ભાવનગરની સર ટી હોસ્પિટલમાં અમરનાથ યાત્રા મેડીકલ ફીટનેસ કેમ્પ તા. ૨૬ મે સુધી કાર્યરત રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષ ૨૦૨૩ મા અમરનાથ યાત્રા મા જવા માગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર આપવા માટે રુમ નં-૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવુ ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે સોમવાર થી શનીવાર ( જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૩.૦૦ કલાક થી ૫.૦૦ કલાક દરમ્યાન અલાયદી વ્યવસ્થા તા:-૦૧-૦૪-૨૦૨૩ થી કાર્યરત છે. હાલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓની સંખ્યામા નોંધપાત્ર ધટાડો જોવા મળતા આ અલાયદી વ્યવસ્થા તા:-૨૬-૦૫-૨૦૨૩ સુધી કાર્યરત રહેશે, ત્યાર બાદ અમરનાથ યાત્રાએ જવા માંગતા બાકી રહેલ તમામ શ્રધ્ધાળુ યાત્રીઓએ તેમની…

Read More

ભાવનગર તાલુકા ના હાથબ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના હાથબ આરોગ્ય કેન્દ્ર ખાતે આશા બહેનો અને આંગણવાડી કાર્યકરોની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડો. ગીતાબેન વઘાસિયા દ્વારા કાંગારુ કેરની માહિતી આપી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા મચ્છરજન્ય રોગ અટકાયતી પગલાં, પાણીજન્ય રોગ અટકાયતી અને કોપર-ટી ના ફાયદાની સમજણ અપાઈ, હિરેન ભાઇ મિસ્ત્રી દ્વારા પોલિયોનું ઘર-ઘર કામગીરી કેવી રીતે તેની સમજણ અપાઈ, મેલેરીયા વિષે પ્રોજેક્ટ વૃદ્ધિ જયેશ ભાઇ દ્વારા કુપોષણ વિશે તેમાંજ નટુભાઈ ડાભી દ્વારા સમજણ અપાઈ, હીરાબેન વાઘેલા એ પોષણ વિષે સમજણ આપી હતી. આ બેઠક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ,…

Read More

ભાવનગરમાં એમ. જે. કોલેજ ઓફ કોમર્સ ખાતે તા. ૨૩ મે ના રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા એમ. જે. કોલેજ ઓફ કોમર્સનાં સંયુક્ત ઉપક્રમે આયોજીત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રની ટાટા કન્સલટન્સી સર્વિસ, ગાંધીનગરમાં બી.પી.એસ(ટ્રેની)ની જગ્યાઓ ભરવાની છે. જેમાં ફક્ત ૨૦૨૧, ૨૦૨૨ અને ૨૦૨૩માં જેમણે B.COM, BA, BAF, BBA, BBM, B.SC(Non IT) પાસ કરેલ હોય તથા જેમની ઉંમર ૧૮ થી ૨૮ વર્ષ હોય, માત્ર તેવા જ ફ્રેશર ઉમેદવારો(જો અનુભવ હોય તો 3 મહિનાથી વધુ અનુભવ નાં હોવો જોઈએ) ભાગ લઇ શકશે. રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા તા.૨3/૦૫/૨૦૨૩ ને મંગળવારે સવારે ૧૦:૦૦ વાગ્યે એમ. જે. કોલેજ ઓફ કોમર્સ, વિદ્યાનગર, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ…

Read More

દસમી ચિંતન શિબર-૨૦૨૩ એકતાનગરઃ દ્વિતીય દિવસ

હિન્દ ન્યુઝ, ભાવનગર એકતાનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાઈ રહેલી દસમી ચિંતન શિબિરના બીજા દિવસે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો, સનદી અધિકારીઓ એ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી, મંત્રીગણ અને મુખ્ય સચિવ, સચિવઓ અહીં આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મંત્રીગણ, સચિવઓ અને અધિકારીઓએ સરદાર સાહેબના જીવન-કવનની ઝાંખી કરાવતા તસ્વીરી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું તેમજ સરદાર…

Read More

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજીત પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આયોજિત તા.૨૨/૦૫/૨૦૨૩ ના રોજ Graduate Pharmacy Aptitude Test (GPAT)-2023 તથા તા.૨૧/૦૫/૨૦૨૩ થી તા.૦૨/૦૬/૨૦૨૩ તથા ૦૫-૦૬/૦૬/૨૦૨૩ (7 and 8 June will be buffer days) દરમ્યાન CUET (UG) – 2023 ની પરીક્ષાઓ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું…

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક…

Read More

લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર તાજેતરમાં ભાવનગર જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ – પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/ બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ નો…

Read More

સામુહીક આરોગ્ય કેન્દ્ર વિંછીયાની લેબોરેટરીમાં લેબ ટેસ્ટની અદ્યતન સુવિધામાં વધારો કરતાં રાજકોટ કલેકટર પ્રભવ જોશી

હિન્દ ન્યુઝ, રાજકોટ વિંછીયા તાલુકાનાં નાગરિકોને હવે ઘર આંગણે જ અદ્યતન લેબોરેટરીની સુવિધા મળશે. રાજકોટનાં વિંછીયા તાલુકાનાં સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તાજેતરમાં જ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ રૂબરૂ મુલાકાત કરી લેબોરેટરીની સુવિધાઓની ચકાસણી અને સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમિયાન બ્લડ રીપોર્ટ લેબોરેટરી માટે બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીનની જરૂરીયાત જણાતા તેઓએ તાત્કાલિક આ મશીન ઉપલબ્ધ કરાવ્યું હતું. વિંછીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો. સાગર બેલડીયાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાયોકેમેસ્ટ્રી ઓટો એનેલાઇઝર મશીન ઉપલબ્ધ થતાં હવે અત્રે “મુખ્યમંત્રી નિદાન યોજના” અન્વયે સીરમ ક્રીયેટીનીન, ટોટલ કોલેસ્ટ્રોલ, સીરમ…

Read More

बाल श्रम को रोकने हेतु जागरूकता रथ को संयुक्त रूप हरी झंडी दिखाकर रवाना करते – बाल श्रम अधीक्षक, सूचना एवं जनसंपर्क पदाधिकारी, सहायक निदेशक, संस्थान के सचिव 

हिन्द न्यूज, बिहार जिला पदाधिकारी वैशाली यशपाल मीणा के निर्देशानुसार समाहरणालय परिसर से बाल श्रम को रोकने हेतु लोगों के बीच जागरूकता फैलाने हेतु जागरूकता रथ को श्रम अधीक्षक वैशाली सुजीत कुमार , सूचना एवं जनसंपर्क पदाधिकारी वैशाली ज्ञानेश्वर प्रकाश, सहायक निदेशक जिला बाल संरक्षण इकाई वैशाली प्रशांत कुमार एवं स्वर्गीय कन्हाई शुक्ला सामाजिक सेवा संस्थान के सचिव सुधीर कुमार शुक्ला ने संयुक्त रूप से हरी झंडी दिखाकर गाड़ियों को रवाना किया। जागरूकता गाड़ी के माध्यम से लोगों के बीच बाल श्रम को रोकने हेतु जन जागरूकता फैलाई जाएगी। श्रम…

Read More