દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેઈલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન

હિન્દ ન્યુઝ, ભુજ        તા. ૩૦ એપ્રિલના દિવસે કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી, ભુજ દ્વારા લાલજીભાઈ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી, હિમાંશુ સોમપુરા, સેક્રેટરી, હરજીભાઈ લાછાણી, ટ્રસ્ટી તથા ખીમજીભાઈ વેકરીયા, ટ્રસ્ટીના સહકારથી નવજીવન અંધજન મંડળ, માધાપર ખાતે અંદાજે ૧૩૮ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.‌ દિવ્યાંગ લોકો માટેની આ તાલીમ યોજવા માટે નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તેઓના તાલીમ મોડ્યુલ્સ જેમાં નાગરિક સંરક્ષણ દળ વિશે પ્રાથમિક માહિતી, પ્રાથમિક સારવાર…

Read More

મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટર ભુજ દ્વારા પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, ભુજ      ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક સંકલિત સેવાઓ પૂરી પાડવાના ઉદે્શ્યથી સખી વન સ્ટોપ સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. ત્યારે આ સેન્ટરના માધ્યમથી અનેક મહિલાઓને મદદ મળી રહી છે. તાજેતરમાં મધ્યપ્રદેશની મહિલાનું સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી તેના પરિવાર સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.  કચ્છમાં ભુજ ખાતે આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલા અને બાળ અધિકારીશ્રી કચેરીના નેજા હેઠળ મુક્ત જીવન સર્કલ, બાયપાસ રોડ ભુજ કચ્છ ખાતે ૨૪*૭ કાર્યરત છે.  આ સેન્ટર ખાતે તા-૨૬/૦૪/૨૦૨૫ના…

Read More

આજે 30 એપ્રિલ આયુષ્યમાન ભારત દિવસ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       આયુષ્માન ભારત દિવસ દર વર્ષે ભારતમાં 30 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તમામ નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓના મહત્વ પર ભાર મુકવાનો છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અમીર અને ગરીબ વચ્ચે કોઈ ભેદ કરતી નથી. કોઈને ઓછી કે કોઈને વધુ પણ પ્રત્યેક વ્યક્તિને તબીબી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. જે આપણી દૈનિક આદતો અને જીવનશૈલી, ખોરાકની ટેવો, આપણા વ્યસનો અને અન્ય બાબતો પર આધારિત છે. જરુરતમંદ પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનુ સુરક્ષા કવચ પ્રભુના આશીર્વાદ સમાન છે. રાષ્ટ્રના પ્રત્યેક જરુરતમંદ નાગરિકના સ્વાસ્થ્ય માટે ભારત…

Read More

મોડપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાએ લાલપુર તાલુકામાં મોડપર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. રૂ.૧કરોડ ૭લાખના ખર્ચે ૪૫૫.૫૩ ચો.મી. જગ્યામાં નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ.રૂમ, ડ્રેસીંગરૂમ, લેબોરેટરી, મમતા કલીનીક, લેબરરૂમ, પ્રિઓપરેશન રૂમ, સ્ક્રબ રૂમ, ચેન્જ રૂમ, માઇનોર ઓપરેશન થિયેટર, પુરુષ અને સ્ત્રીઓનો અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સર્વે ભવન્તુ સુખીન: ના મંત્ર સાથે આરોગ્યની સુખાકારી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…

Read More

આગામી તા.૪ મે ના રોજ જામનગર જિલ્લામાં વિવિધ પાંચ કેન્દ્રો પર ૧૯૩૭ પરીક્ષાર્થીઓ આપશે NEET (UG) ની પરીક્ષા

હિન્દ ન્યુઝ, જામનગર     આગામી તા.૪-૫-૨૦૨૫ ના રોજ જામનગર જિલ્લામાં યોજાનાર NEET(UG) ૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાલક્ષી તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે અમલી બને તે હેતુથી જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે જ્યારે આપણું બાળક પરીક્ષા આપતું હોય ત્યારે આપણે જેટલી કાળજી લઈએ છીએ તેટલી જ કાળજી અને વ્યવસ્થાઓ આ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પણ કરીએ. સાથે જ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ સમગ્ર…

Read More

સાવરકુંડલા તાલુકા ના જીરા-આંબા વચ્ચે શેત્રુંજી નદી ઉપર રુ.૬ કરોડના વિકાસકાર્યોનું ભૂમિપૂજન કરતાં : ધારાસભ્ય મહેશ કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા      સાવરકુંડલા તાલુકાના જીરા અને લિલિયા તાલુકાના આંબા ગામ ને જોડતા શેત્રુંજી નદી ઉપર ૬ કરોડ ના ખર્ચે બનનાર બ્રિજ નું આજ રોજ ઘારાસભ્ય કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે ઘારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું કે, ” સાવરકુંડલા તેમજ લિલિયા તાલુકાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીએ.” આ બ્રિજના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે, ખાસ કરીને ખેતી, વેપાર, આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રે લોકોને ગતિશીલતા મળશે. બંને તાલુકાના લોકો વચ્ચેના દૈનિક વાણિજ્ય અને સામાજિક વ્યવહારોમાં પણ મહત્વપૂર્ણ વધારાની શક્યતા છે. આ બ્રિજના નિર્માણથી ખાસ…

Read More

વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ     કાશ્મીરમાં લેન્ડ સ્લાઈડિંગ પછી પહલગાંવમાં થયેલા આતંકી હુમલા વખતે રાજકોટનો એક પરિવાર શ્રીનગરમાં ફસાયો હતો. તમામ રોડ-રસ્તા બંધ હતા અને ફ્લાઈટ્સ ફુલ જતી હતી. આ વખતે ગુજરાત સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું અને ફ્લાઈટ તેમજ ટેક્સીની વ્યવસ્થા વિનામૂલ્યે કરી આપી. જેના કારણે આ પરિવાર સલામત રીતે પોતાના ઘરે પહોંચ્યો છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક ૨-શ્રીરામ પાર્કમાં રહેતા ૩૮ વર્ષીય નિરવ રમેશભાઈ આચાર્ય પત્ની કિરણ તથા પુત્ર જ્ઞાનેશ તથા તીર્થ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા. એ પછી તેઓ નજીકના સ્થળોએ ફરીને…

Read More

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ ખાતે ‘જ્યોતિગ્રામ યોજના’નો શુભારંભ કરાયો હતો.

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામ ખાતે પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી દ્વારા તા. ૨૫ એપ્રિલને શુક્રવારના રોજ ખાખીજાળીયા નેસ વિસ્તારનો ‘જ્યોતિગ્રામ યોજના’ હેઠળ સમાવેશ કરવાનો ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે શુભારંભ કરાયો હતો. ખાખીજાળીયા ગામના મોજેશ્વર નેસ વિસ્તારના પેટા પરામાં રહેતા ૧૫ પરિવારોને ઘર વપરાશ માટે લાંબા સમયથી ખાખીજાળીયા ખેતીવાડી ફીડરમાંથી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. ખેતીવાડીના હેતુસર ફીડર હોવાથી થ્રી ફેઇઝ પાવર સપ્લાય ૦૮ કલાક માટે આપવામાં આવતો હતો. જે સંદર્ભે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાના પ્રયાસો અને પી.જી.વી.સી.એલ.ના…

Read More

   ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન

હિન્દ ન્યુઝ, રાજકોટ      ડાક વિભાગ હવે માત્ર પત્રો પહોંચાડતું સંસ્થાન નથી, પણ દેશની પ્રગતિમાં સક્રિય ફાળો આપતું એક આધુનિક અને ગતિશીલ સંસ્થાન બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડાક વિભાગ એક બહુવિધ સેવા પ્રદાતા તરીકે ઉભરી રહ્યું છે, જેના દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી હોવાનું સૌરાષ્ટ્ર અને કચ્છ પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે રાજકોટમાં વિભાગીય વડાઓની આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫ ના કાર્યોની સમીક્ષા બેઠક અને શ્રેષ્ઠતા સન્માન વિતરણ પ્રસંગે જણાવ્યું હતું. ડાક સેવાઓમાં નવીનતા સાથે તેની કાર્યક્ષમતા અને પહોંચ વધારવા, નાણાકીય સમાવિષ્ટતા, ડિજિટલાઇઝેશન,…

Read More

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ     જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.    મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિદ્યાર્થીઓને એકાગ્ર ચિત્તે અભ્યાસ કરવા અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને કારકિર્દીમાં આગળ વધવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સૌથી વધુ સરકારી ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં શાળાઓના અદ્યતન અને સગવડ વાળા મકાનો, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ બોર્ડ સહિતની માળખાકીય સુવિધાઓ છે. તથા રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ, એસ.ટી.ના પાસ, નમો લક્ષ્મી જેવી અનેકવિધ યોજનાઓ અમલીકૃત છે. ઉપરાંત, જસદણ અને…

Read More