હિન્દ ન્યૂઝ, થરાદ દેશમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે થરાદ તાલુકાના મોરથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું. ગામના જાગૃત નાગરિકો તથા તલાટી કમ મંત્રી દ્રારા સાથે મળીને ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું. મોરથલ ગામના જાગૃત નાગરિક સાંન્તીભાઈ, નરશીભાઇ દરજી, ડાયાભાઈ દરજી, નાગજીભાઈ ઠાકોર તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યાં હતાં. રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ
Read MoreDay: May 16, 2021
નેત્રંગમાં તૌકતે વાવાઝોડાથી અનેક વૃક્ષા ધરાશાયી થયા, કેરી પાકને વ્યાપક નુકસાન, વીજપુરવઠો ખોરવાયો
હિન્દ ન્યૂઝ, નેત્રંગ પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે એકાએક તૌકતે વાવાઝોડું ફુંકાયું હતું. જેમાં નેત્રંગ તાલુકાના કેટલાક ગામમાં ઘરના પતરા-નડીયા ઉડી જવા, વૃક્ષો ધરાશાયી થવા અને ચારેય તરફ ધુળની ડમરીઓ ઉડતા અંધારાપટ છવાઈ ગયો હતો અને નેત્રંગ ટાઉન સહિત તાલુકાભરના અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં મુખ્યત્વે તૌકતે વાવાઝોડાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે,આવનાર સમયમાં કેરી મળવી મુશ્કેલ બનશે અને ભાવમાં પણ વધારો થઇ શકશે. રિપોર્ટર : સતિષ દેશમુખ, નેત્રંગ
Read Moreદિયોદર કોરોના સામે યુધ્ધ જીત્યા હોવાનો અહેસાસ, ૪ દર્દીઓ ઘર વાપસી કોવીડ સેન્ટર સ્વાગત સાથે વિદાય આપી
હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના કાળમાં દિયોદર ના આદર્શ હાઈસ્કૂલ કેમ્પસમાં સ્થિત કોવીડ સુવિધા કેર સેન્ટર મા કોવીડ દર્દીઓ ની તબિયત એકદમ સુધરતા આજે દર્દીઓ ને કોરોના જંગ જીત્યાનો અહેસાસ જોવા મળ્યો જ્યાં પાંચ દર્દીઓ ને ફૂલો થી સ્વાગત કરી ઘર તરફ વિદાય આપી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જન સુવિધા કોવીડ કેર સેન્ટર મા ૫૦ ઉપરના ગંભીર દર્દીઓ હવે ધીરે ધીરે સજા થઈ ઘર વાપસી જઇ રહ્યા છે. ત્યારે આદર્શ હાઈસ્કૂલ ખાતે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે ડૉક્ટરો અને ટીમ સાથે જન…
Read Moreવડતાલ મંદિરની હોસ્પિટલને પાંચ ઓક્સીજન કોન્સનટ્રેટર મશીનનું દાન
હિન્દ ન્યૂઝ, વડતાલ વડતાલ મંદિર દ્વારા નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ નિશુલ્ક કોવિડ કેર સેન્ટર બની ગયું છે. આજે અંહિ ૩૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં ઓકેસીજનની કટોકટી છે. ઓકેસીજનના અભાવમાં સારવાર મુશ્કેલ બેને છે આ હકીકતને ધ્યાનમાં રાખીને વડતાલ મંદિરના વરિષ્ઠ સંત પ.પૂ.સદ.શ્રી ધર્મપ્રસાદદાસજી એવં શા.ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી શીકાગો પરલીન મંદિર તરફથી દશ ઓકેસીજન કોન્સેનટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્યકોઠારી શાસ્ત્રી સંતવલ્લભદાસજી, શુકદેવ સ્વામી, ગોકુલધામ નાર, લાલજી…
Read Moreઆણંદ જિલ્લાના હાડગુડ ગામનો અનોખુ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પોસ્ટ ઓફિસ થી ભાથીજી મંદિર સુધી ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ સી.સી.રોડ પાચ વર્ષની અથાગ મહેનત બાદ બન્યા પછી ફક્ત ગણત્રીના દિવસોમાંજ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી હતી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અમીતભાઈ પટેલને પણ રજુઆતો કરવામાં આવી હતી અને તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે એ સી.સી રોડ કોન્ટ્રાક્ટ દ્રારા પછી કરીયાપવામા આવશે તેવું મોખીકક જણાવેલ તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને આખરે ઘણા મહિના સુધી ગામના…
Read Moreદિયોદર રેફરલ હોસ્પિટલ ની કોરોના ની મહામારી વચ્ચે ડોકટર્સ અને નર્સ ટિમ ની કામગીરી બિરદાવા લાયક
હિન્દ ન્યૂઝ, દિયોદર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે 24 કલાક હંમેશા ખડેપગે રહી દર્દીઓ ને પૂરતી સારવાર આપનાર ડોકટર્સ અને નર્સ ટિમ ની કામગીરી બિરદાવા લાયક છે જે તમામ કોરોના વોરિયર્સ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોરોના વાઈરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ફાળા થી દિયોદર રેફરેલ હોસ્પિટલ જર્જરિત હોવા છતાં તાલુકા ની પ્રજા ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રેફરેલ હોસ્પિટલમાં કોવિડ 19 કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમય 150 જેટલા દર્દીઓ કોરોના સંક્રમિત હોવાથી…
Read Moreદિયોદર સરપંચ ગિરિરાજ સિંહ વાઘેલા એ કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી જન્મ દિવસની ઉજવણી કરી
હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના કાળમાં દિયોદર સરપંચ અને દિયોદર રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા પોતાના જન્મદિવસની ઉજવણી દિયોદર ખાતે ચાલતા કોવીડ કેર સેન્ટર ની મુલાકાત લઈ દર્દીઓ ના ખબર અંતર પૂછી કોવીડ સેન્ટરોને ચેક અર્પણ કરી મહામારી મા જન્મદિવસ અનોખી ઉજવણી કરી. કોરોના કહેર વચ્ચે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દિયોદર આરોગ્ય તંત્ર દ્વારા ખડે પગે રહી કોવીડ દર્દીઓ માટે ઓક્સીજન, દવાઓ સાથે દર્દીઓ કેર સારી લીધી જેનાં કારણે કેટલાય દર્દીઓ ના જીવ બચ્યા છે ત્યારે રેફરલ હોસ્પિટલ ના ડૉક્ટરો ની ટીમ સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા સરહાનિય કામગીરી થી પ્રભાવિત થઈ ૧૫…
Read Moreમાંગરોળ લાલબાગ સીમ શાળાનું ગૌરવ
હિન્દ ન્યૂઝ, માંગરોળ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય – ગાંધીનગર દ્વારા લેવાયેલ નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એકઝામ (NMMS – 2020/21 ) માં લાલબાગ સીમ શાળા – માંગરોળ માંથી 16 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ, જેમાથી 14 વિદ્યાર્થી ઓ પાસ થયેલ છે. જે પૈકી એક વિદ્યાર્થી ઝાગા નાઝીમ ઈસ્માઈલભાઈ 134 માર્કસ મેળવી માંગરોળ કેન્દ્રમાં બીજા નંબરે પાસ થઈ મેરીટ માં સ્થાન મેળવેલ છે. આ મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થી સરકાર દ્વારા અગામી 4 વર્ષમાં 48000/- રૂપિયા શિષ્યવૃતી મેળવશે. આ તમામ પાસ થનાર વિદ્યાર્થીઓ અને મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીએ લાલબાગ સીમ શાળા,…
Read Moreમોડાસા રૂરલ પોલીસને વાહન ચેકીંગ દરમ્યાન કુલ કિ.રૂ.૧,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડવામાં મળેલ સફળતા
હિન્દ ન્યૂઝ, મોડાસા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા સારૂ વાહન ચેકીંગ/પેટ્રોલીગ રાખવા સુચના આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકિકત મળેલ કે એક કાળા કલરની પલ્સર મોટર સાયકલ નંબર જી.જે.૩૧.એમ.૬૫૧૫ ની ઉપર બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશીદારૂ લઇ કુશ્કી બાજુ થઇ દધાલીયા ગામ તરફ…
Read More