ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ: શ્રીમતી ભાવનાબેન ચીખલીયાની ૬૬મી જન્મજયંતિ નિમિતે આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિ

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં આવેલ ભાવનાબેન ચીખલીયા હોસ્પિટલ ખાતે ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન દ્વારા સ્વ.શ્રીમતી ભાવનાબેનની ૬૬ મી જન્મજયંતિ નિમિતે ડો.ડી.પી.ચીખલીયાની યાદીમાં જણાવેલ છે, કે તા.૧૪-૨-૨૧ થી તા૧૪-૩-૨૧
સુધી ડો.ડી.પી.ચીખલીયા દ્વારા એક મહિના માટે તદ્દન નિ:શુલ્ક OPD (ફ્રિ કન્સલ્ટિંગ)
નિદાન કરી આપવામાં આવશે.

શ્રીમતી ભાવનાબેન
ની જન્મજયંતિ નિમિતે હવેથી
સાંજે-૬ થી ૮ વાગ્યા સુધી દરરોજ નિ:શુલ્ક નિદાન કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિ એક વર્ષ સુધી નિ:શુલ્ક કરી આપવામાં આવશે.

સ્થળ:-

ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન C/0 ત્રિમુર્તી હોસ્પિટલ, ભાવનાબેન ચીખલીયા માર્ગ, બસ સ્ટેન્ડ પાસે-જૂનાગઢ

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment