વેરાવળ મા જાલેશ્વર મહાબીજ ની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઇ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર મંદિર ખાતે રામદેવજી મહારાજ ના મંદિરે રાત્રી ના બીજ ના પાવન દિવસે મહાઆરતી, સોમનાથ ધુંન દ્વારા રામદેવજી મહારાજ ના ભજન, મહાપ્રશાદ સહીતના કાયઁક્રમ રખાયા હતા. સાથે ખારવા સમાજ માટે આ પાવન પર્વ છે ને આ પર્વ ખારવા સમાજ ધામ ધૂન થી વર્ષો ની પરંપરાગત ઉજવવામાં આવે છે. જીતુભાઈ કુહાડા અને અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા રામદેવપીર બાપા ની ઉજવણી ખૂબ ધામધૂમ થી ઊજવે છે. આ કાર્યક્રમ મા જીતુભાઈ કુહાડા, કિશોરભાઈ કુહાડા, બોટ એસોસિએશન ના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી, લોઢી સમાજ ના પ્રમુખ હીરાભાઈ વધાવી, ગીર સોમનાથ જિલ્લા ના ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા , વાણદ સમાજ ના પટેલ મહેશભાઈ વાજા, સાધુ સમાજ ના બાપુ, પટેલ સમાજ ના રસિકભાઈ પટેલ, ડો. પરમાર , બારોટ સમાજ ના પટેલ સુરેન્દ્રભાઈ બારોટ, લુહાણા સમાજ ના કાળુભાઈ, દીપકભાઈ સોલંકી, રમજુંભાઈ દરબાર, પ્રવીણભાઈ પ્રકાશભાઈ માનસી, ખારવા સમાજ પટેલ બાબુભાઈ જૂંગી, બાબુભાઈ આગિયા, વેરાવળ બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા, અધ્યક્ષ જીવાભાઈ ચોમલ, કિશોરભાઈ ગોહેલ ખારવા સમાજ ના મંત્રી નારણભાઈ બાડીયા તેમજ બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment