રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાપર,

રાપર માં એડવોકેટ દેવજીભાઈ ને બજારમાં પોતાની ઓફિસમાં જતાં એક ઈસમે છરી ના ઘા મારી કરપીણ હત્યા કરી તે સંદર્ભે આજે ગાધીધામ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ એસ પી એ-ડિવિઝન, બી-ડિવિઝન તથા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કારગો સુદરપુરી તથા અન્ય લોકો એ ભેગામળી ને આવેદનપત્ર આપ્યું. જેમાં પંકજભાઈ સોમાભાઈ વાધેલા, કિરિટભાઈ વણકર, રામજી સોંધરા તથા નામી અનામી ભાઈઓ જોડાઈ ને રજૂઆત કરી હતી અને જો આરોપી નહિ પકડાય તો ગાધીધામ માં ઉગ્ર આનદોલન કરવામાં આવશે ત્યારે પોલીસ પ્રસાસને કહ્યું કે અમારી અલગ અલગ ટીમો આરોપીઓ ની પાછળ લાગેલી છે અને જલ્દી પકડાઈ જશે તેવુ કહેવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Related posts

Leave a Comment