હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી; સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રીએ ગુરુ તત્ત્વના મહત્ત્વને યાદ કરાવતા જણાવ્યું હતું કે, ગુરુની કૃપા અને આશીર્વાદથી જ જીવનમાં સાચો માર્ગ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મેશ્વો નદીના કિનારે સ્થિત આ પ્રાચીન વૈષ્ણવ તીર્થમાં ભગવાન વિષ્ણુના ગદાધર સ્વરૂપ શામળાજીના દર્શનનું વિશેષ મહત્ત્વ છે. હિન્દુ પરંપરામાં ગુરુપૂર્ણિમા એ ગુરુ તત્ત્વને સમર્પિત પવિત્ર તહેવાર છે. ભગવાન શામળાજીને અનેક ભક્તો પોતાના આરાધ્ય દેવ અને ગુરુ તરીકે પૂજે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી…
Read MoreDay: July 29, 2026
નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે ‘ગુરુ પૂર્ણિમા’ની કરાઈ ઉજવણી
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે સાંસ્કૃતિક સમિતિના ઉપક્રમે આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદર અને વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આરંભે કૉલેજના આચાર્યશ્રી ડૉ.બી.આર.બોદરએ પ્રાસંગિક ઉદ્બોધનમાં પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધીની શિક્ષણ પરંપરામાં જ્ઞાનનું પદ્ધતિસર સિંચન માટે ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. ગુરુના આચરણમાંથી વિદ્યાર્થીઓ પ્રામાણિકતા,પરિશ્રમ જેવા ગુણો કેળવવા જોઈએ. સમાજને જ્ઞાન વડે પ્રકાશિત કરવા ગુરુ-શિષ્યની પરંપરાનો સૌએ આદર કરવો જોઈએ. ટેક્નોલોજીના સમયમાં…
Read Moreડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામ પશુપાલન ક્ષેત્રે અગ્રેસર
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ થાય તે માટે જિલ્લામાં સહકારી મંડળીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ત્યારે આવી જ એક વઘઇ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામની શ્રી મહિલા સંચાલીત દૂધ ઉદ્પાદક સહકારી મંડળીએ ગામમાં આર્થિક સધ્ધરતાં લાવી છે. વર્ષ ૨૦૦૬ થી શરૂ થયેલ વાઘમાળ ગામની આ દૂધ મંડળીમાં હાલમાં ૭૭ પશુપાલકો સભાસદો ગામમાં દૂધ મંડળી ચલાવી રહ્યાં છે. ગામના આશરે ૮૦ થી ૯૦ ટકા લોકો દૂધ મંડળી સાથે જોડાઇ પશુપાલનનનો વ્યવસાય કરી રહ્યાં છે. છેલ્લાં ૨૦…
Read Moreભારે વરસાદ બાદ વધુ અસરગ્રસ્ત એવા સુરત જિલ્લાના ૪૩ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન આરોગ્યલક્ષી સેવાઓ અને સર્વેલન્સ કામગીરી અવિરત
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં વરસાદી વિરામ બાદ સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ કામગીરી કરાઈ રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા જિલ્લાના ઓલપાડ, સેવણી, તેન, કાંકરિયા, હળદવા, લુવારા, લીંબાડા, માસમા, સરોલી, બગુમરા, બારડોલી સહિતના કુલ ૪૩ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જઈ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં…
Read Moreસ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી-૨૦૨૬: શ્રમયોગીઓ અને કર્મચારીઓને મતદાન માટે ખાસ રજા આપવા સૂચના
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત રાજ્યમાં આગામી તારીખ ૨૮/૦૭/૨૦૨૬, મંગળવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાં દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણી પણ સમાવિષ્ટ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં દાહોદ જિલ્લામાં કામ કરતા સ્થાનિક કામદારો તેમજ દાહોદ ખાતે નોકરી કે ધંધા અર્થે વસવાટ કરતા અને અન્ય જિલ્લાના મતદાર હોય તેવા કર્મચારીઓ પોતાનો મતાધિકાર મુક્તપણે વાપરી શકે તે હેતુથી ખાસ રજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તેમજ સંબંધિત નિયમો હેઠળ દાહોદ જિલ્લા વિસ્તારમાં આવેલી તમામ: * સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકો * રાજ્ય તથા…
Read More