એ.એન.સી.ડી. શાખા દ્વારા તા. ૧૬-૦૫-૨૦૨૩થી તા. ૨૨-૦૫-૨૦૨૩દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા કુલ ૨૧૫ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ 

       રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૬/૦૫/૨૦૨૩ થી તા. ૨૨/૦૫/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, મોરબી રોડ, ઈન્દ્રપ્રસ્થ-૨, છપ્પનીયા ક્વાર્ટર, ત્રીવેણી મેઈન રોડ પેડક રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, જયજવાન જયકીશાન મેઈન રોડ, ભગવતીપરા, મંછાનગર, શ્રીરામ સોસાયટી, રણછોડ આશ્રમ, સેટેલાઈટ ચોક, બેડી ચોકડી પાસે તથા આજુબાજુમાંથી  ૨૭ (સત્યાવીસ) પશુઓ, ભોમેશ્વર, વૈશાલીનગર, ગોવિંદનગર તથા આજુબાજુમાંથી ૦૯ (નવ) પશુઓ, રૈયારોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, મુંજકા ગામ મેઈન રોડ, ભોમેશ્વર સોસાયટી, ઘંટેશ્વર, સિદ્ધિ વિનાયક મંદિર પાસે, નવી કોર્ટ સામે, પુષ્કરધામ મેઈન રોડ, તથા આજુબાજુમાંથી ૨૧ (એકવીસ) પશુઓ, રણુંજા સોસાયટી, કોઠારીયા સોલવન્ટ, માનસરોવર, માંડા ડુંગર, અનમોલપાર્ક, ગાર્બેજ સ્ટેશન, માધવવાટિકા, જડેશ્વર, વેલનાથ તથા આજુબાજુમાંથી  ૨૮ (અઠ્યાવીસ) પશુઓ, કાલાવાડ રોડ, કણકોટ પાટિયા પાસે, J.K.ચોક તથા આજુબાજુમાંથી  ૧૬ (સોળ)  પશુઓ, નવલનગર, આંબેડકરનગર, ગોકુલનગર, ખોડિયારપરા, હિંગળાજનગ, અમીનમાર્ગ, લક્ષ્મીનગર મેઈન રોડ આજુબાજુમાંથી  ૧૫ (પંદર)  પશુઓ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૧૫ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment