હિન્દ ન્યુઝ સોમનાથ પ્રભાસ ક્ષેત્ર જ્યાં ભગવાન સોમનાથ બિરાજે છે તે જપ અને તપની ભૂમિ છે. આ ભૂમિ પર દરેક ચિંતા થી મુક્તિ મળે છે. એટલે સુધી કે જગતગુરુ શ્રી કૃષ્ણએ પણ પોતાની જીવનલીલાને વિરામ આપવા આ પવિત્ર ભૂમિ ને પસંદ કરી હતી. ગોલોક ધામ એ જ પાવન સ્થાન છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર થી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું. જ્યાં શ્રી કૃષ્ણની ચરણરજ આ દિવ્ય સ્થાન માં સમાયેલ છે. તેથી જ પ્રભાસની ભૂમીને હરિ-હર ભૂમી કહેવાય છે, જ્યા ભગવાન શિવ પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતરીત થયા…
Read MoreMonth: March 2025
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને લાલપુર ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ,જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી લાલપુર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, 7/12 પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કુવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરએ અરજદારોના પરિવારની…
Read Moreબ્રેઈન ડેડ થયેલા પતિના અંગદાનના નિર્ણય થકી પત્નીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં ગત તા. ૧૮ માર્ચના રોજ મૂળ બિહારના ૪૦ વર્ષીય યુવક ઉમેશ શાહ અકસ્માતનો ભોગ બનતાં તેઓને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરી લીવર, બે કીડની અમદાવાદની હોસ્પીટલની ટીમને સોંપ્યા હતા. અને અને બન્ને ચક્ષુનો ઉપયોગ જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થશે. આમ પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળશે. યુવકના પત્નીએ અન્ય લોકોને પણ અંગદાનની ઝૂંબેશમાં જોડાવા…
Read Moreજામનગરમાં યોજાનાર JEE Mainsની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રના ૩૦૦ મીટરના વિસ્તારમાં કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર નેશનલ ટેસ્ટીંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામીનેશન(JEE Mains)ની પરીક્ષા તા.૨-૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫થી તા.૦૯-૦૪-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવશે. જામનગર જીલ્લામાં મહાપ્રભુજીની બેઠક પાસે અમાત્યા ગ્લોબલ આઈ.ટી.સોલ્યુશન ખાતે આ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા…
Read Moreજામનગરમાં તા.૩૦ માર્ચના રોજ ઝુલેલાલ જન્મ-જયંતિની ઉજવણીને લઈને વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગરમાં જામનગરમાં આવતીકાલ તા.૩૦-૩-૨૦૨૫નાં રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવનાર હોવાથી વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે જતાં હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ આવતીકાલે સવારના ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે…
Read Moreમનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ–વે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે. …
Read Moreજિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં માર્ગ સલામતિ અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં. કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે માર્ચ માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પર અકસ્માત નિવારણ માટેના પગલા લેવા જેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ જિલ્લામાં થયેલા વિવિધ અકસ્માતો વિશે, માનવીય ભૂલના કારણે થયેલા અકસ્માતો, અકસ્માતના સંભવિત કારણો સહિત અકસ્માતની માહિતી મેળવી અને સુપાસી પાસેની ચોકડી પર…
Read Moreજિલ્લા વહીવટી તંત્રની કર્મચારીઓના જન્મદિવસની શુભકામના પાઠવવા માટેનો અનોખો અભિગમ
નાના માણસનું મોટું સન્માન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમાજમાં મોટા માણસો કે મોટા વ્યક્તિત્વનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવવાની સામાન્ય રીતે વ્યાપક પરંપરા છે. જેટલો મોટો માણસ, તેટલી જ યાદગાર ઉજવણી… અને તેની સાથે ભવ્ય ભપકો તો ખરો જ… પરંતુ સમાજમાં જ્યારે મોટા માણસ દ્વારા સામાન્ય માણસના જન્મદિવસ જેવા એક નાના પ્રસંગને એક નાની અમથી ગિફ્ટ અથવા તો ઉપહારથી સન્માનવામાં આવે ત્યારે તે મોટી વ્યક્તિનો તો ખ્યાલ નથી પરંતુ જેના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, તેનો ન માત્ર દિવસ પરંતુ જિંદગીભરનું સંભારણું બનીને રહી જાય છે. તે વ્યક્તિ સાથે…
Read Moreભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭. અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. અબવ ૪૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે…
Read Moreજિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ , જામનગર જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિ જામનગરના અધ્યક્ષ કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને સમિતીની ત્રિમાસીક બેઠક, અને સેવારત તથા પુર્વ સૈનિકોની સમસ્યા નિવારણ અંગેની બેઠકનું કલેક્ટર કચેરીના સંભાખંડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના મુખ્ય કારકુન શ્રી યોગેશ સોનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરી હતી તેમજ પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ…
Read More