીય વાયુસેના દિવસ. ગૌરવ અને ગર્વ સાથે ગગનને આંબતી ભારતીય વાયુસેના દુનિયામાં અજોડ છે. અદમ્ય સાહસ, પ્રતિષ્ઠા અને શૌર્યનો પરિચય કરાવતી વાયુસેનાની વર્ષ 1932માં આજના દિવસે સ્થાપના થઈ હતી. 1 એપ્રિલ 1933ના રોજ વાયુસેનાની પહેલી સ્ક્વોડ્રોન બનાવવામાં આવી હતી. તેમાં 6 RAF ટ્રેન્ડ ઓફિસર અને 19 એરફોર્સ સૈનિક સામેલ હતા. આઝાદી બાદ વર્ષ 1950માં વાયુસેનાના નામમાંથી ‘રોયલ’ શબ્દ દૂર કરીને ‘ઈન્ડિયન એરફોર્સ’ કરી દેવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય ‘नभः स्पृशं दीप्तम’ શ્રીમદ્ ભગવત ગીતાના 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું હતું. જે…

Read More

ધ્રાંગધ્રા મા ચારરૂટની ચાર ટ્રેનોને સ્ટોપેજ આપવા દિલ્લી થી કેન્દ્રીય મંત્રી ડૉ મહેન્દ્ર મુજપરા દ્રારા ઈ લોકાર્પણ તથા સ્થાનિક લેવલે થી ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તાર ના લોકોની લાબા સમયથી મા ધ્રાંગધ્રા વિસ્તાર માથી પસાર થતી લાબા રૂટની ટ્રેનો સ્ટોપેજ આપવાની માગ હતી ત્યારે ધ્યાન મા લઈને ચાર ટ્રેનોને ધ્રાંગધ્રા મા સ્ટોપેજ આપવામાં આવતા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી ધ્રાંગધ્રા માથી કચ્છ થી નીકળતા લાબા રૂટની ટેનો ને, સ્ટોપેજ આપવા માટે ગાંધીધામ માતા વૈષ્ણોદેવી. ગાંધીધામ ગાંધીધામ નાગરકોઈલ -ગાંધીધામ વિશાખાપટ્ટનમ ટ્રેન ને સ્ટોપેજ આપવા માટે વિસ્તાર ના આગેવાનો અને આમીઁ દ્વારા રેલ્વે મંત્રી અને રેલ્વે ના ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરવામાં આવી હતી બીજા રાજયમા રેહતા આમીઁ ના જવાનો…

Read More

મુજપુર લોટેશ્વર શિવાનંદજી મહારાજ 101 વર્ષ ની ઉંમરે શિવ ચરણ થતાં સમગ્ર હિન્દૂ સમાજને મોટી ખોટ પડી

હિન્દ ન્યુઝ, રાધનપુર સમગ્ર ભારત ભરમા હિન્દુ સભાઓમાં ગર્જના કરી ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું. પાટણ જિલ્લાના મુજપુર લોટેશ્વર શિવાનંદજી મહારાજ 101 વર્ષ ની ઉંમરે શિવ ચરણ થતાં સમગ્ર હિન્દૂ સમાજને મોટી ખોટ પડી છે. વિશ્વ હિન્દુ પરિષદ ના રાષ્ટ્રીય સંત માર્ગદર્શક મંડળ સદસ્ય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાગપુર શાખાના સ્વયંસેવક અને આઝાદ હિંદ ફૌજના સૈનિક અને તેજાબી વકતા એવા પરમ પૂજ્ય સંત શિવાનંદજી મહારાજ જેવો 101 વર્ષ પૂર્ણ કરી દેવલોક પામ્યા છે. તેઓ ખૂબ જ નિષ્ઠાવાન અને વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ ઉપયોગી રહી સમગ્ર ભારત ભરમા હિન્દુ…

Read More