ભીના ભીના મદમસ્ત માહોલમાં વનપ્રદેશની આહલાદક સફરનો અનેરો લ્હાવો પૂરો પાડતી એકમાત્ર ઐતિહાસિક નેરોગેજ ટ્રેન : બીલીમોરા-વઘઈ

‘ગાડી બુલા રહી હે ! હિન્દ ન્યુઝ, ડાંગ      હરીભરી વનરાજીઓ વચ્ચેથી પસાર થતી ઐતિહાસિક છુક છુક ગાડીની સફર સાથે, પ્રકૃતિમય થવાનો અવસર પ્રદાન કરતી ૧૧૩ વર્ષ જૂની નેરોગેજ ટ્રેનને તેની ગરિમા પ્રદાન કરતી દાસ્તાન ડાંગ અને વાંસદાના વનપ્રદેશની પૃષ્ઠભૂમી ઉપર આલેખાઈ રહી છે. હા, તમે સાચુ જ સમજ્યા. અહીં વાત થઈ રહી છે બીલીમોરા-વઘઇ ટ્રેનની, કે જે તા.૪થી સપ્ટેમ્બર ૨૦૨૧થી નવા વાઘા સાથે ફરી એક વાર પ્રજાજનોની સેવામા હાજરાહજૂર થઈ નિયમિત રીતે તેના નિયત રૂટ ઉપર દોડી રહી છે. પ્રવાસીઓની માનિતી, અને ચહિતી આ ટ્રેન આઝાદી પહેલાના સમયે…

Read More

શહેરમાં વીજ પુરવઠા અંગેના પ્રશ્નો નિવારવા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર શહેરના નાગરિકોને નિયમિત, પૂરતો અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, જામનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરના વિવિધ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ વોર્ડના સ્થાનિક વીજ પ્રશ્નો અને ફરિયાદોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા. શહેરીજનોને વીજળી સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે લેવાના થતા જરૂરી તમામ વહીવટી અને ટેકનિકલ પગલાંઓ અંગે…

Read More

દાહોદ જિલ્લામાં ‘Sunday on Cycle’ સાયક્લોથોન રેલી યોજાઈ – “Fit India, Fit Gujarat, Fit Dahod” નો સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ

હિન્દ ન્યુઝ, દાહોદ     ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ફિટ ઇન્ડિયા મિશનના સંયુક્ત ઉપક્રમે તા. 19 જુલાઈ, 2026 (રવિવાર)ના રોજ સમગ્ર રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં પણ “Sunday on Cycle (Cyclothon)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદના છાબ તળાવ ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, દાહોદના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.  આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ સાયક્લોથોન રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ આયુષ્માન આરોગ્ય મંદિરોના કોમ્યુનિટી હેલ્થ…

Read More

ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ

હિન્દ ન્યુઝ, ડાંગ      ડાંગ જિલ્લાના માલેગામ ખાતે આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના વિધાર્થીઓને રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં હસ્તે લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.  ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલના હસ્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૧ અને ૧૨ ના કુલ ૬૦ વિધ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા.  આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે,…

Read More

સ્વાસ્થ્યની સમૃદ્ધિ, પરંપરા અને પ્રકૃતિનું જતન…🌿

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૃષ્ટિવંત માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પરંપરાગત ઉપચાર પદ્ધતિને પ્રોત્સાહન આપીને હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને વેગ આપતી ગુજરાત સરકાર ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનોમાંથી 2.75 લાખથી વધુ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ 📍 રાજ્યના 7 સરકારી ઔષધીય ઉદ્યાનો: ગાંધીનગર | વાંસદા | ભુજ | રાજપીપળા | ઝાલોદ | પાલનપુર | આહવા-સાપુતારા 🌱 આ ઉદ્યાનો માત્ર રોપા ઉછેરના કેન્દ્રો નથી, પણ નવી પેઢી, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ‘જીવંત પ્રયોગશાળા’ બન્યા છે,…

Read More

ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરીને રાજ્યસરકાર દ્વારા ટ્રાન્સમિશન અને કોરિડોરના વળતર મુદે ખેડૂતના હિતમાં લેવાયેલા નવા નિયમો અંગે આપી સમજ

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છ જિલ્લાના ખેડૂતો સાથે પરિસંવાદ વિશેષમાં ટ્રાન્સમિશન લાઈનો નાખતી વખતે રાઈટ ઓફ વે કોરિડોર અને ટાવર આધારિત વિસ્તારની જમીનના વળતર સંબંધી અસરગ્રસ્તોને ન્યાય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલા નવા નિયમો તથા અદ્યતન માર્ગદર્શિકા અંગે ખાસ સમજ આપી હતી. રાજ્યસરકાર હંમેશા ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી હોવાનું જણાવીને વીજ લાઇન અને ટાવર મુદે ન્યાયી વળતર માટે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કચ્છ જિલ્લા પ્રભારીમંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ કાંતિલાલ અમૃતિયાએ સ્મૃતિવન ખાતેના પરિસંવાદમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા…

Read More