બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના બાગાયતદારોને ઈનપૂટ કિટ્સ મેળવવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા અનુસુચિત જાતિના ખેડૂતમિત્રોને જણાવવાનું કે, બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને શાકભાજી પાકોના હાઈબ્રિડ બિયારણ માટે ઈનપૂટ કિટ્સ આપવાની યોજના મંજૂર થયેલ છે.             આ યોજના અંતર્ગત અનુસુચિત જાતિના ખેડૂતોને ૦.૧૦ ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે ઈનપુટ કિટ્સ આપી શકાશે તો આ યોજનાનો લાભ લેવા માંગતા અનુસુચિત જાતિના ખેડૂતોએ જરૂરી સાધનિક કાગળો જેવા કે, તાજેતરના ૭/૧૨ અને ૮-અના ઉતારાની અસલ નકલ, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ,…

Read More

ગીર સોમનાથના ખેડુતોએ પીએમ કિસાન યોજનાનો ચૌદમો હપ્તો મેળવવા માટે આધાર સિડિંગ અને ઇ-કેવાસી ફરજીયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. કેન્દ્ર સરકાર યોજનાનો આગામી ૧૪ હપ્તો ચુકવવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત આધાર ઈ-કે.વાય.સી. પૂર્ણ કરવાનું રહશે તથા જે બેંક ખાતામાં લાભ લેવા માંગતા હોઈ તે બેંક ખાતાનું આધાર કાર્ડ સાથે સિડિંગ થયેલ હોવું ફરજીયાત છે. જેમા લાભાર્થીઓએ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં આપેલ બેંક ખાતાનું આધાર સિડિંગ બાકી હોય તો જે…

Read More

વેરાવળની સટ્ટાબજારમાં નવનિયુક્ત ચીફ ઓફિસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          વેરાવળ પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રોબેશનરી ચીફ ઓફીસર દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા શહેરની સફાઈને વધુ સુદ્રઢ બનાવવા અગાઉ તા.૧૧/૦૫/૨૩ના રોજ શહેરના વિવિધ વેપારી આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરેલ અને શહેરની સફાઈ વ્યવસ્થામાં નગરપાલિકાના સફાઈ કર્મચારી ઉપરાંત નગરજનોનો પણ સહકાર હોવો જોઈએ એ બાબત ઉપર ભાર મૂકી શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ કરી સહકાર આપવા અન્યથા નાછૂટકે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ. જે અન્વયે તા.૨૩/૦૫/૨૩ના રોજ દેવેન્દ્ર પ્રકાશ મીણા (આઇએએસ) દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકીંગ કરી શહેરની મુખ્ય બજાર એવા સટ્ટા બજાર…

Read More

એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૧૬-૦૫-૨૦૨૩થી તા. ૨૨-૦૫-૨૦૨૩દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૫ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૬/૦૫/૨૦૨૩ થી તા. ૨૨/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, મોરબી રોડ, ઈન્દ્રપ્રસ્થ-૨, છપ્પનીયા ક્વાર્ટર, ત્રીવેણી મેઈન રોડ પેડક રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, જયજવાન જયકીશાન મેઈન રોડ, ભગવતીપરા, મંછાનગર, શ્રીરામ સોસાયટી, રણછોડ આશ્રમ, સેટેલાઈટ ચોક, બેડી ચોકડી પાસે તથા આજુબાજુમાંથી  ૨૭ (સત્યાવીસ) પશુઓ, ભોમેશ્વર, વૈશાલીનગર, ગોવિંદનગર તથા આજુબાજુમાંથી ૦૯ (નવ) પશુઓ, રૈયારોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, મુંજકા ગામ મેઈન રોડ, ભોમેશ્વર સોસાયટી, ઘંટેશ્વર, સિદ્ધિ વિનાયક મંદિર પાસે, નવી કોર્ટ…

Read More