હિન્દ ન્યૂઝ, દિયોદર કોરોના મહામારી મા દર્દીઓ ને રકત ની જરૂરીયાત ઉભી થતા આજે દિયોદર ખાતે આદર્શ હાઈસ્કૂલ કેમ્પ માં સર્વ સમાજ દ્વારા દિયોદર, કાંકરેજ તાલુકાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ -5 નું સૌજન્ય ભણસાલી ટ્રસ્ટ , રાધનપુર ડો. દેવજીભાઈ પટેલ (આસ્થા હોસ્પિટલ રાધનપુર) અને બનાસકાંઠા કોવિડ 19 સેવાટીમ આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં રક્ત અને પ્લાઝમા રક્ત ની ઉણપ વર્તાઈ રહી છે. ત્યારે પ્લાઝમા રક્ત, કોરોના પોઝીટીવ દર્દીઓને ઉપયોગી બનશે. ત્યારે જરૂરિયાત મંદ દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી સર્વ સમાજનું રક્તદાન કેમ્પ નું આયોજન દિયોદર આદર્શ હાઈસ્કૂલ ના…
Read MoreMonth: May 2021
મોરબી તાલુકાના લાલપરગામની સીમમાં બનેલ ચોરીના બનાવનો ભેદ ઉકેલી બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
હિન્દ ન્યૂઝ, મોરબી મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એમ આર ગોઢાણીયા લાલપર ચોરી નો ભેદ ઉકેલી મુદા માલ કબ્જે કરેલ હોઈ, રીકવર માલની કિંમત રૂ 2.16.000 / નો મુદા માલ સાથે બે આરોપી (1) અનીલ પરબત ભાઈ ચાવડા જાતે નાડોદા રાજપુત ઉ. વ. 24. (2) પવન પરબત ભાઈ ચાવડા જાણે નાડોદા રાજપૂત ઉ. વ. 22.હાલ રહે જાબૂડીયા શ્રી રામ કારખાના ની ઓરડી મા મુળ રહે હરીપુરા તા. દસાડા જી સુરેન્દ્રનગર આગળ ની તપાસ મોરબી તાલુકા પોલીસ ચલાવી રહી છે. મ્હ.પોલીસ અધિક્ષક એસ.આર.ઓડદે રા સાહબે મોરબી જીલ્લા તથા નાયબ પોલીસ…
Read Moreમોરથલ ખાતે દવાખાનુ ચલવતા કોરોના વોરિયર્સ નું તાલુકાના તથા ગામ ના આગેવાનો દ્વારા પાઘડી પહેરાવીને સન્માન
હિન્દ ન્યૂઝ, મોરથલ કોરોના ના કપરા સમય માં જ્યારે કોરોના સંક્રમણ ખૂબ વધ્યું હતું ત્યારે મોટી હોસ્પીટલોમાં બેડ ખાલી ન હોવાથી પ્રવેશ પણ આપવામાં આવતો નહતો હતો. ત્યારે મોરથલ ગામ તથા આજુબાજુ ગામડાના લોકોને મોત ના મુખ માંથી બચાવવા માટે મોરથલ ગામ માં આવેલા દવાખાના ના ડોક્ટરો દ્વારા પોતાની જીવની પણ પરવા કર્યા વગર મંડપ બાધીને ખાટલા ની અલાયદી વ્યવસ્થા કરી ને લોકોને જરૂરી સારવાર પૂરી પાડી રહ્યાં છે. સાજા કરવામાં મદદરૂપ થવા બદલ અને લોકોને સ્વાસ્થ્ય ની સેવા ઓ પુરી પાડવા બદલ તેમનું આજે તેમના દવાખાના ખાતે…
Read Moreઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
હિન્દ ન્યૂઝ, નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સૌએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ…
Read Moreસ્વામિનારાયણ મંદિરમાં વર્ચ્યુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ યોજાયો
હિન્દ ન્યૂઝ, વડતાલ કોરોના મહામારીમાં દર્દીઓને સહયોગ અને હૂંફ-બળ આપવા માટે શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામ દ્વારા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી વર્ચુઅલ કોવિડ પેશન્ટ્સ સહાનુભૂતિ સમારોહ – ૨ નું આયોજન તા.૨૧/૫/૨૦૨૧ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં વડતાલ મંદિરના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી પૂજ્ય ડો.સંતવલ્લભદાસજી સ્વામી, નાર ગોકુલમ્ ના સ્થાપક પૂજ્ય શુકદેવપ્રસાદ સ્વામી વગેરે સંતો તથા મુખ્ય અતિથી રૂપે કેન્દ્ર સરકારના માનનીય કેબીનેટ મંત્રી નીતિન ગડકરીજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. નીતિન ગડકરીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયની વિભિન્ન ૪૫ ઉપરાંત સંસ્થાઓ દ્વારા આચાર્ય તથા સંતોની પ્રેરણાથી કોરોના કાળમાં ચાલુ…
Read Moreલાલપુર ગૌશાળા માં ગાયો ને તરબૂચ ખવડાવી ને જન્મ દિવસ ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, લાલપુર લાખણી તાલુકાના લાલપુર ગામે અનોખી ઉજવણી જેમાં અત્યરે માણસો પોતાના વિવિધ પ્રસંગોમાં વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. હવે પ્રજામાં માં પણ જીવદયા ની લાગણી જોવા મળે છે. ગામ માં કોઈ પણ સારા કે ખરાબ પ્રસંગે ગૌશાળા ને અયથા શક્તિ પ્રમાણે જીવ દયા નુ કામ કરે છે. જેમાં જન્મદિવસ મરણ પ્રસંગે ધાર્મિક પ્રસંગે પણ ગાયો ને યાદ કરી ને ઉજવણી કરતા હોય છે. તેવી રીતે લાલપુર ગામે ગામ ના શાહ પ્રવીણભાઈ શાંતિલાલ તેમના જન્મદિવસ તા 22/5/2021 ના રોજ ગામ માં આવેલી રામદેવ ગૌશાળા ની અંદાજે…
Read Moreખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓને Liposomal Amphotericin B ના ઇન્જેકશન મેળવવા માટે હેલ્પલાઇન નંબર પરથી જાણકારી મેળવી શકાશે
હિન્દ ન્યૂઝ, ભાવનગર હાલની મ્યુકરમાઇકોસીસ મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં મ્યુકરમાઇકોસીસનાં દર્દીઓને Liposomal Amphotericin B ના ઇન્જેકશન મેળવવાની કાર્યવાહી દર્દીઓને સારવાર આપનાર જે-તે ખાનગી હોસ્પિટલ દ્વારા જ કરવાની રહે છે. Liposomal Amphotericin B ઇન્જેકશન મેળવવા માટે ખાનગી હોસ્પિટલો દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ Website: – www.sirthospital.com પરથી ડાઉનલોડ કરવાનું રહેશે તથા જરૂર મુજબનાં આધાર–પુરાવાઓ Email ID: – mucor.srth.bhavnagar@gmail.com ઉપર રજુ કરવાનાં રહેશે. જેની ચકાસણી અત્રેની સંસ્થા ખાતે બનાવેલ તજજ્ઞ તબીબોની સમિતિ દ્વારા કરવામાં આવશે. જે ચકાસણી બાદ સમિતિ જે તે સારવાર આપનાર ખાનગી હોસ્પિટલને Liposomal Amphotericin B ઇન્જેકશન ફાળવવાની…
Read Moreરાજ્ય સરકારની ઝડપી કામગીરી ભાવનગર જિલ્લા અને શહેરમાં સર્વે તથા કેસ ડોલ્સની વિતરણની કામગીરી પૂરજોશમાં
હિન્દ ન્યૂઝ, ભાવનગર તાઉ’ તે વાવાઝોડાને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં થયેલ નુકશાનના સર્વેની કામગીરી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. આ સિવાય જિલ્લામાં કેસ ડોલ્સ સહિતની ચૂકવણીની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડા બાદ લોકોને હાલાકી ન પડે તેવા ઉમદા આશયથી આ કામગીરીને ટોચ અગ્રતા આપીને લોકો સુધી ઝડપથી સહાય- મદદ મળે તે માટે વિના વિલંબે આ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારની ત્વરિત નિર્ણાયકતાને કારણે ઉપલબ્ધ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને જનજીવન…
Read Moreમુખ્યમંત્રીએ વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામ મહુવા નાગર ના ખાર ઝાપા અને જનતા પ્લોટ વિસ્તારની મુલાકાત લીધી
હિન્દ ન્યૂઝ, ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે થયેલા નુકસાન અંગે કોઇ ચિંતા કરવાની જરૂર નથી કોઈ પણ આપદા કે વિપરિત પરિસ્થિતિ માં રાજ્ય સરકાર તમારી સાથે જ છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં ‘તાઉ તે’ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકી ના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનો ની વિતક સાંભળવા આ…
Read Moreતાઉ’ તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહુવા ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો
હિન્દ ન્યૂઝ, ભાવનગર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાતમાં તાઉ’ તે વાવાઝોડાને પરિણામે ઉભી થયેલી પરિસ્થિતિ અને ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાના ગામો-વિસ્તારોમાં થયેલ નુકશાન, તારાજીની જાત માહિતી મેળવવા અને ગ્રામીણ નાગરિકોની વિપદામાં સહભાગી થવા મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોચ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી હવાઇ માર્ગે મહુવાના પઢિયારકા ગામે પહોંચતા સુધી માર્ગમાં આવતા ગામો-વિસ્તારોમાં તાઉ’ તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતિ અને નુકશાનીનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ મહુવાના પઢિયારકા ગામે આ વાવાઝોડાને પરિણામે લોકોના મકાનો, ખેતીવાડીને થયેલા નુકશાનનો કયાસ કાઢવા ગ્રામજનો સાથે લાગણીસભર સંવાદ…
Read More