૧૧ મી સપ્ટેમ્બર દેશ ભક્તિ દિવસ,  દેશપ્રેમ, દેશ સેવા-સમર્પણ, દેશ માટે ત્યાગની ભાવના એ જ ખરા અથઁમાં દેશભક્તિ

ગીર સોમનાથ,       ગીર સોમનાથ તા.૧૦, અમેરીકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વર્ષ ૨૦૦૧માં ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્યારબાદ વિશ્ર્વના તમામ દેશોએ ૧૧ મી સપ્ટેમ્બરને દેશ ભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બરના દિવસે પ્રાથમિક સ્કુલોમાં દેશભક્તિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.     ગુજરાત રાજ્ય સરકાર દ્રારા સ્કુલોમાં થતી તમામ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓમાં સંકલન જળવાય રહે એટલા માટે અગાઉ શાળાકીય કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા હતા. શાળાકીય કેલેન્ડરમાં સ્કુલોમાં વેકેશન, પરીક્ષા, રજા અને વિવિધ દિવસોની ઉજવણી સહિત વિવિધ પ્રવૃત્તિઓ ક્યારે કરવી તેની માહિતી આપવામાં આવી હતી.…

Read More

નર્મદા ખાતે આશ્રમ શાળાના બાળકોને અભ્યાસમા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો

નર્મદા, નમૅદા જીલ્લાની આશ્રમશાળાના શિક્ષકો ની પ્રંસસનીય કામગીરી. નમૅદા જીલ્લા મા અંતરિયાળ વિસ્તારમાં, ઉડાણ ના વિસ્તાર મા આશ્રમશાળાઆે આવેલી છે, જેમા આદિજાતિ વિસ્તારના આદિજાતિ ના બાળકો આશ્રમશાળામા રહીને અભ્યાસ કરે છે. અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમા શાળા કોલેજો બંધ છે, પરંતુ શિક્ષણ એ આજીવન સતત ચાલતી પ્રકિયા છે.  એમ શિક્ષણ કાર્ય ચાલુ છે. જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં, જયા જયા મોબાઈલ નેટવર્ક નથી તેવા ગામો મા આદિજાતિ ના બાળકો અભ્યાસ થી વંચિત ન રહે અને અભ્યાસ મા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો સાથે અને શહેરના બાળકો…

Read More

પીલુડા ખાતે બનાશ બેંક માં બનાસ બેંક A T M નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું

થરાદ, આજ રોજ પીલુડા ખાતે આવેલ બનાશ બેંક માં બનાસ બેંક A T M નું શૈલેષ ભાઈ પટેલ બનાસ બેંક ના ડિરેક્ટર ના વરધ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.  જેમાં પીલુડા ગામનાં ડેલિકેટ ચૌહાણ બળવંતસિંહ, બ્રાન્ચ મેનેજર ઉદયસિંહ ચૌહાણ , પૂર્વ વિસ્મુદ્ધા અધ્યક્ષ ગુજરાત સરકાર માવજીભાઈ પટેલ ભારતીય કિશાન સંઘ થરાદ ના પ્રમુખ કાનજીભાઈ પટેલ તેમજ સેવા સહકારી મંડળીઓ ના મંત્રીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ ના મંત્રીઓ ગોકુળ માર્કેટ યાર્ડ ના વેપારીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતાં. રિપોર્ટર : અતુલ ત્રિવેદી,  થરાદ

Read More

રાજકોટ-જામનગર-અમદાવાદ ખાનગી ટ્રાવેલ્સમાં અને S.T બસમાં આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવ્યા બાદ જ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે

રાજકોટ, તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-અમદાવાદ વધતા કોરોનાના કહેર સામે અમદાવાદનુ તંત્ર સજ્જ થઈ ગયુ છે. રાજકોટ-જામનગર થી આવતી તમામ બસોના મુસાફોરના કોરોના ટેસ્ટ કરવામા આવે છે. ત્યારબાદ જ બસને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામા આવે છે. ખાનગી અને S.T બસોમાં આવતા મુસાફરો જે રાજકોટ અથવા જામનગરથી આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં પ્રવેશ પહેલા ટેસ્ટ કરાવામાં આવે છે. અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ જવા દેવામાં આવે છે. કોરોના પોઝિટિવ આવતા લોકોને તેમને હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરે છે. છેલ્લા ૮ દિવસથી રાજકોટમા કોરોના ફાટી નીકળ્યો છે. આવી સ્થીતીમા અમદાવાદ આવતા લોકોનુ ખાસ…

Read More

જેતપુરના હોસ્પિટલને અનધિકૃત બાંધકામ હટાવવાની નોટિસ આપતા વિવાદ

જેતપુર,           નવાગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયાના દિયર મિન્ટો ઉર્ફ મનીષ સખરેલીયાએ ગત ૯ સપ્ટેમ્બરના રોજ જેતપુર શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ સંજીવની મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ અંગે તબીબ તેમજ તબીબી સ્ટાફ બબાલ કરી હતી તેમજ ત્રણ મહિના અગાઉ પણ આ જ હોસ્પિટલના વોર્ડબોયને ફટકાર્યો હતો. ત્રણ મહિનામાં બીજી વખત સંજીવની હોસ્પિટલના તબીબ તેમજ તબીબી સ્ટાફ ગેરવર્તુણક કરતા ગત મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો ૧૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેમજ હડતાલને જનરલ પ્રેક્ટિશનર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન દ્વારા પણ મોડી…

Read More

રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા પર ફરતી ખોટી અફવાઓથી દુર રહેવું, અફવાઓથી નહિ ગભરાવા મ્યુનિ.કમિશનરે કરી અપીલ

રાજકોટ,           તા.૧૧/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરે ફરીને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અફવાથી લોકો ભયભીત ના થાય અને ખરેખર સત્ય હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરે. સોશિયલ મીડિયા પરથી અનાધિકૃત માહિતીથી ચેતો અને સમાજમાં ભયની લાગણીના પ્રસરે તેની તકેદારી રાખે એમાં જ સૌનું ભલું છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

આરોગ્ય કર્મી સાથે રીવ્યુ મિટિંગ યોજી માર્ગદર્શન આપતાં જિલ્લા કલેકટર અને કમિશનર

જામનગર, હિન્દ ન્યૂઝ           તા. 11 સપ્ટેમ્બર, આજ રોજ ગુજરાત આર્યુવેદીક યુનિવર્સીટી સભાખંડ ખાતે કલેકટર રવિ શંકર અને કમિશનર સતીસ પટેલ દ્વારા કામદાર અને વિશ્રામ વાડી આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર અને નર્સીંગ સ્ટાફ, આશા વર્કરો, ફિમેલ હેલ્થ વર્કર વગેરે આરોગ્ય કર્મી ઓ સાથે રીવ્યુ મિટિંગ યોજાઈ હતી. જેમાં કલેકટર રવિશંકર, અને કમિશનર સતીશ પટેલ દ્વારા આરોગ્ય કર્મી ઓ ને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું.  રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Read More

જેતપુર ખાતે માનવતાનું ખરું ઉદાહરણ પુરુ પાડતા તરુણ પંડ્યા

જેતપુર, આજકાલ માત્ર ફોન કરી બેંક ખાતાધારકના એ.ટી.એમ. કાર્ડના નંબર અને CVV નંબર મેળવી અથવા તો એ.ટી.એમ. કાર્ડ ક્લોન કરી ઓનલાઇન ફ્રોડ આચરવામાં આવે છે. પરંતુ જેતપુરના તરુણ ઘનશ્યામભાઈ પંડિયાને સિવિલ હોસ્પિટલ પાસેથી એક પર્સ મળી આવ્યું હતું.  જે ખોલીને જોતા પર્સમાં આધારકાર્ડ, એ.ટી.એમ. કાર્ડ વગેરે જેવા અગત્યના ડોકયુમેન્ટ હતા. જે ખોલીને જોતા આ પર્સ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલ પાછળ રહેતા કરગથરા અજીમભાઇ અશરફભાઈનું હોવાનું માલુમ પડતા જ તરુણભાઈ દ્વારા મૂળમાલિકનો સંપર્ક કરી ઘરે જઈ તેમને આ પર્સ પરત કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. રિપોર્ટર :…

Read More

લીંબુડા ગામે આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના સહયોગથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ

જોડિયા,         આજરોજ લીંબુડા ગામે કોરોના મહામારી અંતર્ગત આયુર્વેદિક હોસ્પિટલ જોડિયાના સહયોગથી તાલુકા પંચાયત જોડિયા અને મામલતદાર કચેરીના આયોજનથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. લોકો બહોળી સંખ્યામાં ઉકાળાનું સેવન કરી રહ્યા છે. આ કામગીરી લીંબુડા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક મિત્રો તેમજ આશા વર્કર અને ગામ ના સરપંચ બીપીનભાઈ નાગપરા ની હાજરીમાં તેમજ આ સમયે તાલુકા વિકાસ અધિકારી જે.એચ. સોરઠીયા હાજર રહેલ તાલુકા વિકાસ અધિકારીએ ઉકાળા વિશે મહત્વની જાણકારી આપી અને આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી દરરોજ તાલુકાના તમામ ગામની આંગળવાડી ખાતે ચાલુ રહેશે. રિપોર્ટર :…

Read More

બરોડા જિલ્લા ડભોઇ તાલુકા ફર્તીકુઈ ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત

 ડભોઇ,     ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇકચાલક ને કાર ચાલકે ટક્કર મારતાં બાઈકચાલક રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલીક તેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર ડભોઇ શિનોર ચોકડી પાસે પ્રમુખસ્વામી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : હુસેન મન્સૂરી, ડભોઇ  

Read More