હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાન ખાતે ૦૪ મે સુધી ‘સરસ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટોલ નં. ૩૦ છે ગુલાબ સખી મંડળનો… મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામમાં કાર્યરત ગુલાબ સખી મંડળમાંથી સભ્યશ્રી સુમિતાબેન ચૌધરી રાજકોટ આવેલા છે અને અહીં હસ્તકલાની બનાવટો વેચી રહ્યાં છે. જ્યાં પ્રથમ દિવસે, એટલે કે માત્ર એક જ દિવસમાં તેઓને રૂ. ૦૬ હજારથી વધુનું વેચાણ થયું છે. આ મંડળ સાથે જોડાયેલી મહિલાઓ ઉત્સાહભેર ભિન્ન-ભિન્ન પ્રકારની ઘર સજાવટમાં ઉપયોગી ચીજોના ઉત્પાદન-વેચાણમાં વ્યસ્ત છે. દરેક વસ્તુઓ બનાવવા પાછળ તેમની સંયુક્ત મહેનત છુપાયેલી…
Read MoreMonth: April 2025
પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વિંછીયા તાલુકાના સનાળા ગામે રૂ.૩૩.૭૬ લાખનાં ખર્ચે બનનારા નવા ચેકડેમનું ખાતમુર્હૂત કર્યું હતુ. સ્થાનિક વોંકળા ઉપર પાણીના સંગ્રહ માટે નવો ચેકડેમ બન્યા બાદ ૨૦ હેક્ટર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે. ચેકડેમની કામગીરી પૂર્ણ થયે ગામના ૧૦૦ જેટલા ખેડૂતોની ૨૦ હેક્ટર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળશે. ડેમમાંથી પાણી ખાલી થયા બાદ જરૂર પડ્યે સૌની યોજનામાંથી ચેકડેમ ભરાય, તેવી વ્યવસ્થા કરાઈ છે, જેથી ખેડૂતોને સિંચાઈનો પૂરતો લાભ મળી રહે. આ ઉપરાંત, ગામના કુવા, બોર વગેરે રીચાર્જ કરવા સુજલામ…
Read Moreમુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ મુંજકા-૨ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ સતત ત્રીજા વર્ષે શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, સહિતના અધિકારીઓએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે ખેલકૂદમાં પણ આગળ વધે, તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોજનાબદ્ધ કામગીરી કરાઈ રહી છે. ત્યારે મુંજકા-૨ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમતમાં પણ અગ્રેસર રહીને શાળાનું ગૌરવ વધારી રહ્યા છે. શાળામાં અભ્યાસ કરતી ધોરણ-૮ ની વિદ્યાર્થિની ચારમી એન.એમ.એમ.એસ. પરીક્ષામાં સમગ્ર રાજકોટમાં બીજા ક્રમે આવી છે. ધો.૮ માં અભ્યાસ…
Read Moreગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જે વિશે વાત કરતા રાજકોટના ઝુમ્બા ફિટનેસ ટ્રેઈનર મુસ્કાન વ્યાસ જણાવે છે કે, ઝુમ્બા ફિટનેસ વ્યક્તિની કાર્ડીયોવેસ્ક્યુલર હેલ્થને બુસ્ટ કરે છે, હોર્મોન બેલેન્સ કરે છે, હાર્ટને પણ હેપ્પી રાખે છે. જેનાથી વેઈટ લોસ ઝડપથી થાય છે. જે લોકોને વર્કઆઉટ બોરીંગ લાગે તે લોકો માટે ઝુમ્બા ફિટનેસની અંદર મ્યુઝિક અને ફન સાથે વર્કઆઉટ કરવું ખુબ જ સહેલું છે. ફન સાથે વર્કઆઉટ કરીએ ત્યારે માઈન્ડ અને બોડી હેપ્પી અને હેલ્ધી ફીલ કરે છે. અત્યારે ભારતમાં અને ગુજરાતમાં…
Read More‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી
હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન કાર્યરત કર્યું છે. જે અંગે વાત કરતા હીર શેઠે જણાવ્યું હતું કે, હું ઓવર વેટ તથા પી.સી.ઓ.ડી. જેવા હેલ્થ ઈસ્યુ થી પીડાતી હતી. જેના કારણે મારી ફિઝીકલ અને મેન્ટલ ફિટનેસ વચ્ચે બેલેન્સ ખોરવાઈ ગયુ હતું એટલે મેં ઝુમ્બા શરૂ કર્યા ૬ મહીના સુધી મેં “નો સુગર, નો જંક ફૂડ, બેલેન્સ ડાયટ, પ્રોપર સ્લીપ…
Read Moreરાજકોટના તમામ લોકો મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનમાં જોડાયા
હિન્દ ન્યુઝ, રાજકોટ છેલ્લા કેટલાક સમયથી આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે લોકોનું જીવન બેઠાડુ બની રહ્યું છે. જેના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો મેદસ્વિતા બાબતે કાળજી રાખવામાં ન આવે, તો આવા લોકો અન્ય અનેક રોગોમાં સપડાય તેવી સંભાવના છે. આથી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફિટ ઇન્ડિયા માટે યોગાભ્યાસ, ખેલકૂદ, ડાન્સ, પરિશ્રમ તથા વ્યાયામને મહત્વ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’ના એપિસોડમાં મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત થવાની અપીલ કરી છે. જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ…
Read Moreરાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ રાજકોટ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજે રાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી મુળુભાઈ બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી તેમજ આશ્રમના મહંત યતિ શ્રી બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું. બાદમાં મંત્રીએ વનકવચ વિસ્તારમાં ફરીને વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા, “એક…
Read Moreહોસ્પિટલના કર્મચારીઓ માટે ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ હેઠળ ‘સોફ્ટ સ્કિલ’ તાલીમનું આયોજન
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવારમાં સુગમતા અને સધિયારો મળી રહે તે માટે હોસ્પિટલના કર્મચારીઓ માટે ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ હેઠળ ‘સોફ્ટ સ્કિલ’ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ઈ.એમ.આર.આઈ. -જી.એચ.એસ. ના સહયોગથી રાજકોટ પી.ડી.યુ. સિવિલના વોર્ડ સ્ટાફ, કેસ વિન્ડો, સિક્યોરિટી સહિતના આશરે ૯૦૦ જેટલા સ્ટાફ માટે આયોજિત ‘આરોગ્ય સાથી’ તાલીમનો પ્રારંભ આજરોજ એમ.સી.એચ. વીંગ ખાતે કરવામાં આવ્યો છે. ‘સોફ્ટ સ્કિલ’ ટ્રેનીંગ અંગે ટ્રેનર વૈશાલી ચુડાસમાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બે દિવસીય તાલીમ પ્રોગ્રામમાં સ્ટાફની હોસ્પિટલ મેનેજમેન્ટમાં…
Read Moreજિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન ૨.૦ની જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન રૂ.૬૭૪.૬૯ લાખના ખર્ચે ૩૯૮ કામો દ્વારા જળસંગ્રહની કામગીરી હાથ ધરાશે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વિવિધ કામો હાથ ધરાશે. જેમાં મુખ્યત્વે જળસંગ્રહનાં હાથ ધરવાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જેવા કે તળાવો ઉંડા કરવા, ચેકડેમોનુ ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ,…
Read Moreહિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આજે રાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી મુળુભાઈ બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રવિણાબહેન રંગાણી તેમજ આશ્રમના મહંત યતિ બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું. બાદમાં મંત્રીએ વનકવચ વિસ્તારમાં ફરીને વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા, “એક પેડ મા…
Read More