જામકલ્યાણપુર તાલુકા ના ભાટિયા બજરંગદળ દ્વારા રામસેવક રીંકુશર્મા ને અપાઈ શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યૂઝ ,જામકલ્યાણપુર

રામસેવક રીંકુશર્મા ની દિલ્હી મા અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામા આવી હતી. જેમના પડઘા આખા દેશ મા પડ્યા હયા. અનેક હિન્દૂ સંગઠનો એ દોષીઓ ને સખ્ત સજા મળે તેવી માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે. તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલા ના જામકલ્યાણપુર તાલુકા ના ભાટિયા ગામ ખાતે બજરંગદળ ભાટિયા ના કાર્યકરો દ્વારા ‘શ્રી દુધેશ્વર મહાદેવ મંદિર’ ના સત્સંગ હોલ મા રામસેવક રીંકુશર્મા ને ૨ મિનિટ નું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ મામલતદાર ને આવેદન પણ પાઠવવા મા આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગ્રામજનો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ કોરોના-19 ગાઈડ લાઇન નું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment