જામનગર ખાતે PC & PNDT એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લામાં ‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ’ ના ચુસ્ત અને અસરકારક અમલીકરણ તેમજ નિયમિત દેખરેખ માટે જિલ્લા પંચાયત, જામનગર ખાતે ‘જિલ્લા સલાહકાર સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા જેવી સામાજિક બદીને અટકાવવા અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અન્વયે વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા ચિંતન કરાયું હતું.બેઠકની શરૂઆતમાં અગાઉની મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં સમિતિ સમક્ષ આવેલી વિવિધ અરજીઓ અન્વયે નિયમાનુસાર પાત્રતા ધરાવતા નવાં સોનોગ્રાફી ક્લિનિક્સ તેમજ સંબંધિત એજન્સીઓને રજિસ્ટ્રેશન…

Read More

જોડિયા તાલુકાના હડિયાણા ખાતે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જોડિયા    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે બાગાયતી ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિસ્તારના ૧૦૦થી વધુ બાગાયતી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ખેડૂતોને બાગાયતી પાકોના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તા સુધારણા તથા મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાંથી વધુ આવક મેળવવા અંગે માર્ગદર્શિત કરાયા હતા. આ પ્રસંગે કે.વી.કે. જામનગરના સીનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉ. કે. પી. બારૈયા, મદદનીશ બાગાયત નિયામક ડૉ. વી. એ. સુરેલા તથા બાગાયત અધિકારી શ્રી વાય. એ.…

Read More

જામનગર સહિત રાજ્યભરમાં તા.૨ ઓગસ્ટ સુધી વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સતર્ક

હિન્દ ન્યુઝ, જામનગર    ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી તા.2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સતત સતર્ક રહી સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો ત્વરિત પ્રતિસાદ…

Read More

દેવગઢ બારીયાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુરમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુર ગામોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ગામના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને તેનાથી થતા આર્થિક તથા જમીનને થતા ફાયદાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રસાણમુક્ત અને સ્વસ્થ ખેતી તરફ ખેડૂતો વળે તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ દરમિયાન માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પરંતુ પ્રાયોગિક માર્ગદર્શન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતોને…

Read More

નારદીપુર ખાતે ‘બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી’ વિષય પર ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કલોલ તાલુકાના આશરે ૧૨૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ✨ કાર્યક્રમના મુખ્ય અંશો: 🔹 સરકારી યોજનાઓની માહિતી: બાગાયત વિભાગની સહાયલક્ષી યોજનાઓ અને i-Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ પર અરજી કરી આર્થિક સમૃદ્ધિ મેળવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા. 🔹 પ્રાકૃતિક ખેતી પર ભાર: રાસાયણિક ખેતીથી સ્વાસ્થ્ય પર થતાં નુકસાન સામે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરવામાં આવી. 🔹 તજજ્ઞોનું માર્ગદર્શન: જગુદણ બાગાયત મહાવિધાલયના…

Read More

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત રાજ્યના તમામ કલેક્ટરઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગર જિલ્લામાં આગામી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ તેજ કરવામાં આવી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત રાજ્યના તમામ કલેક્ટરઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત આપત્તિ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે આપત્તિ વ્યવસ્થાપન, નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા, સ્થળાંતરની તૈયારીઓ અને ઈમરજન્સી સેવાઓ સુસજ્જ રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Read More

ગુજરાતમાં વાવાઝોડા અને ભારે વરસાદનું સંકટ: તમામ જિલ્લાઓ એલર્ટ : ૨૪ થી ૪૮ કલાક અત્યંત નિર્ણાયક

હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત તરફ ઝડપથી વધી રહેલી હવામાનની તીવ્ર સિસ્ટમને પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ સિસ્ટમ રાજ્યની નજીક આવતા વધુ બળવત્તર બનવાની તીવ્ર શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને અત્યંત હાઇ એલર્ટ પર રહેવા અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવા માટે વિશેષ માર્ગદર્શિકા (Advisory) જારી કરવામાં આવી છે. ​વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર કલર-કોડેડ…

Read More

સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પીપલોદના રાત્રી બજારમાંથી ત્રણ બાળમજૂરોનું કરાયું રેસ્ક્યૂ

હિન્દ ન્યુઝ, સુરત    બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવા અને બાળકોના અધિકારોના રક્ષણ અર્થે સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા મહત્વપૂર્ણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૨૮મીએ પીપલોદ સ્થિત રાત્રીબજારની હોટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાળમજૂરો મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.                આ સંયુક્ત તપાસ ઝુંબેશમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, ફેક્ટરી નિરીક્ષકો, જિ.બાળ સુરક્ષા વિભાગ, ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન, ‘પ્રયાસ’ સંગઠનની ટીમ જોડાઈ હતી.                 તપાસ દરમિયાન પીપલોદ રાત્રી બજારની…

Read More

આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે પૂર્વ તૈયારીઓના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડા જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ. જિલ્લા અને તાલુકાના તમામ સંબધિત અધિકારીઓને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું; પૂર સંભવિત વિસ્તારોમાં મેનપાવર, જરૂરી સાધનો સહિતના તમામ રિસોર્સ તૈયાર રાખવા સૂચના. ખેડા જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પ્રકારની સંભવિત આપદા માટે સજ્જ છે: કલેક્ટર એન.વી.ઉપાધ્યાય

Read More

પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદ વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ રાજ્ય સરકાર દ્વારા વન સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ બાઈકનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી ગતિએ કામગીરી કરી શકાય તેમજ જંગલ વિસ્તારની નિયમિત પેટ્રોલિંગ, વન્યજીવોના સંરક્ષણ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ આપવા માટે વાહન સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ…

Read More