બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે બોટાદના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ તમામ હિન્દુ સંગઠનો, રાજકીય, સામાજિક આગેવાનો મળી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધમાં બાઈક રેલી યોજી તેમજ બોટાદ કલેકટર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો સાથે બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન ની માંગણી કરવામાં આવી. રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ

Read More

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો હેમંતભાઈ ખવા તથા મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો પરત્વે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી. આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા,પી.જી.વી.સી.એલ.,જી.એસ.આર.ટી.સી.,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જમીન શાખા, ખાણ અને ખનીજ વિભાગ,ડી.આઈ.એલ.આર., જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો…

Read More

નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ

હિન્દ ન્યુઝ, આણંદ એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ M/CYCLE ની નવી સિરિઝ GJ 23-CJ- ૦૦૦૧ થી ૯૯૯૯ છે. પસદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન http://parivahan.gov.in/fancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે.  તા.૨૫/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૭/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક થી તા.૨૯/૦૪/૨૦૨૫ ના ૧૬- ૦૦ કલાક સુધી સમય…

Read More

પેટલાદની એસ.એસ.હોસ્પિટલને લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનું મળેલ રાષ્ટ્રીય સર્ટીફીકેટ

હિન્દ ન્યુઝ, આણંદ     રાજયના નાગરિકોને ગુણવતા સભર સેવા મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આણંદ જિલ્લાની પેટલાદ તાલુકાની એસ.એસ.હોસ્પિટલ જિલ્લામાં આરોગ્ય અંગેની સેવાઓ પુરી પાડવામાં અગ્રેસર છે. દિવસેને દિવસે આરોગ્ય સેવાઓ વધારેને વધારે સુદ્રઢ બને તે માટે એસ.એસ.હોસ્પિટલ હંમેશા તત્પર છે.  ભારત સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓમાં સુધારો કરવા માટે લક્ષ્ય પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. જેમા અત્રેની હોસ્પિટલ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમા સરકાર દ્વારા નિયુક્ત કરેલ ટીમ દ્વારા અત્રેના હોસ્પિટલ ખાતે લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત ક્વોલીટી અંગેનો એસેસ્મેન્ટ તા. ૨૨ થી…

Read More

ઉમરેઠની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરતા નોકરીદાતાઓ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લા રોજગાર કચેરી, આણંદ ધ્વારા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો માટે “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું” આયોજન કરવામાં આવ્યુ હતું. આ રોજગાર અને એપ્રેન્ટીસ ભરતીમેળામાં ૦૫ નોકરીદાતાઓ તેમના એકમો ખાતે ૭૨ જેટલી ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે હાજર રહયા હતા. આ રોજગાર ભરતી મેળામાં ૬૯ ઉમેદવારો હાજર રહ્યા હતા, તે પૈકી ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી નોકરીદાતાઓ ધ્વારા કરવામાં આવી છે, તેમ આણંદના રોજ

Read More

પોષણ અને આરોગ્યમાં પરિવર્તન દ્વારા સુધાર માટેનો સેતું: “પોષણ સેતુ”

હિન્દ ન્યુઝ, આણંદ    જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલ જિલ્લા સંકલન સમિતિની મિટિંગ દરમ્યાન તમામ અધિકારી/પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત આણંદની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને જાહેર આરોગ્ય, પોષણ સ્તર અને સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલ “પોષણ સેતુ” પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “પોષણ સેતુ” પ્રોજેકટ અંતર્ગત આઈ.સી.ડી.એસ.ના લાભાર્થીઓ જેવા કે ૦-૬ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતા, કિશોરીઓ વગેરેમાં કુપોષણને ઘટાડવા“ સ્વાસ્થ્ય સખી/મિત્ર” ગ્રૂપ દ્વારા લાભાર્થીઓ સાથે સઘન જોડાણ પ્રસ્થાપિત કરી “દર મંગળવારે આપશે મંગળ સમાચાર”ની થીમ પર ગ્રામજનો તથા લાભાર્થીઓ સાથે પોષણ તથા આરોગ્ય અને પોષણલક્ષી સંપરામર્શન કરવામાં…

Read More

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ઈણાજ કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ વોટર લોગિંગના પોઈન્ટ આઈડેન્ટીફિકેશન અને તેના નિવારણ માટે કરવાના થતા આગોતરા આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી…

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં તૈયાર થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ અને નટેશ્વર રંગમંચ ભવનની ટેક્નીકલ વિગતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ’સોમેશ્વર કુમાર છાત્રાવાસ’ અંદાજે રૂ. રૂ. ૧૦ કરોડ ૫૫ લાખના ખર્ચે ૩૫૮૩ ચો.મી બિલ્ટઅપ એરિયામાં તૈયાર થશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક રૂમમાં ૪ વિદ્યાર્થીઓ રહી શકે એવા અદ્યતન ૧૧ રૂમ, રેક્ટર ઓફિસ અને રેસીડન્ટ, દિવ્યાંગ માટે રૂમની વ્યવસ્થા, પેરેન્ટ્સ રૂમ, અદ્યતન ડાઈનિંગ હોલ, ટીવી રૂમ, લોન્ડ્રી રૂમ તેમજ ફર્સ્ટ ફ્લોરમાં ૨૨ રૂમ, ઈલેક્ટ્રિક રૂમ, સેકન્ડ ફલોરમાં એક રૂમમાં ૦૨ વિદેશી વિદ્યાર્થીઓ રહી શકે એવા ૧૧ સ્ટૂડિયો રૂમ સહિત અગ્નિશામક સાધનો, પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ. સિસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાથી…

Read More

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ કરતાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે નવનિર્મિત થનાર સોમેશ્વર કુમાર છાત્રાવાસ (બોય્ઝ હોસ્ટેલ) તથા નટેશ્વર રંગમંચનો શિલાન્યાસ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કર્યો હતો. ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, આપણાં વેદ, પુરાણ ઉપનિષદોમાં સમાજ જીવનને દર્શિત કરતા જ્ઞાનનો ભંડાર ભરેલો છે. આ ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે ત્યારે તેને તેમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવવાની જરૂરિયાત છે.  આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, એક સમયે ઇઝરાયેલની હિબ્રુભાષા વિલુપ્તપ્રાય હતી, પરંતુ…

Read More

સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય

હિન્દ ન્યુઝ, ભાવનગર      સૌરાષ્ટ્રમાં સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બે વાર ઘેડની પ્રત્યક્ષ મુલાકાત કરીને જરૂરી સૂચનો કર્યા બાદ આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧,૫૩૪.૧૯ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે રૂ. ૧૩૯.૪૨ કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે જેની કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી તેમજ પોરબંદરના પ્રભારી શ્રી કુંવરજી…

Read More