થરાદ તાલુકાના કળશ લવાણા ગામમાં દાતાશ્રી એ 1000 કિલો તરબૂચ (કાળેગા) ગાયો માટે આપ્યું

હિન્દ ન્યૂઝ, થરાદ     બનાસકાંઠા જિલ્લા નાં થરાદ તાલુકાના કળશ લવાણા ગામમાં કોરોના ની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી લુવાણા કળશ ની સોટા ની રળાવુ ગાયો માટે 1000 કિલો તરબૂચ (કાળેગા) ગાયો ને ખવડાવામાં આવશે અને તેમના દાતાશ્રી શાહ મનોજ ભાઈ બાદરમલ અને શાહ નેનમલ ચમનાજી અને પાછલા સતત પંદર દિવસથી લીલો ઘાસ ચારો આપવામાં આવે છે અને ગામના યુવાન મિત્રો દ્વારા આ ભાગ્યે જ કાર્ય સતત પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહ્યું છે. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

દેવગઢ બારીયા આમ આદમી પાર્ટી દ્વારા આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા      હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દેવગઢ બારીયા શહેર તથા તાલુકાના આમ આદમી પાર્ટી ના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ટીમ દ્વારા કોરોના સામે રક્ષણ મળી રહે તે હેતુ થી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના સાથે સાથે કોરોના સામે કેવી રીતે સજાગ રહી ને તેનાથી બચી શકાય તે માટે નાં જરૂરી સૂચનો આપી સામાન્ય જનતામાં તે અંગેની જાગૃતિ ફેલાવાનું કાર્ય દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર : ફેઝાન મફત, દેવગઢ બારીયા 

Read More

દિયોદર માં 80 વર્ષ ના માજી એ 14 દિવસે કોરોના ને હરાવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર કોવિડ 19 કેર સેન્ટર માં વધુ એક 80 વર્ષ ના માજી એ કોરોના ને હરાવ્યો છે. છેલ્લા 14 દિવસ થી સારવાર લેતા માજી સ્વસ્ત થતા આજે રજા આપવામાં આવી હતી. દિયોદર તાલુકા ના વડીયા ગામે રહેતા મરઘાંબેન માનાજી માળી જેમને કોરોના ની અસર થતા દિયોદર રેફરેલ કોવિડ 19 કેર સેન્ટર માં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 14 દિવસ થી આ 80 વર્ષ ના માજી સારવાર લઈ રહ્યા હતા જેમાં 14 દિવસ બાદ કોરોના ને હરાવી રજા મેળવતા પરિવારજનો દ્વારા આરોગ્ય વિભાગ, ડોકટર…

Read More

નડિયાદ સિવિલ ખાતે ૫(પાંચ) પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કરાયા

હિન્દ ન્યૂઝ, નડિયાદ     કોરોના મહામારીને લઇને રાજ્યમાં  અલગ અલગ પ્રકારે જરુરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ખેડા જીલ્લા અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે જીલ્લાના ૫(પાંચ) અલગ-અલગ આરોગ્ય લક્ષી સંસ્થાઓને પોર્ટેબલ કોન્સનટ્રેટર મશીન ડોનેટ કર્યા હતા ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા આપવામાં આવશે. મહત્વનું છે કે આ બાબતે આજ રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે  પણ ૫ નંગ આ મશીન  આર.એમ.ઓને સુપ્રત કર્યા હતા. આ સમયે જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડિ.એસ.ગઢવી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાસંદ દેવુસિંહ ચૌહાણ,…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં રાજય સરકાર લોકોના જીવ બચાવવા યોગ્ય સુવિધા આપે

ગીર સોમનાથ      ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આહવાન મુજબ કોરોના મહામારીની બેકાબુ પરિસ્થિતિ ઉભી થઈ છે અને સરકાર માત્ર જાહેરાત કરે છેઅને કોરોનાના દર્દીઓ માટે પુરતી સુવિધા પુરી પાડતી ના હોય જે અનુસંધાને સરકારને જગાડવા માટે ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઈ ગોહેલની આગેવાનીમાં અને 91-સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં નાયબ કલેક્ટર વેરાવળની કચેરી સામે ધરણાં અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ગીરસોમનાથ જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાજર રહેલ (૧) અભયભાઈ જોટવા, ગીરસોમનાથ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા (૨) ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી જયકરભાઈ ચોટાઈ (૩) ગીરસોમનાથ જિલ્લા…

Read More

સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) કોરોના મહામારી ની સાંકળ તોડવા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન

હિન્દ ન્યૂઝ, સુઈગામ      બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના નેસડા(ગોલપ) કોરોના મહામારી ની સાંકળ તોડવા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મૂલ નેસડા ગામની વતની એવા ડાયાલાલ વાલચંદ કોરડીયા પરિવાર (હાલ રે. સુરત નિવાસી )દ્વારા નેસડા (ગોલપ) પ્રાથમિક શાળા માં આજે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફ્રી સેવામાં તાવ, શરદી, ખાંસી જેવી બિમારીઓની તપાસ, કોરોના ટેસ્ટ, BP, ઓક્સિજન વગેરેની ફ્રી સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર ભાઈ રાજપુત તરફથી જણાવવામાં આવ્યું હતું કે સરકાર ની ગાઇડલાઇન મુજબ અને સુઈગામ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી…

Read More