હિન્દ ન્યૂઝ, થાનગઢ “અયોધ્યા શ્રી રામ મંદિર નિર્માણ જનજાગૃતિ શોભયાત્રા -થાનગઢ” આજે તા.8 સોમવાર ના રોજ બપોરે 3-00 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અલખધણી પ્રભાત ફેરીગૃપ વિરાટનગર, હરીનગર, થાનગઢ, કષ્ટભંજન ગૃપ ધોળીતલાવડી, થાનગઢ મહિલાધૂન મંડળ ધોળી તલાવડી, થાનગઢ તથા ધોળી તલાવડી, વિરાટ નગર, હરી નગર, ધર્મેન્દ્ર નગર સોસાયટી, વિસ્તારના લોકો, મંડપ સેવા સંજયભાઈ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળના કાર્યકર્તા ઓ તથા થાનગઢના નગરજનો દ્વારા શ્રીરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રીરામ (ધર્મેશ ડાભી) લક્ષમણ (સચિન જાદવ) હનુમાનજી (દેવાંશ) વેશભૂષા સજીને શોભાયાત્રાના રથ માં બિરાજમાન થયા હતા.…
Read MoreDay: February 8, 2021
હિંમતનગર તાલુકામાં આવેલ મદ્રેસા હાઈસ્કૂલમાં ગઈકાલ વોટિંગ થયું તેનું પરિણામ જાહેર
હિન્દ ન્યૂઝ, હિંમતનગર સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકામાં આવેલ મદ્રેસા હાઈસ્કૂલમાં ગઈકાલ વોટિંગ થયું તેનું પરિણામ જાહેર થયું છે. હિંમતનગર તાલુકામા આવેલ મદ્રેસા હાઈસ્કુલ માં સર્વોદય નાગરિક બેંકના ડિરેકટરોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સર્વોદય નાગરિક બેંકના નવા ડીરેકટરઓ ચૂંટાઈને ૧૩ ઉમેદવાર વિજય પ્રાપ્ત થયા. જેમાં અનામત ઉમેદવાર તરીકે ઉમેદવાર શ્રીમતિ ફિરદોશજહાં મો.રફીક વકતાપુરીયા અને હાફિઝાબીબી મો.સાલેહ લાલા આ બંને શ્રીમતી અનામત ઉમેદવારમાં ચૂંટાઈને આવ્યા. આમના સાથે-સાથે બીજા 10 ઉમેદવારો પણ સહકારી નાગરીક બેંકની ડિરેક્ટરની ચૂંટણીમાં વિજય થયા. આ વિજય થયેલા ઉમેદવારને ખુબ ખુબ અભિનંદન. રિપોર્ટર : શાહબુદ્દીન શિરોયા, હિંમતનગર
Read Moreખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ દિવસે ૨ ફોર્મ ભરાયા
હિન્દ ન્યૂઝ, ખેડા ખેડા જિલ્લામાં સમાવિષ્ટ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦- દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. જેમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા ચુંટણીના ફોર્મ.તા.૦૮/૦૨/૨૦૨૧ના રોજથી ભરાવાની શરુઆત થઇ છે. ફોર્મ ભરવાના આજે પ્રથમ દિવસે તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૦૧ (એક) અને મહુધા તાલુકા પંચાયતની ચૂટણી માટે ૦૧ (એક) એમ મળીને કુલ ૦૨ (બે) ફોર્મ ભરાયા છે. જયારે ખેડા જિલ્લાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જેમાં…
Read Moreનડિયાદના CRPF જવાનનો શ્રીનગરમાં સ્વર્ગવાસ
હિન્દ ન્યૂઝ, નડિયાદ નડિયાદ શહેરમાં રહેતા પરિવારનો પુત્ર શ્રીનગરમા CRPF પોતાની ફરજ દરમ્યાન શહીદ થતાં તેમના દેહને નડિયાદ ખાતે લાવવામાં આવ્યો હતો. નડિયાદ શહેરમાં એસઆરપી સામે રહેતા દિનેશભાઇ કેશવભાઇ મેટકર CRPFમાં ફરજ નિભાવી રહયા હતા. તેઓ શ્રીનગરમાં પોતાની ફરજ પર હાજર હતા તે સમયે તેઓને હદયરોગનો હુમલો આવતા તેઓને તુરત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તેઓના પરિવારને નડિયાદ ખાતે કરવામાં આવી હતી. આજે સવારે તેઓના અંતિમ સંસ્કારની કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓના નશ્ર્વર દેહને નડિયાદ ખાતે તેઓની ૧૨ વર્ષીય દિકરી…
Read Moreશ્રી રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ માટે માણાવદરમાં ધર્મ સભા યોજાઈ
હિન્દ ન્યૂઝ, માણાવદર પ્રભુ શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનું નિર્માણ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે થઈ રહ્યું છે ત્યારે સમગ્ર દેશની હિન્દુ જનતાનાં ઘરે ઘરે જઈ નિધિ એકત્રીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અનુસંધાને માણાવદરના પૂ.પા. ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયશ્રીની ઉપસ્થિતિમાં એક ભવ્ય ધર્મસભાનું આયોજન માણાવદર ખાતે કરવામાં આવેલ હતું. આ ધર્મ સભામાં શ્રીમાન પરાગકુમારજી મહોદય શ્રી એ તમામ હિન્દુ અને વૈષ્ણવોને શ્રીરામ મંદિરના નિર્માણમાં પોતાનું યથાયોગ્ય યોગદાન સમર્પિત કરવું જોઈએ તેમજ દરેક હિન્દુઓએ ધર્મ અને જાતિના વાડા ભૂલી સનાતન હિન્દુ ધર્મનું આચરણ કરવું જોઈએ. મર્યાદા પ્રતીક સમા રાષ્ટ્રીય મંદિર એવા…
Read Moreદિયોદર દરબાર ગઢ ખાતે આજે જાગીરદાર યુવા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર દરબાર ગઢ ખાતે આજે રવિવાર ના રોજ દિયોદર રાજવી અને ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાન ખાતે જાગીરદાર યુવા રાજપૂત સમાજ દ્વારા એક સ્નેહ મિલન નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે જાગીરદાર યુવા રાજપૂત સમાજ નો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, ચિભડા પુથ્વીરાજસિંહ વાઘેલા, લીલાધર જગતસિંહ વાઘેલા, લવાણા નવલસિંહ વાઘેલા, ધૂંણસોલ અરવિંદસિંહ વાઘેલા, પાલડી ગણપતસિંહ…
Read Moreઢસા ગામ ના વતની લોકરક્ષક સહદેવ સિંહની ઈમાનદારીને અભિનંદન
હિન્દ ન્યૂઝ, ઢસા સુરત ટ્રાફિક રિજિયન-૨ સેમી સર્કલ-૨૩ પરના ગજેરા લેકયૂ ગાર્ડન પોઇન્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ લોકરક્ષક સહદેવસિંહ હરીભાઈ ગોલેતર બ.નં : ૩૫૬૯ છે જેઓ ઢસાગામ ના વતની પોતાની ફરજ બજાવી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા કોઈ વ્યકિત નું પાકીટ મળી આવેલ હતું. જેમા રૂ. ૧૫,૦૦૦ રોકડ રકમ તથા જરૂરી કાગળ પુરાવાઓ હતા. પાકીટ માંથી મોબાઈલ નંબર મળતા તે વ્યકિત ને બોલાવી યોગ્ય ખરાઈ કર્યા બાદ જે વ્યકિત નુ પાકીટ હતું તેમને પાકીટ સુપરત…
Read Moreધારી કોંગ્રેસ અગ્રણી ના ભાણીયાભાઈ ના જન્મ દિવસે અનોખી ઉજવણી
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ના ડાગાવદ ગામ ના અને ધારી તાલુકા કોંગ્રેસ અગ્રણી રોહિતભાઈ સરધારા ના ભાણિયાભાઈ સિધકુમાર ના જન્મ દિવસ નિમિત્તે માનવ મંદિર માનસિક અને નિરાધાર ના આશ્રમ મા જયને આજે ભોજન જમાડી ને સરસ વિચાર કરીને એમની સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. રીપોર્ટર : સંજય વાળા, ધારી
Read More” ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો. અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટી ના કાર્યાલયનુ ઉદ્ઘાટન”
હિન્દ ન્યૂઝ, ડભોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે કાલે ડભોઈ ખાતે પ્રદેશ સંગઠન મંત્રી પ્રો. અર્જુન રાઠવાના હસ્તે આમ આદમી પાર્ટી ના કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. સદર કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી ડભોઈ તાલુકાના પ્રમુખ અરવિન્દભાઈ વસાવા, ડભોઈ શહેરના પ્રમુખ બાલક્રષ્ણ પટેલ તેમજ અલગ અલગ જવાબદારી સંભાળતા આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. સાથે, ડભોઈ શહેર અને તાલુકામાથી પાલીકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના ઉમેદવારો પણ ઉપસ્થિત રહયા હતા. તેમના પ્રવચનમા પ્રો.અર્જુન રાઠવાએ દીલ્હી આમ આદમી પાર્ટીના શિક્ષણ, આરોગ્ય, પાણી, સસ્તી વીજળી, વિવિઘ સરકારી…
Read Moreઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન અને જિલ્લા અંધાપા નિવારણ સોસાયટી ના ઉપક્રમે હુસૈની હોસ્પિટલ અને શંકરા આઈ હોસ્પિટલ દ્વારા મફત મોતિયા કેમ્પ યોજાયો
હિન્દ ન્યૂઝ, આણંદ આણંદ પાસે આવેલ હાડગુડ ગામમાં ઇમામ જાફર સાદિક ફાઉન્ડેશન સંચાલિત હુસૈની હોસ્પિટલ કાર્યરત છે. જે ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દીઓને લાભ થાય તે હેતુથી દર અઠવાડિયે અલગ અલગ રોગોનો નિદાન કેમ્પ રાખવામાં આવે છે. આજ રોજ હુસૈની હોસ્પિટલ હાડગુડ અને શંકરા આઈ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મફત મોતિયા ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં હાડગુડ ગામ તથા આજુબાજુ ગામ તથા શહેર માંથી કુલ 200થી વધુ દર્દીઓ આવ્યા હતા. તેમને કેમ્પમાં તપાસ કરતા 45દર્દીઓના મોતિયાના કેસો આવ્યા હતા. મોતિયાના ઓપરેશન…
Read More