ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા શરદપુનમ નિમિત્તે રાસ ગરબાના કાર્યક્રમમાં સંતો, હરિભક્તો, અને ગુરુકુળના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

રાજ્યમાં ઘણી બધી જગ્યાએ શરદપુનમના દિવસે પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળમાં શરદપુનમ નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરિભક્તો, ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ગુરુકુળના સંતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબે રમ્યા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તહેવારોની ઉજવણી સાદગીપૂર્ણ કરવામાં આવતી હતી. જે આ વખતે સરકાર દ્વારા છૂટ આપવામાં આવતા લોકો તહેવાર ની મજા માણી શક્યા હતા.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment