ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ભાવનગર  મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી – શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક એન્ડ ટોક પ્રોગ્રામ અંતર્ગત શૈક્ષણિક અને સંશોધનના ઉદેશોથી તા.૧૫-૩-૨૦૨૫ના રોજ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર ( National Archives of India )ની મુલાકાત લીધી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતના ઐતિહાસિક દસ્તાવેજોનું સંરક્ષણ કરવું અને સંશોધન માટે દસ્તાવેજો ઉપયોગી થાય એવો છે. ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ છે.આ વિભાગે દેશના રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, દસ્તાવેજોનો સંગ્રહ કરી, સાચવીને રાખ્યાં છે. No Documents No History સૂત્રને સાર્થક કરવા, પ્રમાણભૂત અને સાચી માહિતી માટે આ વિભાગનું ઘણું મહત્ત્વ…

Read More

શિહોર-ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર   જાનમાલની સલામતી ખાતર ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (ફ) થી મળેલ અધિકારની રૂઈએ ફરમાવ્યું છે કે, શિહોર ગામના સર્વે નં.૨૮૨, શિહોર-ટાણા રોડની દક્ષિણ દિશાએ ફાયરીંગ બટનું ક્ષેત્રફળ હેકટર-૨-૧૯-૫૩ આરે.માં આવેલ છે તે સ્થળ તથા તેની પેરીફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં આગામી તા. ૨૫-૦૩-૨૦૨૫ થી તા. ૨૬-૦૩-૨૦૨૫ સુધી કોઈ પણ શખ્સે જવુ નહીં તેમજ ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા નહીં.       જાહેરનામાનો અમલ તથા તેનો ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરના કોઈ પણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના…

Read More

પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં આવેલ છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે સ્પે.લીવ પીટીશન નં.૮૫૧૯/૨૦૦૬, તા.૦૭/૦૯/૨૦૦૯ અને તા.૨૯/૦૯/૨૦૦૯ના ઓર્ડરથી જાહેર શેરીઓ, જાહેર ઉદ્યાનો કે અન્ય જાહેર સ્થળો વગેરે પર ધાર્મિક પ્રકારના જેવા કે, મંદિર, મસ્જિદ, ચર્ચ, મકબરા, ગુરુદ્વારા વગેરે પ્રકારના ધર્મસ્થાનોના અનઅધિકૃત થયેલા બાંધકામ દુર કરવા તથા નવા અનઅધિકૃત ધાર્મિક બાંધકામ ન થાય તે અંગે રાજય સરકારે જરૂરી નિર્દેશો/સૂચનાઓ પ્રસારીત કરવા આદેશ કરવામાં આવેલ છે. આ સુચના અન્વયે…

Read More

માછીમારનો જીવ બચાવતી વેરાવળની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    દરિયામાં આશરે ૬૫ વર્ષનો માછીમારને માછીમારી કરતી વખતે અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતો હતો. આ ઘટના બાદ જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટ ગાર્ડને અને ઈમરજન્સી સર્વિસ ૧૦૮ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતાં. કોલરનો કોલ મળતા વેરાવળ ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ગોવિંદા ભગત અને પાયલોટ ભરત બાંભણિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટ ગાર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે, દર્દી હજુ પણ દરિયામાં છે અને છાતીમાં અસહ્ય દુઃખાવો ચાલુ જ છે. જે પછી તરત જ દર્દીને કિનારે…

Read More

અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઇએ જિલ્લાના ૭ પીએચસીને દત્તક લીધા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ   અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન મુંબઈ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પીએચસીને દત્તક લેવામાં આવ્યાં હતાં. જેમાં આંકોલવાડી, આદ્રી, જામવાળા, પ્રાસલી, પ્રશ્નાવડા, થરેલી, સામતેર સહિત કુલ ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને દત્તક લીધા છે. આ દત્તક લીધેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં સિવિલ વર્ક, ઈસ્ટુમેન્ટ આઈસી, પ્રિન્ટિંગ મેન પાવર, તાલીમ તેમજ ગામડાઓ નાટક અને ભીંત સૂત્ર જેવી કામગીરી કરવામાં આવી હતી. આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરૂઆ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.ટી.કણસાગરાએ અમેરિકેર્સ ઇન્ડિયા ફાઉન્ડેશન સંસ્થાનો આભાર માન્યો હતો.

Read More

જસદણ ન્યાયાલયની મુલાકાત લેતા બાખલવડ ગામના પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, જસદણ        ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ. આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને બાખલવડ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી. ની ચેમ્બર, રજીસ્ટ્રારની ચેમ્બર, મુદ્દામાલ રૂમ, લોકઅપ રૂમ, કોમ્પ્યુટર રૂમ અને કોર્ટરૂમની મુલાકાત લીધેલ.    આમ આ તકે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ…

Read More