થાનગઢના શ્રીરામ શોભાયાત્રાનું આયોજન……

હિન્દ ન્યૂઝ, થાનગઢ

“અયોધ્યા શ્રી રામ મંદિર નિર્માણ જનજાગૃતિ શોભયાત્રા -થાનગઢ” આજે તા.8 સોમવાર ના રોજ બપોરે 3-00 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અલખધણી પ્રભાત ફેરીગૃપ વિરાટનગર, હરીનગર, થાનગઢ, કષ્ટભંજન ગૃપ ધોળીતલાવડી, થાનગઢ મહિલાધૂન મંડળ ધોળી તલાવડી, થાનગઢ તથા ધોળી તલાવડી, વિરાટ નગર, હરી નગર, ધર્મેન્દ્ર નગર સોસાયટી, વિસ્તારના લોકો, મંડપ સેવા સંજયભાઈ દ્વારા, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળના કાર્યકર્તા ઓ તથા થાનગઢના નગરજનો દ્વારા શ્રીરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રીરામ (ધર્મેશ ડાભી) લક્ષમણ (સચિન જાદવ) હનુમાનજી (દેવાંશ) વેશભૂષા સજીને શોભાયાત્રાના રથ માં બિરાજમાન થયા હતા. શોભયાત્રા માં 550 લોકો જોડાયા હતા. બે ખુલ્લી જીપ, બે યુટીલિટી, 1 રથ, બે મોટરકાર, ધજાઓ થી શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રી રામ શોભયાત્રા નું લોકોએ તથા નાની બાળાઓ એ સામૈંયા થી સ્વાગત કર્યું હતું.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Related posts

Leave a Comment