રાજકોટના સિવિલ હોસ્પિટલ દર્દીના મોત બાદ ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા ૧૦ દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, પોલીસ કમિશ્નરને આવેદનપત્ર રજૂઆત

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં દાખલ ભગવતિપરાના પ્રભાકરભાઈ ભાઈદાસ પાટીલનું ગત તા.૧૨ના રોજ મૃત્યુ થયું હતું. દર્દીને સિક્યુરિટી ગાર્ડ અને તબીબી સ્ટાફ માર મારતા હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેના ઘેરા પડઘા પડ્યા હતા. દર્દી કપડાં કાઢી નાખતો હોવાથી તેને કંટ્રોલ કરતા હોવાનું તબીબી અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ વાઇરલ થયેલા વીડિયોમાં પ થી ૬ લોકો પ્રભાકરભાઈ ઉપર બેસી ઢીકાપાટુ-ફડાકાનો માર મારતા હોય અને મોઢા ઉપર સિક્યુરિટી ગાર્ડ પગ રાખતો હોય તેવું સ્પષ્ટ દેખાતું હોવાથી તેનું મોત મારથી થયું હોવાના આક્ષેપ સાથે…

Read More

રાજકોટ શહેર ના K.K.V સર્કલ ઓવરબ્રીજની ઉપર હાઈલેવલ ઓવરબ્રીજ બનાવવા માટેની કાર્યવાહી, પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-કાલાવડ તેમજ જામનગર-ગોંડલ તરફ કાલાવડ રોડ ઉપર થઇને જતા તમામ વાહનો માટે હાઈલેવલ ઓવરબ્રીજ આશીર્વાદ રૂપ બનશે. કોટેચા ચોકથી શરૂ થઇને મહાનગરપાલિકાના સ્નાનગાર સુધી હાઈલેવલ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. ક્ધસલન્ટન્ટના રીપોર્ટ મુજબ હાલ ઓવરબ્રીજ બનાવવા માટે કાલાવડ રોડ ઉપર બંને સાઈડ નિયમ મુજબ જગ્યા હોવાના કારણે સાઈડમાં આવતી મિલકતોનું કપાત નહીં થાય. ક્ધસલન્ટન્ટનો રીપોર્ટ અને ડીઝાઈન તેમજ બ્રીજ માટેનું એસ્ટીમેન્ટ સહિતની કાર્યવાહી હાલ પૂર્ણ કરવામાં આવી છે. અને ફાઈલ કમિશ્નરને સુપ્રત કરવામાં આવી હોય. સોમવારે કમિશનરના આદેશ બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડરના…

Read More

તા.26/9/20 ના રોજ જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના

હિન્દ ન્યૂઝ, જોડીયા, ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ની આવક માં વધારો થાઈ એ અંતર્ગત સાત પગલાં ખેડૂત કલ્યાણના, જેથી ખેડૂતના લાભ માટે ખેતર ની ફરતે કંટાળી તાર -હેન્ડ ટુલ્સ કીટ, ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા માટે છત્રી /સેડ કવર પુરા પાડવા વગેરે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સરદાર પટેલ સહભાગી યોજના ના ચેરમેન ભરતભાઈ બોધરા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. યુ. મકવા, જિલ્લા બાગાયત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા, જોડીયા/ધ્રોલ ખેતીવાડી ના અધિકારીઓ, ગ્રામસેવકો, એ.પી.એમ સી. જોડિયા ના ચેરમેન…

Read More

રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાપર, રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને બજારમાં પોતાની ઓફિસમાં જતાં એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે આજે ગાધીધામ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ એસ પી એ-ડિવિઝન, બી-ડિવિઝન તથા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કારગો સુદરપુરી તથા અન્ય લોકો એ ભેગામળી ને આવેદનપત્ર આપ્યું. જેમાં પંકજભાઈ સોમાભાઈ વાધેલા, કિરિટભાઈ વણકર, રામજી સોંધરા તથા નામી અનામી ભાઈઓ જોડાઈ ને રજૂઆત કરી હતી અને જો આરોપી નહિ પકડાય તો ગાધીધામ માં ઉગ્ર આનદોલન કરવામાં આવશે ત્યારે પોલીસ પ્રસાસને કહ્યું કે અમારી અલગ અલગ…

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસ રોડ પર આધેડ વયના ખેત મજુર એ કરેલો આપઘાત

અમરેલી, મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા શહેર માં આવેલ ગંજીવાડા વિસ્તારમાં રહેતા ગોકુળભાઈ સવજીભાઈ ડેડાણીયા ઉંમર વર્ષ 65 આજરોજ બપોરના સમયે અમરેલી બાઇપાસ રોડની સાઈડમાં આવેલા લીમડાના ઝાડ પર લડકી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ. બનાવની જાણ થતાં ઘટનાસ્થળે બગસરા પોલીસ સ્ટાફ વધુ તપાસ માટે દોડી ગયેલ, મૃતકને 108 દ્વારા બગસરા જાહેર આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લઈ જવામાં આવેલ, વધુ વિગત જાણવા અનુશાર ગોકુળભાઈ સવજી ભાઈ ને બે પુત્રો અને બે પુત્રી હતા. રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Read More

છાપી પો.સ્ટે.ના ગુનાનો 11 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી છાપી પોલીસ

હિન્દ ન્યૂઝ, છાપી, IGP બોર્ડર રેન્જ – ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલ ના માર્ગેદર્શન હેઠળ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ અને વિભાગીય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ (IPS) તેમજ પાલનપુર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.અસારી ના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ સ્ટાફના પો. સબ ઈન્સ. એસ.ડી.ચૌધરી તેમજ અહેકો યાજ્ઞીકભાઈ રતુભાઇ , પો.કો ચેતનસિંહ રણછોડજી, પો.કો. મહેશભાઈ રઘનાથભાઈ, પો.કો.મહેન્દ્રભાઈ, વીરાભાઈ, પોલીસ સ્ટાફના માણસો ને ખાનગી રાહે હકીકત મળેલ કે છાપી પો.સ્ટે. સેકન્ડ.ગુ.ર.નં.૩૦૨૦/૨૦૦૯ ઘી ઇ.પી.કો. કલમ ૪૬૭,૪૭૧, ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ ૮૫(૨)ઠ મુજબ ના કામેનો આરોપી પલક…

Read More

રાજકોટ ના કુવાડવા G.I.D.C માં કલરકામ કરતા યુપીના શખ્સને પવનની ફટકી લાગતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ ખાતે મૂળ યુપીનો અને હાલ રૈયાધારમાં મોટાભાઈ સાથે રહેતો લક્ષ્મણભાઇ પથરીભાઈ સહાની નામનો 30 વર્ષીય શ્રમિક યુવાનના મામાએ કુવાડવા G.I.D.C માં કલરકામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય. ત્યાં ૬ દિવસથી મજૂરીકામે જતો હતો. ગતરાત્રે સાથી મજૂરોને જમવાનું બનાવો મને બહુ ગરમી થાય છે. હું હવાફેર કરતો આવુ તેમ કહી સામેની ૪ માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે હવા ખાવા ગયો. બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી ૧૦૮ ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. તપાસ…

Read More

વંદનાબેન પટેલ (ચૌધરી) ને રાજય કક્ષા ના એન.એસ.એસ.એવોર્ડથી સન્માનિત કરાયા

હિન્દ ન્યૂઝ, થરાદ, થરાદ તાલુકા ના સણાવીયા ગામના વતની અને હાલ કડી ખાતે રહી પાટણ માં વર્ષ ૨૦૧૫-૧૯ દરમિયાન સરકારી ઇજનેરી કોલેજ માં કોમ્પ્યુટર એન્જીનીયર માં અભ્યાસ દરમિયાન કું.વંદનાબેન ગણેશભાઈ પટેલ (ચૌધરી) એ અભ્યાસ ની સાથે સાથે એન.એસ.એસ. માં જોડાઈ રાજય અને રાષ્ટ્રીય લેવલે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ જેમને રાજય કક્ષા ના સર્વોચ્ચતમ એન.એસ.એસ. એવોર્ડ ૨૦૧૮-૧૯ માટે પસંદગી કરવામાં આવી હતી. જેના નેજા હેઠળ આ એવોર્ડ ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી ગાંધીનગર ડાયરેકટર અને આઈ એ એસ અધિકારી એમ.નાગરાજનના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કું.વંદનાબેન પટેલ (ચૌધરી) રાજય કક્ષા…

Read More

દિયોદર ખાતે છેલ્લા સાત મહિના થી રોજગાર ધંધા બંધ પરિવાર નું ગુજરાન કઈ રીતે ચલાવવું એ સંદર્ભે લગ્ન મંડપ એસોસિએશન ની બેઠક યોજાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર     રાજ્ય માં કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોકડાઉન અમલ માં મુકવામાં આવ્યું હતું. જેમાં ધીમેધીમે હવે સરકાર ની ગ્રાઇડ લાઇન મુજબ તમામ ધંધા રોજગાર શરૂ થયા છે. પરંતુ લગ્ન પ્રસંગ માં 100 ઉપરાંત લોકો ને ભેગા થવાની શૂટ ના હોવાથી છેલ્લા સાત મહિના થી લગ્ન મંડપ ના વેપાર ધંધા બંધ હોવાથી હજારો કામદારો ને પોતાનો પરિવાર નું ગુજરાન ચલાવવા મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે આજે દિયોદર જી આઈ ડી સી ખાતે મંડપ એસોસિએશન ની એક મહત્વ ની બેઠક મળી હતી. જેમાં આ બેઠક…

Read More

વાવના માર્કેટયાર્ડમાં પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા     વાવ માર્કેટયાર્ડમાં બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટેનો સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પરબત પટલેના હસ્તે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પુરી પાડવા તથા સ્માર્ટ હેન્ડલૂમ કીટ તથા કાંટાળી વાડની યોજનાનું લોકાર્પણ કરાયું. કાર્યક્રમમાં સાંસદ પરબત પટેલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો સહિત ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More