હિન્દ ન્યૂઝ, આણંદ ડી.જી.પી. ગુ. રા. ગાંધીનગર ના ઓ એ રાજ્ય મા નાસતા ફરતા આરોપી ઓ પકડી પાડવા સારુ કરેલ સુચના અન્વયે પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ સાહેબ આણંદ નાઓ એ આણંદ જિલ્લા ના તથા બહાર ના જિલ્લા ના ગુના ઓ મા નાસતા ફરતા આરોપી ઓ ને પકડવા અસરકારક કામગીરી કરવા સુચના ઓ આપેલ. જે અન્વયે પી.એ.જાદવ, ઈ.પો.ઈન્સ. એલ.સી.બી આણંદ ના ઓ એ સ્ટાફ ના માણસો ને નાસતા ફરતા આરોપી ઓ અંગેની માહિતી એકઠી કરી જરૂરી વોચ રાખવા જણાવેલ જે કામગીરી મા હતા. દરમ્યાન આજરોજ હે.કો.પ્રમેશકુમાર તથા સંદીપકુમાર ના ઓ ને…
Read MoreDay: February 14, 2021
નર્મદા અને વડોદરા જીલ્લા ને જોડતાં રંગ સેતુ (પોઈચા) બ્રિજ ને સમારકામ અર્થે એક માસ માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો
નાયબ કાર્યપાલક ઈજનેર વડોદરા દ્વારા જારી કરાયેલો પત્ર સોશિયલ મિડીયા મા વાયરલ થતાં લોકો માં ફરી થી ઉચાટ તા.17/2/2021 થી 17/3/2021 સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ નો ઉલ્લેખ હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા નદી ઉપર આવેલા પોઈચા બ્રિજ વડોદરા અને નર્મદા જીલ્લા ને જોડતો એક મહત્વ પુર્ણ માર્ગ છે. નર્મદા જીલ્લા ની પ્રજા નો વડોદરા શાથે નો ધંધાકીય અને સામાજીક સંબંધો જોડાયેલાં છે. નાના મોટા વેપારીઓ અને નોકરીયાતો માટે આ બ્રીજ જીવાદોરી સમાન છે. આ બ્રીજ બન્યા બાદ વારંવાર પોતાના નબળા બાંધકામ ને કારણે ખોડંગાતો રહ્યો છે. અગાઉ પણ 2014 મા…
Read Moreહિંમતનગર તાલુકા ખાતે ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જીલ્લા નાં હિંમતનગર તાલુકા ખાતે આજ તા. 14/02/2021ને રવિવારના રોજ ફ્રી મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું. આ ફ્રી નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલ ડૉ. એમ.એમ.સુરતી, ડૉ.મોહસીન મેમન, ડૉ. સદ્દામ મેમન તથા ડૉ. રૈયાન મેમન અને બીજા અન્ય ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. સાથે આ ફ્રી ચેકઅપમાં 11 ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવું સરસ આયોજન 6 મહિનામાં બે વખત કરવામાં આવે તો પછાતવર્ગના માણસો માટે ખુબ જ લાભદાય નીવડે. સમાજ દ્વારા કરવામાં આવેલ આયોજન ખુબ જ સારુ અને સફળ રહ્યું. આ ફ્રી મેડિકલ ચેકઅપ આયોજનમાં નિદાન ફ્રી…
Read Moreશ્રી નકલંક ધામ તોરણીયા મંદિરે મહાબીજના દિવસે રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, જૂનાગઢ પ.પૂ.સંત શ્રી સેવાદાસ બાપા આશ્રમ નકલંક ધામ ખાતે મહાબીજમહોત્સવ-૨૧ ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભક્તોએ રામદેવપીરના દર્શન કર્યા હતા તેમજ પ.પૂ.શ્રી.ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રબાપુના ભક્તોએ આશીર્વાદ લીધા હતા. રાત્રી આરતીનો લાભ લીધો હતો. રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાત નામ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. રામદાસ ગોંડલીયા, લક્ષ્મણ બારોટ, બિરજુ બારોટ, કિર્તીદાન ગઢવીએ ભજનોની રમઝમાટ બોલાવી હતી. રાજેન્દ્રબાપુ અન્ય સાધુ-સંતો-મહંતો, મહેમાનો, ભક્તો, સેવકો તેમજ આજુબાજુ ના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારો દ્વારા રામદેવપીર, સતદેવીદાસ, અમરદેવીદાસના ભજનો ગાઈને શ્રોતાઓને મોજ કરવી…
Read Moreગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ડી.ડી. ભારતીના સુરીલો સંવાંદના એંકર જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવશે
હિન્દ ન્યૂઝ ડી.ડી.ભારતીનો સુરીલો સંવાંદ વિશેષ કાર્યક્રમ અંતર્ગત કલા, સંસ્કૃતિ, સંગીત અને સાહિત્યના વિશિષ્ટ કલાકારોની સુપ્રસિદ્ધ જર્નાલિસ્ટ વિજયભાઈ જોટવા દ્વારા ખાસ મુલાકાત કરે છે. આગામી સમયમાં ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની મુલાકાત લેવાંના હોય ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા, અધ્યક્ષ કમલેશભાઈ આર.બથીયા તથા અધિકારી પરશોતમભાઈ કછેટીયા ના વરદ હસ્તે વિજયભાઈ જોટવાને ભગવાન દ્વારકાધીશ નું સ્મુર્તી, સન્માન પત્ર સહ શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવશે તથા ડી.ડી. ભારતીનો સુરીલો સંવાંદની પુરી ટીમને સન્માન પત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.…
Read Moreધારાસભ્યની રાહબરી હેઠળ નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન, દરેક જ્ઞાતિ ને ટિકિટો નું પ્રાધાન્ય
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી જંગમાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની રાહબરી હેઠળ સંકલન સમિતિ ના જવાબદાર અગ્રણીઓ દ્વારા છેલ્લા 15 દિવસથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ની પસંદગી બાબતે કમર કસી હતી અને આજ રોજ ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની પસંદગીના કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. આ વખતની ચૂંટણીમાં પાર્ટીના હિતને ધ્યાનમાં રાખી તટસ્થા પૂર્વક સર્વે જ્ઞાતિને ટિકિટો ફાળવી ઉમદા ઉદાહરણ પૂરું પડેલ છે. ઉમેદવારોની પસંદગી બાબતે પ્રદેશ અગ્રણીઓ નુશરતભાઈ પંજા, જયકારભાઈ ચોટાઈ, વિક્રમભાઈ તન્ના, શહેર પ્રમુખ દિનેશભાઇ રાયઠઠા, બકુલ પટેલ, અશોકભાઈ ગદા, દેવેન્દ્રભાઈ…
Read Moreગીર સોમનાથ વેરાવળ માં આજે અપક્ષ ઉમેદવારો એ ફ્રોમ ભર્યા રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં અન્ય સમાજ ના ઉમેદવારો પણ જોડાયા
હિન્દ ન્યૂઝ, વેરાવળ ગીર સોમનાથ જીલ્લા માં આજરોજ ભારતીય જનતા પાર્ટીના સાસન થી પ્રજા માટે તત્પર રહેતા ખારવા સમાજ ના રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ ના કામગીરી પ્રયત્ન સીલ કાર્ય આજે પણ પ્રજા મુખેથી લોક ચાહના છે. જેમાં આજે ઉમેદવાર તરીકે રવિભાઈ ગોહિલ અને ઉદય ભાઈ શાહ મેદાન માં આવ્યા છે. જેમાં અન્ય સમાજ પણ તેમનો સાથે જોડાયેલા અને ઉમેદવારો એ ફ્રોમ ભર્યા છે ત્યારે પ્રજા મુખેથી નવા ઉમંગ હોવાના વર્તુળો સામે આવ્યા. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
Read Moreવેરાવળ મા જાલેશ્વર મહાબીજ ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઇ
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર મંદિર ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે રાત્રી ના બીજ ના પાવન દિવસે મહાઆરતી, સોમનાથ ધુંન દ્વારા રામદેવજી મહારાજ ના ભજન, મહાપ્રશાદ સહીતના કાયઁક્રમ રખાયા હતા. સાથે ખારવા સમાજ માટે આ પાવન પર્વ છે ને આ પર્વ ખારવા સમાજ ધામ ધૂન થી વર્ષો ની પરંપરાગત ઉજવવામાં આવે છે. જીતુભાઈ કુહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા રામદેવપીર બાપા ની ઉજવણી ખૂબ ધામધૂમ થી ઊજવે છે. આ કાર્યક્રમ મા જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા, બોટ એસોસિએશન ના પ્રમુખ ગોપાલભાઈ…
Read More