આણંદ રૂરલ પો.સ્ટે. ના ધાડ વિથ મર્ડર ના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.આણંદ

હિન્દ ન્યૂઝ, આણંદ

ડી.જી.પી. ગુ. રા. ગાંધીનગર ના ઓ એ રાજ્ય મા નાસતા ફરતા આરોપી ઓ પકડી પાડવા સારુ કરેલ સુચના અન્વયે પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ સાહેબ આણંદ નાઓ એ આણંદ જિલ્લા ના તથા બહાર ના જિલ્લા ના ગુના ઓ મા નાસતા ફરતા આરોપી ઓ ને પકડવા અસરકારક કામગીરી કરવા સુચના ઓ આપેલ. જે અન્વયે પી.એ.જાદવ, ઈ.પો.ઈન્સ. એલ.સી.બી આણંદ ના ઓ એ સ્ટાફ ના માણસો ને નાસતા ફરતા આરોપી ઓ અંગેની માહિતી એકઠી કરી જરૂરી વોચ રાખવા જણાવેલ જે કામગીરી મા હતા. દરમ્યાન આજરોજ હે.કો.પ્રમેશકુમાર તથા સંદીપકુમાર ના ઓ ને હકીકત મળેલ કે આણંદ રૂરલ પો. સ્ટે. ના મર્ડર વિથ ધાડ ના ગુના મા સંડોવાયેલ આરોપી રૂમાલસીંગ લાલસિંહ સારેલ રહે.બાલવાસા જી. જાંબુવા મધ્યપ્રદેશ નાનો છેલ્લા ૨૬વર્ષ થી નાસતો ફરતો છે. જે મજુરી કામ અર્થે આણંદ ખાતે ચિખોદરા ચોકડી નજીક આવનાર હોવાની ચોક્કસ માહિતી મળેલ હોઈ જેથી એલ. સી.બી સ્ટાફ ના માણસો ની અલગ અલગ ટીમો બનાવી ચિખોદરા ચોકડી ની આજુબાજુ મા વોચ મા હતા. તે દરમ્યાન ઉં.વ.૬૫ રહે.બાલવાસા, માળી ફળિયું કાકણવાણી તા.થાદલા જી. ઝાંબુવા મધ્યપ્રદેશ નો હોવાનું જણાવેલ. જેની સઘન પૂછપરછ કરતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ના ગુ. ર. નં.૮૦/૧૯૯૪ ઈ.પી.કો ૩૦૨, ૩૯૭ મુજબ ના ગુનામાં છેલ્લા ૨૬ વર્ષ થી આ ગુનામાં નાસતો ફરતો હોઈ સી. આર. પી. સી ૪૧(૧) આઈ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment