દિયોદર કોરોના સામે યુધ્ધ જીત્યા હોવાનો અહેસાસ, ૪ દર્દીઓ ઘર વાપસી કોવીડ સેન્ટર સ્વાગત સાથે વિદાય આપી

હિન્દ ન્યૂઝ, દિયોદર

    કોરોના કાળમાં દિયોદર ના આદર્શ હાઈસ્કૂલ કેમ્પસમાં સ્થિત કોવીડ સુવિધા કેર સેન્ટર મા કોવીડ દર્દીઓ ની તબિયત એકદમ સુધરતા આજે દર્દીઓ ને કોરોના જંગ જીત્યાનો અહેસાસ જોવા મળ્યો જ્યાં પાંચ દર્દીઓ ને ફૂલો થી સ્વાગત કરી ઘર તરફ વિદાય આપી.

    બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં જન સુવિધા કોવીડ કેર સેન્ટર મા ૫૦ ઉપરના ગંભીર દર્દીઓ હવે ધીરે ધીરે સજા થઈ ઘર વાપસી જઇ રહ્યા છે. ત્યારે આદર્શ હાઈસ્કૂલ ખાતે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે ડૉક્ટરો અને ટીમ સાથે જન સુવિધા સેન્ટર ના દિયોદર ધારા સભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલ ભાઈ માળી, વકીલ બીકે જોશી, વકીલ ભરતભાઈ ઠાકોર અને જન સુવિધા કોવીડ કેર ના સેવાભાવી કાર્યકરો દ્વારા કોરોના દર્દીઓ 1) પંચાલ રમાભાઈ કાનજીભાઈ ગામ રૈયા, ઉમર ૭૫ વર્ષ, 2) પટેલ ખેમીબેન નાગજીભાઈ ઉમર ૬૭ ગામ લીલાધર 3) ઉમાજી કલાજી માળી ઉમર ૪૦ ગામ ધ્રાન્ડવ, 4) લુહાર ભીખીબેન ઉમર 46 ધ્રાન્ડવ,5) ભીખી બેન આયદાન ભાઈ ઉમર 58 જેઓને સારવાર દરમિયાન આરોગ્ય સુધારો થતાં ડિસ્ચાર્જ કરવામાં આવતા કોરોના જંગ જીત્યા હોવાના આનંદ સાથે ફૂલો થી સ્વાગત કરી ઘર વાપસી થયા હતા. મહત્વનું છે કે કોરોના કપરા સમયએ દિયોદર પંથકમાં લોકો ઓક્સીજન વગર તડપતા હતા ત્યારે જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખુલ્લું મુકાયું અને ૫૫થી વધારે કોરોના ગંભીર દર્દીઓને સારવાર નિ:શુલ્ક સેવાઓ અને દવાઓ ની સારવાર આપી. લોકોના સ્વાસ્થ્ય માટે સારી કામગીરી બદલ દર્દીઓ કોવીડ સેન્ટર અને સેવાભાવી સંસ્થા કાર્યકરો, ડૉક્ટરો નો દિલથી આશીર્વાદ આપે છે ત્યારે દિયોદર ડૉક્ટરો અમદાવાદ મા પોતાના કલીનિક સેન્ટરો બંધ કરી વતનને વ્હારે આવી નીશુલ્ક ઉમદા સેવા કાર્ય કરી રહ્યા છે. સાથે પેરા મેડિકલ સ્ટુડન્ડો જન સુવિધા કોવીડ કેર સેન્ટર મા રાત દિવસ ખડે પગે રહી લોકો ની આરોગ્ય સેવાઓ આપી પંથકના લોકો માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે. જે પંથક માટે સરહાનિય કામગીરી જોવા મળી રહી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment