આજી નદીમાં સ્થગિત પાણીને કારણે મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ             રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ આજી નદીમાં સ્થગિત પાણીને કારણે ગાંડીવેલનો ઉ૫દ્રવ છે. ગાંડીવેલને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં કયુલેક્ષ મચ્‍છરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્‍છર મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવા રોગ ફેલાવતા નથી. ૫રંતુ કયુલેક્ષ મચ્‍છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્‍તારમાં ન્‍યુસન્‍સ મચ્‍છર તરીકે ઓળખાતા આ મચ્‍છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના દ્વારા ગાંડીવેલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઉકત કામગીરી અન્‍વયે આજરોજ તા.૧૧/૫/૨૦૨૩ના રોજ માન. ડે. મેયર કંચનબેન સિઘ્ઘપુરા ઘ્‍વારા ગાંડીવેલ કાઢવાની કામગીરીની રૂબરૂ મુલાકાત લઇ…

Read More

દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખા દ્વારા ૧૬ મે, ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ અંતર્ગત જનજાગૃતિ અંગે કાર્યક્રમ વર્ષ ર૦ર૩ ની થીમ ‘’Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ ૨૧૮ સ્થળોએ પોસ્ટર લગાડવામાં આવ્યા તથા ૩૦૧૮ પત્રિકા વિતરણ ૩૪ મુખ્ય સ્થળો સહિત ૨૧ સોસાયટીમાં ૫૪૭ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ…

Read More

ઉનાળામાં ઉંચા તાપમાન વખતે શું કાળજી રાખવી ?

હિન્દ ન્યુઝ, રાજકોટ  ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે શહેરીજનોને માહિતી જાહેર કરતી મનપાની આરોગ્ય શાખા વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો…

Read More

“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા 147 આવાસોનું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, તાપી            આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અંતર્ગત સાત જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી ટુ વે કનેક્ટીવીટીથી જોડાઇ લાભાર્થી સાથે સંવાદ કરનાર છે. આ સાત જિલ્લાઓ પૈકી એક તાપી જિલ્લા વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજનાના લાભાર્થી દંપતિ અંજુબેન આહીર અને જયેશભાઇ આહીર આ સંવાદમાં જોડાનાર છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામના રહેવાસી અંજુબેન આહિરે પોતાના નવા…

Read More

ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે સાયન્સ સમર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નારી ગામ પાસે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) ના માર્ગદર્શન હેઠળ સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરતા કરતા ગણિત, વિજ્ઞાન, એન્જીનીયરિંગ ક્ષેત્રે જ્ઞાન મેળવી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનમાં વધારો કરી શકશે. કુલ ત્રણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવશે જેમાં પ્રથમ કેમ્પ ૧૭-૧૯ મે ૨૦૨૩, બીજો કેમ્પ ૨૪-૨૬ મે ૨૦૨૩ અને ત્રીજો કેમ્પ ૩૧ મે થી ૨ જુન ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવશે. દરેક કેમ્પ ત્રણ દિવસનો રહેશે જેમાં સમર કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ…

Read More

વેરાવળમાં કુટુંબ સલાહ કેન્દ્રમાં છ માસમાં ૪૫ કેસોનો કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ગીર-સોમનાથ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડ ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડ, અમદાવાદ ની સહાયથી જુનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સંચાલિત “કુટુંબ સલાહ કેન્દ્ર” વેરાવળ ખાતે કાર્યરત છે. આ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ કરવામા આવેલ છે.       આ કુટુંબ સલાહ કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨-૨૩ (ઓક્ટોબર-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩) છ માસ દરમ્યાન કુલ ૮૫ કેસો કેન્દ્રમાં નોંધાયેલા હતા. જેમાંથી ૪૫ કેસોનો નિકાલ થયેલ જેમાં પતિ-પત્ની વચ્ચેના અણબનાવનાં ૨૬ કેસોમા સમાધાન થયેલ…

Read More

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૩ મે ના રોજ ગીર સોમનાથમાં તમામ અદાલતોમાં યોજાશે નેશનલ લોક અદાલત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા.૧૩/૦૫/૨૦૨૩ના રોજ ગીર સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પુરા થાય તે માટે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ લોક અદાલતમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો,દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણી બીલ, સર્વિસ મેટર, રેવન્યૂ મેટર, લગ્નસંબંધી કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે. જે પક્ષકારો…

Read More

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાવનગરના હકુબેનના પરિવારને મળ્યું કાયમી સરનામું

હિન્દ ન્યુઝ, ભાવનગર       પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા હકુબેન મહેન્દ્રભાઇ કંટારિયા. હીરા ઉદ્યોગમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા કંટારિયા પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ હકુબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં પ્લોટ હોવા છતાં પાકું ઘર બનાવવા મૂડી ના હોવાને લીધે પાકું મકાન બનાવી શકતા નહોતા, તેમના પતિ શ્રી મહેન્દ્રભાઇની ઓછી…

Read More

કોડીનાર તાલુકા ખાતે આશાવર્કર્સ મિટિંગનું થયું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય અને ડો બરૂઆના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા ખાતે કોડીનારની આશાવર્કર્સ બહેનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.દીપક પરમાર દ્વારા ટીબી, રક્તપિત, એચઆઈવી, આભા કાર્ડ તેમજ એસબીસીસી વિશે  માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ મિટિંગમાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર પઢિયાર તેમજ ડો. કામળિયા અને DSBCC ટી. આઇ.શેખ, તાલુકા સુપરવાઇઝર બારડભાઈ, STS અજીતભાઈ ચાવડા, STLS જોષીભાઈ, PHC સુપરવાઇઝર રમેશ ભાઇ, MPHW તેજસ ભાઈ વગેરે આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો.

Read More

વેરાવળ નગરપાલિકાના હોલમાં સિટી ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન અંગે યોજાઈ મિટિંગ

 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વેરાવળ તાલુકાના નગરપાલિકાના હોલમા તારીખ ૦૫/૦૫/૨૦૨૩ના રોજ CTFI (City task force immunization)ની મિટિંગ યોજવામાં આવેલ. જેમાં નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, નગરપાલિકાના ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય, ,WHOના પ્રતિનિધિ તેમજ SMO,RMO સિવિલ હોસ્પિટલ વેરાવળ, વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસર તથા તમામ સ્ટાફ હાજર રહ્યો હતો. આ મિટિંગમાં શહેરના ઈમ્યુનાઈજૅશનમાં ૧૦૦ ટકા સુધી પહોંચવા બાબતે તેમજ શહેરી વિસ્તારના અર્બન હૅલ્થ સૅન્ટરના બાંધકામ અંગે તેમજ મિઝલ્સ આઉટબ્રેક અને ૨૮ મે પૉલીયોના રાઉન્ડ કાર્યકમ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Read More