દિયોદર દરબાર ગઢ ખાતે આજે જાગીરદાર યુવા રાજપૂત સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

                          દિયોદર દરબાર ગઢ ખાતે આજે રવિવાર ના રોજ દિયોદર રાજવી અને ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને આજે તેમના નિવાસ સ્થાન ખાતે જાગીરદાર યુવા રાજપૂત સમાજ દ્વારા એક સ્નેહ મિલન નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે જાગીરદાર યુવા રાજપૂત સમાજ નો એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિયોદર તાલુકા પંચાયત પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, ચિભડા પુથ્વીરાજસિંહ વાઘેલા, લીલાધર જગતસિંહ વાઘેલા, લવાણા નવલસિંહ વાઘેલા, ધૂંણસોલ અરવિંદસિંહ વાઘેલા, પાલડી ગણપતસિંહ વાઘેલા, જાલોઢા રવીન્દ્રસિંહ વાઘેલા, ડુચકવાડા નારણસિંહ વાઘેલા વગેરે જાગીરદાર સમાજ ના યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા તમામ દિયોદર જાગીરદાર યુવા આગેવાન નું સ્વાગત કરાયું હતું અને તમામ જાગીરદાર યુવા કાર્યકરો ને સ્નેહ મિલન ની શુભેચ્છા પાઠવામાં આવી હતી. આ સ્નેહ મિલન માં બહોળી સંખ્યા માં જાગીરદાર સમાજ ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

 

Related posts

Leave a Comment